જ્ઞાનવાપીમાં શિવલિંગની કાર્બન ડેટિંગ પર સપ્રીમે આપ્યો સ્ટે, આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-19 18:54:09

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની કાર્બન ડેટિંગ અને સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને શિવલિંગ જેવી રચનાની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મસ્જિદ સમિતિના પદાધિકારીઓનું કહેવું છે કે આ આકૃતિ મસ્જિદ પરિસરમાં બનેલા વજુ ખાનામાં આવેલા ફુવારાઓનો એક ભાગ છે.


દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમે આપ્યો સ્ટે


મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે- અલ્હાબાદ હાઈકોર્ટે અપીલ હોવા છતા આ આદેશ આપ્યા હતા. હુઝૈફાની દલીલ સાંભળ્યા બાદ બેંચે અરજી પર સુનાવણી માટે સહમત થઈ ગઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે શિવલિંગ જેવી આકૃતિના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન ડેટિંગ માટે હાઇકોર્ટના આદેશ સામે મસ્જિદ સમિતિની અરજી પર કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને હિન્દુ અરજદારોને પણ નોટિસ જારી કરી હતી.


આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં સંબંધિત નિર્દેશોના ક્રિયાન્વયન આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મામલાની સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. ત્યાં સુધી કાર્બન ડેટિંગ પર પણ પ્રતિબંધ યથાવત રહશે. આ પહેલા સુનાવણીમાં CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીની દલીલોનું સંજ્ઞાન લીધું હતું અને અરજી પર શુક્રવારે સુનાવણી માટે સૂચીબદ્ધ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.


મુસ્લિમ પક્ષે શું દલીલ કરી?


જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીએ દલીલ કરી કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ અપીલ પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેનાં રોજ અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા સંરચનાની ઉંમર નિર્ધારિત કરવાનો આદેશ આપ્યો હતો, જે સંરચનાને શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના તે આદેશને રદ કરી દીધો હતો જે અંતર્ગત મે 2022માં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન મળેલી સંરચનાની કાર્બન સહિત અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ કરવાનો અનુરોધવાળી અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ વારાણસીના જિલ્લા ન્યાયાધીશને શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાના હિન્દુ પક્ષના અનુરોધ પર કાયદા મુજબ આગળ વધારવાના નિર્દેશ આપ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.