જ્ઞાનવાપીમાં શિવલિંગની કાર્બન ડેટિંગ પર સપ્રીમે આપ્યો સ્ટે, આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-19 18:54:09

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની કાર્બન ડેટિંગ અને સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને શિવલિંગ જેવી રચનાની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મસ્જિદ સમિતિના પદાધિકારીઓનું કહેવું છે કે આ આકૃતિ મસ્જિદ પરિસરમાં બનેલા વજુ ખાનામાં આવેલા ફુવારાઓનો એક ભાગ છે.


દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમે આપ્યો સ્ટે


મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે- અલ્હાબાદ હાઈકોર્ટે અપીલ હોવા છતા આ આદેશ આપ્યા હતા. હુઝૈફાની દલીલ સાંભળ્યા બાદ બેંચે અરજી પર સુનાવણી માટે સહમત થઈ ગઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે શિવલિંગ જેવી આકૃતિના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન ડેટિંગ માટે હાઇકોર્ટના આદેશ સામે મસ્જિદ સમિતિની અરજી પર કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને હિન્દુ અરજદારોને પણ નોટિસ જારી કરી હતી.


આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં સંબંધિત નિર્દેશોના ક્રિયાન્વયન આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મામલાની સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. ત્યાં સુધી કાર્બન ડેટિંગ પર પણ પ્રતિબંધ યથાવત રહશે. આ પહેલા સુનાવણીમાં CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીની દલીલોનું સંજ્ઞાન લીધું હતું અને અરજી પર શુક્રવારે સુનાવણી માટે સૂચીબદ્ધ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.


મુસ્લિમ પક્ષે શું દલીલ કરી?


જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીએ દલીલ કરી કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ અપીલ પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેનાં રોજ અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા સંરચનાની ઉંમર નિર્ધારિત કરવાનો આદેશ આપ્યો હતો, જે સંરચનાને શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના તે આદેશને રદ કરી દીધો હતો જે અંતર્ગત મે 2022માં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન મળેલી સંરચનાની કાર્બન સહિત અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ કરવાનો અનુરોધવાળી અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ વારાણસીના જિલ્લા ન્યાયાધીશને શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાના હિન્દુ પક્ષના અનુરોધ પર કાયદા મુજબ આગળ વધારવાના નિર્દેશ આપ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.