જ્ઞાનવાપીમાં શિવલિંગની કાર્બન ડેટિંગ પર સપ્રીમે આપ્યો સ્ટે, આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-19 18:54:09

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની કાર્બન ડેટિંગ અને સમગ્ર કેમ્પસના વૈજ્ઞાનિક સર્વે પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેના રોજ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને શિવલિંગ જેવી રચનાની કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મસ્જિદ સમિતિના પદાધિકારીઓનું કહેવું છે કે આ આકૃતિ મસ્જિદ પરિસરમાં બનેલા વજુ ખાનામાં આવેલા ફુવારાઓનો એક ભાગ છે.


દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમે આપ્યો સ્ટે


મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે- અલ્હાબાદ હાઈકોર્ટે અપીલ હોવા છતા આ આદેશ આપ્યા હતા. હુઝૈફાની દલીલ સાંભળ્યા બાદ બેંચે અરજી પર સુનાવણી માટે સહમત થઈ ગઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે શિવલિંગ જેવી આકૃતિના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને કાર્બન ડેટિંગ માટે હાઇકોર્ટના આદેશ સામે મસ્જિદ સમિતિની અરજી પર કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને હિન્દુ અરજદારોને પણ નોટિસ જારી કરી હતી.


આગામી 7 ઓગસ્ટે થશે સુનાવણી


સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં સંબંધિત નિર્દેશોના ક્રિયાન્વયન આગામી સુનાવણી સુધી સ્થગિત રહેશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મામલાની સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે. ત્યાં સુધી કાર્બન ડેટિંગ પર પણ પ્રતિબંધ યથાવત રહશે. આ પહેલા સુનાવણીમાં CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીની દલીલોનું સંજ્ઞાન લીધું હતું અને અરજી પર શુક્રવારે સુનાવણી માટે સૂચીબદ્ધ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.


મુસ્લિમ પક્ષે શું દલીલ કરી?


જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી ઉપસ્થિત એડવોકેટ હુઝૈફા અહમદીએ દલીલ કરી કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ અપીલ પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે 12 મેનાં રોજ અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા સંરચનાની ઉંમર નિર્ધારિત કરવાનો આદેશ આપ્યો હતો, જે સંરચનાને શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના તે આદેશને રદ કરી દીધો હતો જે અંતર્ગત મે 2022માં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન મળેલી સંરચનાની કાર્બન સહિત અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણ કરવાનો અનુરોધવાળી અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ વારાણસીના જિલ્લા ન્યાયાધીશને શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાના હિન્દુ પક્ષના અનુરોધ પર કાયદા મુજબ આગળ વધારવાના નિર્દેશ આપ્યા હતા.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.