દેશમાં વધી રહ્યા છીએ H3N2 વાઇરસના કેસ, ICMRએ આપી ચેતવણી, જાણો શું છે રોગના લક્ષણો અને બચાવ


  • Published By :
  • Published Date : 2023-03-05 14:25:07

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાઇરસજન્ય બિમારીઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી ઈન્ફલ્યુએન્ઝાના કેસએ સરકાર અને લોકોની ચિંતા વધારી છે. ફ્લૂના વધતા જતા કેસોને કારણે લોકો ભયભીત બન્યા છે, કારણ કે તેની સામે લડી રહેલા દર્દીઓમાં કોરોના જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી આવા ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જેઓ 10-12 દિવસથી તાવ સાથે ઉધરસથી પરેશાન છે.


H3N2 વાઇરસનો કહેર


ICMRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ એચ3એન2 (H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકોમાં સમાન સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે છે.


બિમારીના લક્ષણો શું છે?


જે દર્દીઓ ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના H3N2 સ્ટ્રેઇનથી સંક્રમિત છે તેવા આ ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી સખત તાવ આવે છે. દર્દીમાં સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવા ઉપરાંત શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી. આ ફ્લૂનાં સામાન્ય લક્ષણોમાં માનવામાં આવે છે.


IMA શું સલાહ આપી?


દેશમાં વધી રહેલા વાઈરસજન્ય રોગોને લઈ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. IMAના જણાવ્યા પ્રમાણે શરદી, તાવ અને ઉબકા આવે તો લોકો વિચાર્યા વિના એન્ટિબાયોટિક્સ ન લેવાની સલાહ આપી છે. એસોસિયેશને ડોક્ટરોને દર્દીઓનાં લક્ષણો જોયા પછી જ સારવાર આપવા અને એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ ન કરવા જણાવ્યું છે. વધુ એન્ટિબાયોટિક્સ લેવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વળી આમ પણ એક અઠવાડિયામાં ફ્લૂ મટી જાય છે.


ચેપથી બચવા માટે શું કરવું?


ડોકટરોની સલાહ છે કે, કેટલીક સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તેના સંક્રમણને ઓછું કરી શકાય છે.

જે લોકોને ચેપનું લક્ષણ છે, તેમના નજીકના સંપર્કથી બચશે.

બીમાર થવા પર ઘર પર રહો અને આરામ કરો.

હાથોની સાફ-સફાઈનું ધ્યાન રાખો.

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના ઉપાયો કરો.

છીંક અને ખાંસતી વખતે તમારા મોં અને નાકને ઢાંકો.

આંખ, નાક કે મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.