દેશમાં વધી રહ્યા છીએ H3N2 વાઇરસના કેસ, ICMRએ આપી ચેતવણી, જાણો શું છે રોગના લક્ષણો અને બચાવ


  • Published By :
  • Published Date : 2023-03-05 14:25:07

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાઇરસજન્ય બિમારીઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી ઈન્ફલ્યુએન્ઝાના કેસએ સરકાર અને લોકોની ચિંતા વધારી છે. ફ્લૂના વધતા જતા કેસોને કારણે લોકો ભયભીત બન્યા છે, કારણ કે તેની સામે લડી રહેલા દર્દીઓમાં કોરોના જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી આવા ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જેઓ 10-12 દિવસથી તાવ સાથે ઉધરસથી પરેશાન છે.


H3N2 વાઇરસનો કહેર


ICMRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ એચ3એન2 (H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકોમાં સમાન સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે છે.


બિમારીના લક્ષણો શું છે?


જે દર્દીઓ ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના H3N2 સ્ટ્રેઇનથી સંક્રમિત છે તેવા આ ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી સખત તાવ આવે છે. દર્દીમાં સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવા ઉપરાંત શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી. આ ફ્લૂનાં સામાન્ય લક્ષણોમાં માનવામાં આવે છે.


IMA શું સલાહ આપી?


દેશમાં વધી રહેલા વાઈરસજન્ય રોગોને લઈ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. IMAના જણાવ્યા પ્રમાણે શરદી, તાવ અને ઉબકા આવે તો લોકો વિચાર્યા વિના એન્ટિબાયોટિક્સ ન લેવાની સલાહ આપી છે. એસોસિયેશને ડોક્ટરોને દર્દીઓનાં લક્ષણો જોયા પછી જ સારવાર આપવા અને એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ ન કરવા જણાવ્યું છે. વધુ એન્ટિબાયોટિક્સ લેવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વળી આમ પણ એક અઠવાડિયામાં ફ્લૂ મટી જાય છે.


ચેપથી બચવા માટે શું કરવું?


ડોકટરોની સલાહ છે કે, કેટલીક સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તેના સંક્રમણને ઓછું કરી શકાય છે.

જે લોકોને ચેપનું લક્ષણ છે, તેમના નજીકના સંપર્કથી બચશે.

બીમાર થવા પર ઘર પર રહો અને આરામ કરો.

હાથોની સાફ-સફાઈનું ધ્યાન રાખો.

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના ઉપાયો કરો.

છીંક અને ખાંસતી વખતે તમારા મોં અને નાકને ઢાંકો.

આંખ, નાક કે મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...