દેશમાં વધી રહ્યા છીએ H3N2 વાઇરસના કેસ, ICMRએ આપી ચેતવણી, જાણો શું છે રોગના લક્ષણો અને બચાવ


  • Published By :
  • Published Date : 2023-03-05 14:25:07

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાઇરસજન્ય બિમારીઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી ઈન્ફલ્યુએન્ઝાના કેસએ સરકાર અને લોકોની ચિંતા વધારી છે. ફ્લૂના વધતા જતા કેસોને કારણે લોકો ભયભીત બન્યા છે, કારણ કે તેની સામે લડી રહેલા દર્દીઓમાં કોરોના જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી આવા ઘણા દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જેઓ 10-12 દિવસથી તાવ સાથે ઉધરસથી પરેશાન છે.


H3N2 વાઇરસનો કહેર


ICMRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો એક સબ-ટાઈપ એચ3એન2 (H3N2) છેલ્લા બે-ત્રણ મહિનાથી ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં લોકોમાં સમાન સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અન્ય સબ-ટાઇપ કરતાં આ વેરિયન્ટને કારણે લોકોને હોસ્પિટલમાં વધુ દાખલ કરવામાં આવે છે.


બિમારીના લક્ષણો શું છે?


જે દર્દીઓ ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના H3N2 સ્ટ્રેઇનથી સંક્રમિત છે તેવા આ ફ્લૂના દર્દીને 2-3 દિવસ સુધી સખત તાવ આવે છે. દર્દીમાં સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવા ઉપરાંત શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી. આ ફ્લૂનાં સામાન્ય લક્ષણોમાં માનવામાં આવે છે.


IMA શું સલાહ આપી?


દેશમાં વધી રહેલા વાઈરસજન્ય રોગોને લઈ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. IMAના જણાવ્યા પ્રમાણે શરદી, તાવ અને ઉબકા આવે તો લોકો વિચાર્યા વિના એન્ટિબાયોટિક્સ ન લેવાની સલાહ આપી છે. એસોસિયેશને ડોક્ટરોને દર્દીઓનાં લક્ષણો જોયા પછી જ સારવાર આપવા અને એન્ટિબાયોટિક્સ પ્રિસ્ક્રાઈબ ન કરવા જણાવ્યું છે. વધુ એન્ટિબાયોટિક્સ લેવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. વળી આમ પણ એક અઠવાડિયામાં ફ્લૂ મટી જાય છે.


ચેપથી બચવા માટે શું કરવું?


ડોકટરોની સલાહ છે કે, કેટલીક સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખીને તેના સંક્રમણને ઓછું કરી શકાય છે.

જે લોકોને ચેપનું લક્ષણ છે, તેમના નજીકના સંપર્કથી બચશે.

બીમાર થવા પર ઘર પર રહો અને આરામ કરો.

હાથોની સાફ-સફાઈનું ધ્યાન રાખો.

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના ઉપાયો કરો.

છીંક અને ખાંસતી વખતે તમારા મોં અને નાકને ઢાંકો.

આંખ, નાક કે મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.