હાફિઝ સઈદે PM મોદીને ખુનની નદીઓ વહાવવાની આપી ધમકી, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-26 14:31:39

ભારતમાં મુંબઈ સહિત અનેક આતંકવાદી હુમલાઓના દોષી લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે ફરી એક વખત ભારત વિરૂધ્ધ ઝેર ઓક્યું છે. ઘોટકીમાં કેટલાક હિંદુઓના ધર્મ પરિવર્તનના સમાચાર બાદ હવે આ મોસ્ટ વોન્ટેડ આતંકીનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ સઈદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની જનતાને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. તે કહી રહ્યો છે કે જો ભારત પાકિસ્તાનમાં આવતા પાણીને રોકશે તો તે પીએમ મોદીનો શ્વાસ રૂંધી નાખશે.


હાફિઝે શું ધમકી આપી?


વાયરલ વિડીયોમાં આતંકી હાફિઝ પીએમ મોદીનું નામ લઈને કહીં રહ્યો છે કે "તે ઢાકા યુનિવર્સિટીમાં મંચ પર ઉભા રહીને કહ્યું  કે પાકિસ્તાનને તોડી અમે બાંગ્લાદેશ બનાવ્યું છે, એમ કહીંને તુ કહે કે હાફિઝ સઈદ ચુપ રહે તો હું ચુપ નહીં રહું, તારી જીભ ખેંચીને રહીશું, તું ઈસ્લામાબાદ પર દબાણ કરી રહ્યો છે કે હાફિઝ શહિદ શું બોલી રહ્યો છે તો તું જે બોલીશ અમે પણ બોલીશું"


હાફિઝ સઈદે ભાષણમાં વધુમાં કહ્યું કે "તું કહે છે કે પાકિસ્તાનનું પાણી રોકીશું, કાશ્મીરમાં ડેમ બનાવીને પાકિસ્તાનનું પાણી રોકીશ, સાંભળી લે તું જો પાણી બંધ કરીશ તો અમે તારો શ્વાસ બંધ કરી દેઈશું. આ નદીઓમાં ફરી લોહી વહેશે" હાફિઝ સઈદનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.