હાફિઝ સઈદે PM મોદીને ખુનની નદીઓ વહાવવાની આપી ધમકી, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-26 14:31:39

ભારતમાં મુંબઈ સહિત અનેક આતંકવાદી હુમલાઓના દોષી લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે ફરી એક વખત ભારત વિરૂધ્ધ ઝેર ઓક્યું છે. ઘોટકીમાં કેટલાક હિંદુઓના ધર્મ પરિવર્તનના સમાચાર બાદ હવે આ મોસ્ટ વોન્ટેડ આતંકીનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ સઈદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની જનતાને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. તે કહી રહ્યો છે કે જો ભારત પાકિસ્તાનમાં આવતા પાણીને રોકશે તો તે પીએમ મોદીનો શ્વાસ રૂંધી નાખશે.


હાફિઝે શું ધમકી આપી?


વાયરલ વિડીયોમાં આતંકી હાફિઝ પીએમ મોદીનું નામ લઈને કહીં રહ્યો છે કે "તે ઢાકા યુનિવર્સિટીમાં મંચ પર ઉભા રહીને કહ્યું  કે પાકિસ્તાનને તોડી અમે બાંગ્લાદેશ બનાવ્યું છે, એમ કહીંને તુ કહે કે હાફિઝ સઈદ ચુપ રહે તો હું ચુપ નહીં રહું, તારી જીભ ખેંચીને રહીશું, તું ઈસ્લામાબાદ પર દબાણ કરી રહ્યો છે કે હાફિઝ શહિદ શું બોલી રહ્યો છે તો તું જે બોલીશ અમે પણ બોલીશું"


હાફિઝ સઈદે ભાષણમાં વધુમાં કહ્યું કે "તું કહે છે કે પાકિસ્તાનનું પાણી રોકીશું, કાશ્મીરમાં ડેમ બનાવીને પાકિસ્તાનનું પાણી રોકીશ, સાંભળી લે તું જો પાણી બંધ કરીશ તો અમે તારો શ્વાસ બંધ કરી દેઈશું. આ નદીઓમાં ફરી લોહી વહેશે" હાફિઝ સઈદનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.