હાફિઝ સઈદે PM મોદીને ખુનની નદીઓ વહાવવાની આપી ધમકી, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-02-26 14:31:39

ભારતમાં મુંબઈ સહિત અનેક આતંકવાદી હુમલાઓના દોષી લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે ફરી એક વખત ભારત વિરૂધ્ધ ઝેર ઓક્યું છે. ઘોટકીમાં કેટલાક હિંદુઓના ધર્મ પરિવર્તનના સમાચાર બાદ હવે આ મોસ્ટ વોન્ટેડ આતંકીનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાફિઝ સઈદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની જનતાને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. તે કહી રહ્યો છે કે જો ભારત પાકિસ્તાનમાં આવતા પાણીને રોકશે તો તે પીએમ મોદીનો શ્વાસ રૂંધી નાખશે.


હાફિઝે શું ધમકી આપી?


વાયરલ વિડીયોમાં આતંકી હાફિઝ પીએમ મોદીનું નામ લઈને કહીં રહ્યો છે કે "તે ઢાકા યુનિવર્સિટીમાં મંચ પર ઉભા રહીને કહ્યું  કે પાકિસ્તાનને તોડી અમે બાંગ્લાદેશ બનાવ્યું છે, એમ કહીંને તુ કહે કે હાફિઝ સઈદ ચુપ રહે તો હું ચુપ નહીં રહું, તારી જીભ ખેંચીને રહીશું, તું ઈસ્લામાબાદ પર દબાણ કરી રહ્યો છે કે હાફિઝ શહિદ શું બોલી રહ્યો છે તો તું જે બોલીશ અમે પણ બોલીશું"


હાફિઝ સઈદે ભાષણમાં વધુમાં કહ્યું કે "તું કહે છે કે પાકિસ્તાનનું પાણી રોકીશું, કાશ્મીરમાં ડેમ બનાવીને પાકિસ્તાનનું પાણી રોકીશ, સાંભળી લે તું જો પાણી બંધ કરીશ તો અમે તારો શ્વાસ બંધ કરી દેઈશું. આ નદીઓમાં ફરી લોહી વહેશે" હાફિઝ સઈદનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.