સુરત મહાનગરપાલિકમાં બજેટ પહેલા યોજાઈ હલવા સેરેમની, સેરેમનીમાં જોવા મળી મ્યુ. કમિશનર અને વિરોધ પક્ષના નેતાની ગેરહાજરી


  • Published By :
  • Published Date : 2023-02-15 15:43:08

થોડા સમય પહેલા બજેટ રજૂ થયું હતું તે પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હલવા સેરેમની પ્રથા માત્ર કેન્દ્રનું બજેટ રજૂ થાય ત્યારે કરવામાં આવતી હોય છે પરંતુ હલવા સેરેમની સુરત ખાતે કરવામાં આવી હતી. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સુરતના મેયર દ્વારા હલવો બનાવામાં આવ્યો હતો. મેયરના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવું પ્રથમ વખત થયું છે.   

  મેયરે તમામનું મોઢું મીઠું કરાવ્યું. 

સુરતમાં સામાન્ય સભાની પહેલા કરાયું હલવા સેરેમનીનું આયોજન  

આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મોઢું મીઠું કરવાનો રિવાજ છે. આ જ પરંપરા કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા જોવા મળતી હોય છે. બજેટ રજૂ થાય તે પહેલા હલવા સેરેમની કરવામાં આવતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્રના રસ્તે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ઈતિહાસમાં હલવા સેરેમની પ્રથમ વખત યોજાઈ હતી.  

સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ | In the  history of Surat Municipality the Halwa ceremony took place before the  Budget

સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ | In the  history of Surat Municipality the Halwa ceremony took place before the  Budget


વિરોધ પક્ષના નેતા તેમજ મ્યુ. કમિશનર રહ્યા હતા ગેરહાજર  

સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મેયર દ્વારા તમામ લોકોનું મોઢું મીઠું કરાવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટર હાજર હતા પરંતુ આ સેરેમનીમાં વિરોધ પક્ષના નેતાઓની તેમજ મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી જોવા મળી હતી. હલવા સેરેમનીમાં કમિશનરની ગેરહાજરી સંકેત આપે છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી. એવી પણ વાતો સામે આવી હતી કે કમિશનર મેયરની વાત માનતા નથી.   

 

વિપક્ષે હલવા પાર્ટીને લઈ કર્યા અનેક પ્રહાર 

હલવા પાર્ટી અંગે વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશોને જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવા અને આર્થિક બોજો આપવામાં વધુ રસ પડે છે. હજારો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની અંદર સામાન્ય પ્રજાનાં વિકાસશીલ કામો ઓછા ખર્ચે અને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. એક તરફ વેરો ઝીંકીને આર્થિક બોજ આપવામાં આવ્યો છે અને બીજી તરફ તેઓ હલવા પાર્ટી કરી રહ્યા છે.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.