સુરત મહાનગરપાલિકમાં બજેટ પહેલા યોજાઈ હલવા સેરેમની, સેરેમનીમાં જોવા મળી મ્યુ. કમિશનર અને વિરોધ પક્ષના નેતાની ગેરહાજરી


  • Published By :
  • Published Date : 2023-02-15 15:43:08

થોડા સમય પહેલા બજેટ રજૂ થયું હતું તે પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હલવા સેરેમની પ્રથા માત્ર કેન્દ્રનું બજેટ રજૂ થાય ત્યારે કરવામાં આવતી હોય છે પરંતુ હલવા સેરેમની સુરત ખાતે કરવામાં આવી હતી. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સુરતના મેયર દ્વારા હલવો બનાવામાં આવ્યો હતો. મેયરના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવું પ્રથમ વખત થયું છે.   

  મેયરે તમામનું મોઢું મીઠું કરાવ્યું. 

સુરતમાં સામાન્ય સભાની પહેલા કરાયું હલવા સેરેમનીનું આયોજન  

આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મોઢું મીઠું કરવાનો રિવાજ છે. આ જ પરંપરા કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા જોવા મળતી હોય છે. બજેટ રજૂ થાય તે પહેલા હલવા સેરેમની કરવામાં આવતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્રના રસ્તે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ઈતિહાસમાં હલવા સેરેમની પ્રથમ વખત યોજાઈ હતી.  

સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ | In the  history of Surat Municipality the Halwa ceremony took place before the  Budget

સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ | In the  history of Surat Municipality the Halwa ceremony took place before the  Budget


વિરોધ પક્ષના નેતા તેમજ મ્યુ. કમિશનર રહ્યા હતા ગેરહાજર  

સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મેયર દ્વારા તમામ લોકોનું મોઢું મીઠું કરાવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટર હાજર હતા પરંતુ આ સેરેમનીમાં વિરોધ પક્ષના નેતાઓની તેમજ મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી જોવા મળી હતી. હલવા સેરેમનીમાં કમિશનરની ગેરહાજરી સંકેત આપે છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી. એવી પણ વાતો સામે આવી હતી કે કમિશનર મેયરની વાત માનતા નથી.   

 

વિપક્ષે હલવા પાર્ટીને લઈ કર્યા અનેક પ્રહાર 

હલવા પાર્ટી અંગે વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશોને જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવા અને આર્થિક બોજો આપવામાં વધુ રસ પડે છે. હજારો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની અંદર સામાન્ય પ્રજાનાં વિકાસશીલ કામો ઓછા ખર્ચે અને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. એક તરફ વેરો ઝીંકીને આર્થિક બોજ આપવામાં આવ્યો છે અને બીજી તરફ તેઓ હલવા પાર્ટી કરી રહ્યા છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.