સુરત મહાનગરપાલિકમાં બજેટ પહેલા યોજાઈ હલવા સેરેમની, સેરેમનીમાં જોવા મળી મ્યુ. કમિશનર અને વિરોધ પક્ષના નેતાની ગેરહાજરી


  • Published By :
  • Published Date : 2023-02-15 15:43:08

થોડા સમય પહેલા બજેટ રજૂ થયું હતું તે પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હલવા સેરેમની પ્રથા માત્ર કેન્દ્રનું બજેટ રજૂ થાય ત્યારે કરવામાં આવતી હોય છે પરંતુ હલવા સેરેમની સુરત ખાતે કરવામાં આવી હતી. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સુરતના મેયર દ્વારા હલવો બનાવામાં આવ્યો હતો. મેયરના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવું પ્રથમ વખત થયું છે.   

  મેયરે તમામનું મોઢું મીઠું કરાવ્યું. 

સુરતમાં સામાન્ય સભાની પહેલા કરાયું હલવા સેરેમનીનું આયોજન  

આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મોઢું મીઠું કરવાનો રિવાજ છે. આ જ પરંપરા કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા જોવા મળતી હોય છે. બજેટ રજૂ થાય તે પહેલા હલવા સેરેમની કરવામાં આવતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્રના રસ્તે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ઈતિહાસમાં હલવા સેરેમની પ્રથમ વખત યોજાઈ હતી.  

સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ | In the  history of Surat Municipality the Halwa ceremony took place before the  Budget

સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ | In the  history of Surat Municipality the Halwa ceremony took place before the  Budget


વિરોધ પક્ષના નેતા તેમજ મ્યુ. કમિશનર રહ્યા હતા ગેરહાજર  

સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મેયર દ્વારા તમામ લોકોનું મોઢું મીઠું કરાવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટર હાજર હતા પરંતુ આ સેરેમનીમાં વિરોધ પક્ષના નેતાઓની તેમજ મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી જોવા મળી હતી. હલવા સેરેમનીમાં કમિશનરની ગેરહાજરી સંકેત આપે છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી. એવી પણ વાતો સામે આવી હતી કે કમિશનર મેયરની વાત માનતા નથી.   

 

વિપક્ષે હલવા પાર્ટીને લઈ કર્યા અનેક પ્રહાર 

હલવા પાર્ટી અંગે વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશોને જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવા અને આર્થિક બોજો આપવામાં વધુ રસ પડે છે. હજારો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની અંદર સામાન્ય પ્રજાનાં વિકાસશીલ કામો ઓછા ખર્ચે અને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. એક તરફ વેરો ઝીંકીને આર્થિક બોજ આપવામાં આવ્યો છે અને બીજી તરફ તેઓ હલવા પાર્ટી કરી રહ્યા છે.    




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.