સુરત મહાનગરપાલિકમાં બજેટ પહેલા યોજાઈ હલવા સેરેમની, સેરેમનીમાં જોવા મળી મ્યુ. કમિશનર અને વિરોધ પક્ષના નેતાની ગેરહાજરી


  • Published By :
  • Published Date : 2023-02-15 15:43:08

થોડા સમય પહેલા બજેટ રજૂ થયું હતું તે પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હલવા સેરેમની પ્રથા માત્ર કેન્દ્રનું બજેટ રજૂ થાય ત્યારે કરવામાં આવતી હોય છે પરંતુ હલવા સેરેમની સુરત ખાતે કરવામાં આવી હતી. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સુરતના મેયર દ્વારા હલવો બનાવામાં આવ્યો હતો. મેયરના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવું પ્રથમ વખત થયું છે.   

  મેયરે તમામનું મોઢું મીઠું કરાવ્યું. 

સુરતમાં સામાન્ય સભાની પહેલા કરાયું હલવા સેરેમનીનું આયોજન  

આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મોઢું મીઠું કરવાનો રિવાજ છે. આ જ પરંપરા કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા જોવા મળતી હોય છે. બજેટ રજૂ થાય તે પહેલા હલવા સેરેમની કરવામાં આવતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા પણ કેન્દ્રના રસ્તે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રજૂ કરેલા બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ઈતિહાસમાં હલવા સેરેમની પ્રથમ વખત યોજાઈ હતી.  

સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ | In the  history of Surat Municipality the Halwa ceremony took place before the  Budget

સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની થઈ | In the  history of Surat Municipality the Halwa ceremony took place before the  Budget


વિરોધ પક્ષના નેતા તેમજ મ્યુ. કમિશનર રહ્યા હતા ગેરહાજર  

સામાન્ય સભા શરૂ થાય તે પહેલા મેયર દ્વારા તમામ લોકોનું મોઢું મીઠું કરાવામાં આવ્યું હતું. આ સેરેમનીમાં શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ કોર્પોરેટર હાજર હતા પરંતુ આ સેરેમનીમાં વિરોધ પક્ષના નેતાઓની તેમજ મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરી જોવા મળી હતી. હલવા સેરેમનીમાં કમિશનરની ગેરહાજરી સંકેત આપે છે કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તાલમેલ નથી. એવી પણ વાતો સામે આવી હતી કે કમિશનર મેયરની વાત માનતા નથી.   

 

વિપક્ષે હલવા પાર્ટીને લઈ કર્યા અનેક પ્રહાર 

હલવા પાર્ટી અંગે વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશોને જાણે લોકોને મુશ્કેલીમાં મૂકવા અને આર્થિક બોજો આપવામાં વધુ રસ પડે છે. હજારો કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની અંદર સામાન્ય પ્રજાનાં વિકાસશીલ કામો ઓછા ખર્ચે અને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. એક તરફ વેરો ઝીંકીને આર્થિક બોજ આપવામાં આવ્યો છે અને બીજી તરફ તેઓ હલવા પાર્ટી કરી રહ્યા છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.