Israel પર હમાસે કર્યો હુમલો, છોડવામાં આવી હજારો મિસાઈલ, ઈઝરાયેલ પીએમએ કરી યુદ્ધની ઘોષણા!


  • Published By :
  • Published Date : 2023-10-09 14:27:55

'We are at war' આ શબ્દો છે ઇઝરાયલના વડાપ્રધાનના. મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા શનિવારે વહેલી સવારે હુમલો કરવામાં આવ્યો છે. પેલેસ્ટિનિયને  હજારોની સંખ્યામાં રોકેટ છોડી ઈઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઇઝરાયેલના બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર રોકેટ છોડ્યા હતા અને તે 5000થી વધુ રોકેટ હતા. આ દરમિયાન ઈસ્લામી વિદ્રોહી જૂથ હમાસ સાથે જોડાયેલા અનેક લડવૈયા દક્ષિણની તરફથી ઇઝરાયલની સીમા પાર કરીને અંદર પહોંચી ગયા. આતંકી હુમલાને કારણે ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટી પર જવાબી હુમલા શરૂ કરી દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.

 


ઈઝરાયેલ પર છોડાયા પાંચ હજાર રોકેટ!

શનિવાર સવારે ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસે મિડલ ઈસ્ટમાં હુમલો શરૂ કરી દીધો હતો. ઈઝરાયેલ પર એક સાથે પાંચ હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. રોકેટ છોડાતા એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી રહી છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે ‘અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે "હમાસે આજે સવારે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કરીને ભારે ભૂલ કરી છે. ઇઝરાયલના સૈનિકો દરેક જગ્યાએ હુમલાખોરો સામે લડી રહ્યા છે. આ યુદ્ધ ઇઝરાયલ રાષ્ટ્ર જ જીતશે." સમગ્ર ઈઝરાયલમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી છે. 

Image

પીએમએ યુદ્ધની ઘોષણા કરી 

જે રોકેટ છોડવામાં આવ્યા છે તે રહેણાંક વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. શનિવારે સવારે લગભગ 8 વાગે રાજધાની તેલ અવીવ, સેડેરોટ અને એશકેલોન શહેરોમાં છોડાયા છે. શહેરની સીમામાં હમાસીઓ દાખલ થઈ રહ્યા હતા. કોઈ પેરાગ્લાઈડર્સનો ઉપયોગ કરીને સીમામાં દાખલ થયા તો કોઈ  રોડ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસી ચૂક્યા. આ બનાવને પગલે ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ ઈમર્જન્સી બેઠક બોલાવી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. યુદ્ધની ઘોષણા પીએમ દ્વારા કરવામાં આવી. વડાપ્રધાને દેશની સેનાને તે વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં હમાસના ઘૂસણખોરો સાથે લડાઈ ચાલી રહી છે.  


We are at war - ઈઝરાયેલ વડાપ્રધાન 

આ વિવાદ આજનો નથી પરંતુ 75 વર્ષથી ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિવાદ  વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલન હાઇટ્સ જેવા વિસ્તારને લઇને ચાલી રહ્યો છે. પેલેસ્ટાઇન આ વિસ્તારો સહિત પૂર્વ જેરૂસલેમ પર દાવો કરે છે. બીજી તરફ ઇઝરાયલ જેરૂસલેમનો પોતાનો દાવો છોડવા માટે તૈયાર નથી. આ ઘટના બાદ પીએમે એક વીડિયો સંદેશો બહાર પાડ્યો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઇઝરાયેલ આ યુદ્ધમાં માટે તૈયાર છે. ઈઝરાયેલના નાગરિકોને સંબોધતા કહ્યું કે-We are at war.આ કોઈ ઓપરેશન નથી, આ યુદ્ધ છે અને તેમાં આપણે જીતીશું. ભારતના વડાપ્રધાન મોદીએ પણ ઈઝરાઈલની પરિસ્થિતિને લઈ ટ્વિટ કર્યું છે. ભારત ઈઝરાયેલ સાથે છે તેવી વાત પીએમ મોદીએ ટ્વિટમાં કરી છે. 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.