Israel પર હમાસે કર્યો હુમલો, છોડવામાં આવી હજારો મિસાઈલ, ઈઝરાયેલ પીએમએ કરી યુદ્ધની ઘોષણા!


  • Published By :
  • Published Date : 2023-10-09 14:27:55

'We are at war' આ શબ્દો છે ઇઝરાયલના વડાપ્રધાનના. મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા શનિવારે વહેલી સવારે હુમલો કરવામાં આવ્યો છે. પેલેસ્ટિનિયને  હજારોની સંખ્યામાં રોકેટ છોડી ઈઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઇઝરાયેલના બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર રોકેટ છોડ્યા હતા અને તે 5000થી વધુ રોકેટ હતા. આ દરમિયાન ઈસ્લામી વિદ્રોહી જૂથ હમાસ સાથે જોડાયેલા અનેક લડવૈયા દક્ષિણની તરફથી ઇઝરાયલની સીમા પાર કરીને અંદર પહોંચી ગયા. આતંકી હુમલાને કારણે ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટી પર જવાબી હુમલા શરૂ કરી દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.

 


ઈઝરાયેલ પર છોડાયા પાંચ હજાર રોકેટ!

શનિવાર સવારે ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસે મિડલ ઈસ્ટમાં હુમલો શરૂ કરી દીધો હતો. ઈઝરાયેલ પર એક સાથે પાંચ હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. રોકેટ છોડાતા એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી રહી છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે ‘અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે "હમાસે આજે સવારે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કરીને ભારે ભૂલ કરી છે. ઇઝરાયલના સૈનિકો દરેક જગ્યાએ હુમલાખોરો સામે લડી રહ્યા છે. આ યુદ્ધ ઇઝરાયલ રાષ્ટ્ર જ જીતશે." સમગ્ર ઈઝરાયલમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી છે. 

Image

પીએમએ યુદ્ધની ઘોષણા કરી 

જે રોકેટ છોડવામાં આવ્યા છે તે રહેણાંક વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. શનિવારે સવારે લગભગ 8 વાગે રાજધાની તેલ અવીવ, સેડેરોટ અને એશકેલોન શહેરોમાં છોડાયા છે. શહેરની સીમામાં હમાસીઓ દાખલ થઈ રહ્યા હતા. કોઈ પેરાગ્લાઈડર્સનો ઉપયોગ કરીને સીમામાં દાખલ થયા તો કોઈ  રોડ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસી ચૂક્યા. આ બનાવને પગલે ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ ઈમર્જન્સી બેઠક બોલાવી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. યુદ્ધની ઘોષણા પીએમ દ્વારા કરવામાં આવી. વડાપ્રધાને દેશની સેનાને તે વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં હમાસના ઘૂસણખોરો સાથે લડાઈ ચાલી રહી છે.  


We are at war - ઈઝરાયેલ વડાપ્રધાન 

આ વિવાદ આજનો નથી પરંતુ 75 વર્ષથી ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિવાદ  વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલન હાઇટ્સ જેવા વિસ્તારને લઇને ચાલી રહ્યો છે. પેલેસ્ટાઇન આ વિસ્તારો સહિત પૂર્વ જેરૂસલેમ પર દાવો કરે છે. બીજી તરફ ઇઝરાયલ જેરૂસલેમનો પોતાનો દાવો છોડવા માટે તૈયાર નથી. આ ઘટના બાદ પીએમે એક વીડિયો સંદેશો બહાર પાડ્યો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઇઝરાયેલ આ યુદ્ધમાં માટે તૈયાર છે. ઈઝરાયેલના નાગરિકોને સંબોધતા કહ્યું કે-We are at war.આ કોઈ ઓપરેશન નથી, આ યુદ્ધ છે અને તેમાં આપણે જીતીશું. ભારતના વડાપ્રધાન મોદીએ પણ ઈઝરાઈલની પરિસ્થિતિને લઈ ટ્વિટ કર્યું છે. ભારત ઈઝરાયેલ સાથે છે તેવી વાત પીએમ મોદીએ ટ્વિટમાં કરી છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.