Israel પર હમાસે કર્યો હુમલો, છોડવામાં આવી હજારો મિસાઈલ, ઈઝરાયેલ પીએમએ કરી યુદ્ધની ઘોષણા!


  • Published By :
  • Published Date : 2023-10-09 14:27:55

'We are at war' આ શબ્દો છે ઇઝરાયલના વડાપ્રધાનના. મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા શનિવારે વહેલી સવારે હુમલો કરવામાં આવ્યો છે. પેલેસ્ટિનિયને  હજારોની સંખ્યામાં રોકેટ છોડી ઈઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઇઝરાયેલના બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર રોકેટ છોડ્યા હતા અને તે 5000થી વધુ રોકેટ હતા. આ દરમિયાન ઈસ્લામી વિદ્રોહી જૂથ હમાસ સાથે જોડાયેલા અનેક લડવૈયા દક્ષિણની તરફથી ઇઝરાયલની સીમા પાર કરીને અંદર પહોંચી ગયા. આતંકી હુમલાને કારણે ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટી પર જવાબી હુમલા શરૂ કરી દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.

 


ઈઝરાયેલ પર છોડાયા પાંચ હજાર રોકેટ!

શનિવાર સવારે ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસે મિડલ ઈસ્ટમાં હુમલો શરૂ કરી દીધો હતો. ઈઝરાયેલ પર એક સાથે પાંચ હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. રોકેટ છોડાતા એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી રહી છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે ‘અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે "હમાસે આજે સવારે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કરીને ભારે ભૂલ કરી છે. ઇઝરાયલના સૈનિકો દરેક જગ્યાએ હુમલાખોરો સામે લડી રહ્યા છે. આ યુદ્ધ ઇઝરાયલ રાષ્ટ્ર જ જીતશે." સમગ્ર ઈઝરાયલમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી છે. 

Image

પીએમએ યુદ્ધની ઘોષણા કરી 

જે રોકેટ છોડવામાં આવ્યા છે તે રહેણાંક વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. શનિવારે સવારે લગભગ 8 વાગે રાજધાની તેલ અવીવ, સેડેરોટ અને એશકેલોન શહેરોમાં છોડાયા છે. શહેરની સીમામાં હમાસીઓ દાખલ થઈ રહ્યા હતા. કોઈ પેરાગ્લાઈડર્સનો ઉપયોગ કરીને સીમામાં દાખલ થયા તો કોઈ  રોડ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસી ચૂક્યા. આ બનાવને પગલે ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ ઈમર્જન્સી બેઠક બોલાવી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. યુદ્ધની ઘોષણા પીએમ દ્વારા કરવામાં આવી. વડાપ્રધાને દેશની સેનાને તે વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં હમાસના ઘૂસણખોરો સાથે લડાઈ ચાલી રહી છે.  


We are at war - ઈઝરાયેલ વડાપ્રધાન 

આ વિવાદ આજનો નથી પરંતુ 75 વર્ષથી ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિવાદ  વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલન હાઇટ્સ જેવા વિસ્તારને લઇને ચાલી રહ્યો છે. પેલેસ્ટાઇન આ વિસ્તારો સહિત પૂર્વ જેરૂસલેમ પર દાવો કરે છે. બીજી તરફ ઇઝરાયલ જેરૂસલેમનો પોતાનો દાવો છોડવા માટે તૈયાર નથી. આ ઘટના બાદ પીએમે એક વીડિયો સંદેશો બહાર પાડ્યો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઇઝરાયેલ આ યુદ્ધમાં માટે તૈયાર છે. ઈઝરાયેલના નાગરિકોને સંબોધતા કહ્યું કે-We are at war.આ કોઈ ઓપરેશન નથી, આ યુદ્ધ છે અને તેમાં આપણે જીતીશું. ભારતના વડાપ્રધાન મોદીએ પણ ઈઝરાઈલની પરિસ્થિતિને લઈ ટ્વિટ કર્યું છે. ભારત ઈઝરાયેલ સાથે છે તેવી વાત પીએમ મોદીએ ટ્વિટમાં કરી છે. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?