Israel પર હમાસે કર્યો હુમલો, છોડવામાં આવી હજારો મિસાઈલ, ઈઝરાયેલ પીએમએ કરી યુદ્ધની ઘોષણા!


  • Published By :
  • Published Date : 2023-10-09 14:27:55

'We are at war' આ શબ્દો છે ઇઝરાયલના વડાપ્રધાનના. મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા શનિવારે વહેલી સવારે હુમલો કરવામાં આવ્યો છે. પેલેસ્ટિનિયને  હજારોની સંખ્યામાં રોકેટ છોડી ઈઝરાયેલને હચમચાવી નાખ્યું હતું. ઇઝરાયેલના બે શહેરો એશ્કેલોન અને તેલ અવીવ પર રોકેટ છોડ્યા હતા અને તે 5000થી વધુ રોકેટ હતા. આ દરમિયાન ઈસ્લામી વિદ્રોહી જૂથ હમાસ સાથે જોડાયેલા અનેક લડવૈયા દક્ષિણની તરફથી ઇઝરાયલની સીમા પાર કરીને અંદર પહોંચી ગયા. આતંકી હુમલાને કારણે ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટી પર જવાબી હુમલા શરૂ કરી દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.

 


ઈઝરાયેલ પર છોડાયા પાંચ હજાર રોકેટ!

શનિવાર સવારે ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીમાં હમાસે મિડલ ઈસ્ટમાં હુમલો શરૂ કરી દીધો હતો. ઈઝરાયેલ પર એક સાથે પાંચ હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. રોકેટ છોડાતા એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું હોય તેવી માહિતી સામે આવી રહી છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે ‘અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે "હમાસે આજે સવારે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કરીને ભારે ભૂલ કરી છે. ઇઝરાયલના સૈનિકો દરેક જગ્યાએ હુમલાખોરો સામે લડી રહ્યા છે. આ યુદ્ધ ઇઝરાયલ રાષ્ટ્ર જ જીતશે." સમગ્ર ઈઝરાયલમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને ઘરમાં રહેવા માટે સૂચના આપી છે. 

Image

પીએમએ યુદ્ધની ઘોષણા કરી 

જે રોકેટ છોડવામાં આવ્યા છે તે રહેણાંક વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. શનિવારે સવારે લગભગ 8 વાગે રાજધાની તેલ અવીવ, સેડેરોટ અને એશકેલોન શહેરોમાં છોડાયા છે. શહેરની સીમામાં હમાસીઓ દાખલ થઈ રહ્યા હતા. કોઈ પેરાગ્લાઈડર્સનો ઉપયોગ કરીને સીમામાં દાખલ થયા તો કોઈ  રોડ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસી ચૂક્યા. આ બનાવને પગલે ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ ઈમર્જન્સી બેઠક બોલાવી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. યુદ્ધની ઘોષણા પીએમ દ્વારા કરવામાં આવી. વડાપ્રધાને દેશની સેનાને તે વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જ્યાં હમાસના ઘૂસણખોરો સાથે લડાઈ ચાલી રહી છે.  


We are at war - ઈઝરાયેલ વડાપ્રધાન 

આ વિવાદ આજનો નથી પરંતુ 75 વર્ષથી ચાલી રહ્યો છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વિવાદ  વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલન હાઇટ્સ જેવા વિસ્તારને લઇને ચાલી રહ્યો છે. પેલેસ્ટાઇન આ વિસ્તારો સહિત પૂર્વ જેરૂસલેમ પર દાવો કરે છે. બીજી તરફ ઇઝરાયલ જેરૂસલેમનો પોતાનો દાવો છોડવા માટે તૈયાર નથી. આ ઘટના બાદ પીએમે એક વીડિયો સંદેશો બહાર પાડ્યો હતો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઇઝરાયેલ આ યુદ્ધમાં માટે તૈયાર છે. ઈઝરાયેલના નાગરિકોને સંબોધતા કહ્યું કે-We are at war.આ કોઈ ઓપરેશન નથી, આ યુદ્ધ છે અને તેમાં આપણે જીતીશું. ભારતના વડાપ્રધાન મોદીએ પણ ઈઝરાઈલની પરિસ્થિતિને લઈ ટ્વિટ કર્યું છે. ભારત ઈઝરાયેલ સાથે છે તેવી વાત પીએમ મોદીએ ટ્વિટમાં કરી છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.