હનુમાનજીનો ફોટો HLFT-42 એરક્રાફ્ટ પરથી હટાવાયો, મીટિંગ બાદ લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-02-14 16:58:04

બેંગ્લુરૂ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ધાટન ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એર શો દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનો આકાશમાં ઉડ્યા હતા. એરફોર્સના વિમાન, હેલિકોપ્ટર અને ફાઈટર જેટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એચએએચ-42ના ટેઈલ પર બનેલા ગદા સાથેના હનુમાનજી પર રહ્યું હતું. તેની સાથે લખવામાં આવ્યું હતું કે વાવાઝોડું આવી રહ્યું છે. આ ફોટાને કારણે સોશિયલ મીડિયા પર અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા જે બાદ વિમાનની ટેઈલમાં ભગવાન હનુમાનજીનો ફોટો હટાવી દીધો છે. 


એરક્રાફ્ટ પર લગાવાયો હતો હનુમાનજીનો ફોટો 

ગઈકાલથી પ્રારંભ થયેલો એરો ઈન્ડિયા શો 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. સોમવારે એરફોર્સે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. અનેક વિમાનો આકાશમાં ઉડતા દેખાયા હતા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ એરશોમાં પ્રદર્શિત એચએલએફટી-42 વિમાનની પાછળ ભગવાન હનુમાનજીનો ગદા સાથેનો ફોટો લગાવામાં આવ્યો હતો. 


સ્ટીકર હટાવાનો લેવાયો નિર્ણય  

પરંતુ હવે આ ફોટાને હટાવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક સવાલો કરવામાં આવ્યા હતા. સવાલ કરતા લોકોએ કહ્યું કે એક ધર્મનિપપેક્ષ દેશમાં કોઈ વિમાન પર ભગવાન હનુમાનજીનો ફોટો કેવી રીતે હોઈ શકે છે. વિવાદ ન થાય તે માટે કંપનીએ ફોટો હટાવી દીધો છે. કંપનીના જણાવ્યા મુજબ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્દેશકે કહ્યું કે સ્ટીકર હટાવવાનો નિર્ણય ઈન્ટરન્લ છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.