હનુમાનજીનો ફોટો HLFT-42 એરક્રાફ્ટ પરથી હટાવાયો, મીટિંગ બાદ લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-02-14 16:58:04

બેંગ્લુરૂ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ધાટન ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એર શો દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનો આકાશમાં ઉડ્યા હતા. એરફોર્સના વિમાન, હેલિકોપ્ટર અને ફાઈટર જેટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એચએએચ-42ના ટેઈલ પર બનેલા ગદા સાથેના હનુમાનજી પર રહ્યું હતું. તેની સાથે લખવામાં આવ્યું હતું કે વાવાઝોડું આવી રહ્યું છે. આ ફોટાને કારણે સોશિયલ મીડિયા પર અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા જે બાદ વિમાનની ટેઈલમાં ભગવાન હનુમાનજીનો ફોટો હટાવી દીધો છે. 


એરક્રાફ્ટ પર લગાવાયો હતો હનુમાનજીનો ફોટો 

ગઈકાલથી પ્રારંભ થયેલો એરો ઈન્ડિયા શો 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. સોમવારે એરફોર્સે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. અનેક વિમાનો આકાશમાં ઉડતા દેખાયા હતા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ એરશોમાં પ્રદર્શિત એચએલએફટી-42 વિમાનની પાછળ ભગવાન હનુમાનજીનો ગદા સાથેનો ફોટો લગાવામાં આવ્યો હતો. 


સ્ટીકર હટાવાનો લેવાયો નિર્ણય  

પરંતુ હવે આ ફોટાને હટાવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક સવાલો કરવામાં આવ્યા હતા. સવાલ કરતા લોકોએ કહ્યું કે એક ધર્મનિપપેક્ષ દેશમાં કોઈ વિમાન પર ભગવાન હનુમાનજીનો ફોટો કેવી રીતે હોઈ શકે છે. વિવાદ ન થાય તે માટે કંપનીએ ફોટો હટાવી દીધો છે. કંપનીના જણાવ્યા મુજબ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્દેશકે કહ્યું કે સ્ટીકર હટાવવાનો નિર્ણય ઈન્ટરન્લ છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.