હનુમાનજીનો ફોટો HLFT-42 એરક્રાફ્ટ પરથી હટાવાયો, મીટિંગ બાદ લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-02-14 16:58:04

બેંગ્લુરૂ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ધાટન ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એર શો દરમિયાન ભારતીય વાયુસેનાના વિમાનો આકાશમાં ઉડ્યા હતા. એરફોર્સના વિમાન, હેલિકોપ્ટર અને ફાઈટર જેટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એચએએચ-42ના ટેઈલ પર બનેલા ગદા સાથેના હનુમાનજી પર રહ્યું હતું. તેની સાથે લખવામાં આવ્યું હતું કે વાવાઝોડું આવી રહ્યું છે. આ ફોટાને કારણે સોશિયલ મીડિયા પર અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા જે બાદ વિમાનની ટેઈલમાં ભગવાન હનુમાનજીનો ફોટો હટાવી દીધો છે. 


એરક્રાફ્ટ પર લગાવાયો હતો હનુમાનજીનો ફોટો 

ગઈકાલથી પ્રારંભ થયેલો એરો ઈન્ડિયા શો 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. સોમવારે એરફોર્સે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. અનેક વિમાનો આકાશમાં ઉડતા દેખાયા હતા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડએ એરશોમાં પ્રદર્શિત એચએલએફટી-42 વિમાનની પાછળ ભગવાન હનુમાનજીનો ગદા સાથેનો ફોટો લગાવામાં આવ્યો હતો. 


સ્ટીકર હટાવાનો લેવાયો નિર્ણય  

પરંતુ હવે આ ફોટાને હટાવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક સવાલો કરવામાં આવ્યા હતા. સવાલ કરતા લોકોએ કહ્યું કે એક ધર્મનિપપેક્ષ દેશમાં કોઈ વિમાન પર ભગવાન હનુમાનજીનો ફોટો કેવી રીતે હોઈ શકે છે. વિવાદ ન થાય તે માટે કંપનીએ ફોટો હટાવી દીધો છે. કંપનીના જણાવ્યા મુજબ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્દેશકે કહ્યું કે સ્ટીકર હટાવવાનો નિર્ણય ઈન્ટરન્લ છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.