'શ્રીસંતને થપ્પડ મારવા પર હું શરમ અનુભવું છું', હરભજને 2008ની ઘટના યાદ કરી, ગંભીર-કોહલી વિવાદ અંગે કહીં આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-05-03 15:50:32

IPLમાં વિવાદ એ કોઈ નવી વાત નથી, જ્યારથી આ લીગનો શુભારંભ થયો છે ત્યારથી કોઈને કોઈ રીતે આ ટૂર્નામેન્ટ સમાચારોમાં રહી છે. IPLના પહેલી સીઝનમાં એટલે કે વર્ષ 2008માં હરભજન સિંહે શ્રી સંતને થપ્પડ મારી હતી. જો કે આ વિવાદને આજે 15 વર્ષ વિતી ગયા છે. બંને ક્રિકેટર આજે સારા મિત્રો બની ગયા છે અને સાથે બેસીને કોમેન્ટ્રી પણ કરતા જોવા મળે છે. જો કે સોમવારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા વિવાદને કારણે ફરી આ ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. હરભજને હવે સોશિયલ મીડિયા મારફતે શ્રીસંતની માફી પણ માગી છે, અને તે સાથે જ કોહલી અને ગંભીરની તકરાર મામલે નિવેદન પણ આપ્યું છે.


હરભજન સિંહે આપી આ સલાહ?


હરભજન સિંહે કહ્યું કે ભાઈઓ તમે જાણો છો કે તે આપણી જવાબદારી છે કે રમતના રાજદૂત હોવાને નાતે આપણે યુવાનોને સાચી દિશા બતાવીએ અને તેમની સમક્ષ સાચી છબિ દર્શાવીએ અને સાચી છબિ પ્રદાન કરીએ. મને આશા છે કે મારા બંને ભાઈ એકબીજાને ગળે લગાવશે અને નફરતને દુર કરશે. આ આપણા માટે એક ખુબ જ સકારાત્મક સંકેત હશે.


2008માં શું વિવાદ થયો હતો?


શ્રીસંત અને ભજ્જી વચ્ચે 2008માં વિવાદ થયો હતો. ત્યાર બાદ શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે અને હરભજન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો. આ બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે લાઈવ મેચમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી દીધી. આ અંગે ઘણો વિવાદ થયો હતો. પરિણામ એ આવ્યું કે હરભજન પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.