'શ્રીસંતને થપ્પડ મારવા પર હું શરમ અનુભવું છું', હરભજને 2008ની ઘટના યાદ કરી, ગંભીર-કોહલી વિવાદ અંગે કહીં આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-05-03 15:50:32

IPLમાં વિવાદ એ કોઈ નવી વાત નથી, જ્યારથી આ લીગનો શુભારંભ થયો છે ત્યારથી કોઈને કોઈ રીતે આ ટૂર્નામેન્ટ સમાચારોમાં રહી છે. IPLના પહેલી સીઝનમાં એટલે કે વર્ષ 2008માં હરભજન સિંહે શ્રી સંતને થપ્પડ મારી હતી. જો કે આ વિવાદને આજે 15 વર્ષ વિતી ગયા છે. બંને ક્રિકેટર આજે સારા મિત્રો બની ગયા છે અને સાથે બેસીને કોમેન્ટ્રી પણ કરતા જોવા મળે છે. જો કે સોમવારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા વિવાદને કારણે ફરી આ ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. હરભજને હવે સોશિયલ મીડિયા મારફતે શ્રીસંતની માફી પણ માગી છે, અને તે સાથે જ કોહલી અને ગંભીરની તકરાર મામલે નિવેદન પણ આપ્યું છે.


હરભજન સિંહે આપી આ સલાહ?


હરભજન સિંહે કહ્યું કે ભાઈઓ તમે જાણો છો કે તે આપણી જવાબદારી છે કે રમતના રાજદૂત હોવાને નાતે આપણે યુવાનોને સાચી દિશા બતાવીએ અને તેમની સમક્ષ સાચી છબિ દર્શાવીએ અને સાચી છબિ પ્રદાન કરીએ. મને આશા છે કે મારા બંને ભાઈ એકબીજાને ગળે લગાવશે અને નફરતને દુર કરશે. આ આપણા માટે એક ખુબ જ સકારાત્મક સંકેત હશે.


2008માં શું વિવાદ થયો હતો?


શ્રીસંત અને ભજ્જી વચ્ચે 2008માં વિવાદ થયો હતો. ત્યાર બાદ શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે અને હરભજન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો. આ બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે લાઈવ મેચમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી દીધી. આ અંગે ઘણો વિવાદ થયો હતો. પરિણામ એ આવ્યું કે હરભજન પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.