'શ્રીસંતને થપ્પડ મારવા પર હું શરમ અનુભવું છું', હરભજને 2008ની ઘટના યાદ કરી, ગંભીર-કોહલી વિવાદ અંગે કહીં આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-05-03 15:50:32

IPLમાં વિવાદ એ કોઈ નવી વાત નથી, જ્યારથી આ લીગનો શુભારંભ થયો છે ત્યારથી કોઈને કોઈ રીતે આ ટૂર્નામેન્ટ સમાચારોમાં રહી છે. IPLના પહેલી સીઝનમાં એટલે કે વર્ષ 2008માં હરભજન સિંહે શ્રી સંતને થપ્પડ મારી હતી. જો કે આ વિવાદને આજે 15 વર્ષ વિતી ગયા છે. બંને ક્રિકેટર આજે સારા મિત્રો બની ગયા છે અને સાથે બેસીને કોમેન્ટ્રી પણ કરતા જોવા મળે છે. જો કે સોમવારે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા વિવાદને કારણે ફરી આ ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. હરભજને હવે સોશિયલ મીડિયા મારફતે શ્રીસંતની માફી પણ માગી છે, અને તે સાથે જ કોહલી અને ગંભીરની તકરાર મામલે નિવેદન પણ આપ્યું છે.


હરભજન સિંહે આપી આ સલાહ?


હરભજન સિંહે કહ્યું કે ભાઈઓ તમે જાણો છો કે તે આપણી જવાબદારી છે કે રમતના રાજદૂત હોવાને નાતે આપણે યુવાનોને સાચી દિશા બતાવીએ અને તેમની સમક્ષ સાચી છબિ દર્શાવીએ અને સાચી છબિ પ્રદાન કરીએ. મને આશા છે કે મારા બંને ભાઈ એકબીજાને ગળે લગાવશે અને નફરતને દુર કરશે. આ આપણા માટે એક ખુબ જ સકારાત્મક સંકેત હશે.


2008માં શું વિવાદ થયો હતો?


શ્રીસંત અને ભજ્જી વચ્ચે 2008માં વિવાદ થયો હતો. ત્યાર બાદ શ્રીસંત કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે અને હરભજન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો. આ બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે લાઈવ મેચમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી દીધી. આ અંગે ઘણો વિવાદ થયો હતો. પરિણામ એ આવ્યું કે હરભજન પર આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.