હાર્દિક અને નતાશાએ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર


  • Published By :
  • Published Date : 2023-02-17 09:34:15

વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ક્રિશ્ચિયન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઉદેયપુર ખાતે આ મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર મેરેજની તસવીરો શેર કરી છે. જેમાં બંને રોયલ લૂકમાં જોવા મળ્યા હતા. આ લગ્ન સમારોહમાં તેમનો પુત્ર સામેલ હતો. 


Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ

Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ

2020માં સાદાઈથી કર્યા હતા લગ્ન  

કોરોના મહામારીને કારણે હાર્દિક પંડ્યા અને નતાશાએ સાદાઈથી લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ તેમણે ક્રિશ્ચિયન તેમજ હિંદુ રીતિ રિવાજ અનુસાર બે વખત લગ્ન કર્યા હતા. નતાશા અને હાર્દિકના ડેટિંગની વાતો 2020માં સામે આવી હતી. 2020ની શરૂઆતમાં હાર્દિકે નતાશા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં લખ્યું તૂ મેરી મેં તેરા જાને સારા હિન્દુસ્તાન,#Engaged.જે બાદ સાદાઈથી કોર્ટ મેરેજ કરી લીધા હતા. 

Hardik Pandya and Natasha Stankovic got married according to Christian  customs - હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ  લગ્ન કર્યા News18 Gujarati

Hardik Pandya Natasa Stankovic Wedding Ceremony Udaipur On Valentines Day  Official Pics Out See Photos | Hardik Natasa Wedding: હાર્દિક પંડ્યા અને  નતાશાએ ઉદયપુરમાં કર્યા લગ્ન, સામે આવી પ્રથમ તસવીર

ક્રિશ્ચિયન રીતિ રીવાજ બાદ હિંદુ ધર્મ અનુસાર કર્યા લગ્ન 

14 ફેબ્રુઆરીના રોજ હાર્દિક અને નતાશાએ ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરાઈ હતી જેમાં વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમણે લગ્નની તસવીરો શેર કરી  

Hardik Pandya and Natasa Stankovic renew their wedding vows - The Daily  Guardian

માતા પિતાના લગ્નમાં તેમનો પુત્ર હતો સામેલ  

2020ના રોજ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાયા હતા પરંતુ તેમણે ગઈ કાલે ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માતા પિતાના લગ્નમાં તેમનો બે વર્ષનો દિકરો પણ સામેલ હતો. 14 તારીખે ક્રિશ્ચિયન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.     




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.