હાર્દિક અને નતાશાએ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર


  • Published By :
  • Published Date : 2023-02-17 09:34:15

વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ક્રિશ્ચિયન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઉદેયપુર ખાતે આ મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર મેરેજની તસવીરો શેર કરી છે. જેમાં બંને રોયલ લૂકમાં જોવા મળ્યા હતા. આ લગ્ન સમારોહમાં તેમનો પુત્ર સામેલ હતો. 


Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ

Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ

2020માં સાદાઈથી કર્યા હતા લગ્ન  

કોરોના મહામારીને કારણે હાર્દિક પંડ્યા અને નતાશાએ સાદાઈથી લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ તેમણે ક્રિશ્ચિયન તેમજ હિંદુ રીતિ રિવાજ અનુસાર બે વખત લગ્ન કર્યા હતા. નતાશા અને હાર્દિકના ડેટિંગની વાતો 2020માં સામે આવી હતી. 2020ની શરૂઆતમાં હાર્દિકે નતાશા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં લખ્યું તૂ મેરી મેં તેરા જાને સારા હિન્દુસ્તાન,#Engaged.જે બાદ સાદાઈથી કોર્ટ મેરેજ કરી લીધા હતા. 

Hardik Pandya and Natasha Stankovic got married according to Christian  customs - હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ  લગ્ન કર્યા News18 Gujarati

Hardik Pandya Natasa Stankovic Wedding Ceremony Udaipur On Valentines Day  Official Pics Out See Photos | Hardik Natasa Wedding: હાર્દિક પંડ્યા અને  નતાશાએ ઉદયપુરમાં કર્યા લગ્ન, સામે આવી પ્રથમ તસવીર

ક્રિશ્ચિયન રીતિ રીવાજ બાદ હિંદુ ધર્મ અનુસાર કર્યા લગ્ન 

14 ફેબ્રુઆરીના રોજ હાર્દિક અને નતાશાએ ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરાઈ હતી જેમાં વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમણે લગ્નની તસવીરો શેર કરી  

Hardik Pandya and Natasa Stankovic renew their wedding vows - The Daily  Guardian

માતા પિતાના લગ્નમાં તેમનો પુત્ર હતો સામેલ  

2020ના રોજ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાયા હતા પરંતુ તેમણે ગઈ કાલે ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માતા પિતાના લગ્નમાં તેમનો બે વર્ષનો દિકરો પણ સામેલ હતો. 14 તારીખે ક્રિશ્ચિયન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.