હાર્દિક અને નતાશાએ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર


  • Published By :
  • Published Date : 2023-02-17 09:34:15

વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ક્રિશ્ચિયન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઉદેયપુર ખાતે આ મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર મેરેજની તસવીરો શેર કરી છે. જેમાં બંને રોયલ લૂકમાં જોવા મળ્યા હતા. આ લગ્ન સમારોહમાં તેમનો પુત્ર સામેલ હતો. 


Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ

Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ

2020માં સાદાઈથી કર્યા હતા લગ્ન  

કોરોના મહામારીને કારણે હાર્દિક પંડ્યા અને નતાશાએ સાદાઈથી લગ્ન કર્યા હતા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ તેમણે ક્રિશ્ચિયન તેમજ હિંદુ રીતિ રિવાજ અનુસાર બે વખત લગ્ન કર્યા હતા. નતાશા અને હાર્દિકના ડેટિંગની વાતો 2020માં સામે આવી હતી. 2020ની શરૂઆતમાં હાર્દિકે નતાશા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો જેમાં લખ્યું તૂ મેરી મેં તેરા જાને સારા હિન્દુસ્તાન,#Engaged.જે બાદ સાદાઈથી કોર્ટ મેરેજ કરી લીધા હતા. 

Hardik Pandya and Natasha Stankovic got married according to Christian  customs - હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ  લગ્ન કર્યા News18 Gujarati

Hardik Pandya Natasa Stankovic Wedding Ceremony Udaipur On Valentines Day  Official Pics Out See Photos | Hardik Natasa Wedding: હાર્દિક પંડ્યા અને  નતાશાએ ઉદયપુરમાં કર્યા લગ્ન, સામે આવી પ્રથમ તસવીર

ક્રિશ્ચિયન રીતિ રીવાજ બાદ હિંદુ ધર્મ અનુસાર કર્યા લગ્ન 

14 ફેબ્રુઆરીના રોજ હાર્દિક અને નતાશાએ ક્રિશ્ચિયન રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરાઈ હતી જેમાં વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમણે લગ્નની તસવીરો શેર કરી  

Hardik Pandya and Natasa Stankovic renew their wedding vows - The Daily  Guardian

માતા પિતાના લગ્નમાં તેમનો પુત્ર હતો સામેલ  

2020ના રોજ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાયા હતા પરંતુ તેમણે ગઈ કાલે ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માતા પિતાના લગ્નમાં તેમનો બે વર્ષનો દિકરો પણ સામેલ હતો. 14 તારીખે ક્રિશ્ચિયન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે તેના બીજા દિવસે હિંદુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.