IND vs WI : ત્રીજી ટી20 મેચ ભારતે 7 વિકેટથી જીતી, હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, ફેન્સને યાદ આવી ધોનીની કેપ્ટનશીપ


  • Published By :
  • Published Date : 2023-08-09 20:26:09

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવી છે, અને સીરીઝ પોતાની હાથમાંથી જતા બચાવી લીધી છે. સૂર્યકુમાર યાદવની ધમાકેદાર 83 રનની ઈનિંગ ઉપરાંત તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે થયેલી ભાગીદારીને લીધે ભારત આ મેચ જીતવામાં સફળ રહી, પણ આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું કે જેના કારણે ઘણાં ક્રિકેટર્સ કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા કરી રહ્યાં છે, તેમને ટ્રોલ કરી રહ્યાં છે, તેમજ આજના દિવસે લોકો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કરી રહ્યાં છે. 


કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરી આ ભૂલ, ક્રિકેટ ફેન્સને આવી ધોનીની યાદ 

160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સૂર્યકુમારની 83 રનની ઈનિંગ પછી એકદમ મજબૂત હાલતમાં હતી, ત્યારે પીચ પર ઓપનર તિલક વર્મા અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા હાજર હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને કહ્યું હતું કે, મેચ ફિનિશ તારે કરવાની છે,પણ જ્યારે ટીમ ઈન્ડિયાને 3 રનની જરુર હતી, ત્યારે તિલક વર્માએ સિંગલ લીધો અને હાર્દિક પંડ્યા સ્ટ્રાઈક  પર આવ્યાં, તિલક વર્મા 48 રન પર પહોંચ્યાં અને હાર્દિક પંડ્યાએ તિલક વર્માની ફિફ્ટીને મહત્વ આપવાની જગ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરી. જેને કારણે ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. 


હાર્દિક પંડ્યાને લોકો ટ્રોલ કરી રહ્યાં છે અને સ્વાર્થી કહી રહ્યાં છે. ઘણા ફેન્સ આ ઘટનાને યાદ કરીને એમ એસ ધોનીને પણ યાદ કરી રહ્યાં છે. કેમ કે ધોની વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર તરીકે જાણીતા હોવા છતાં પણ તેઓએ ઘણી વાર આવી રીતે યુવા ખેલાડીઓને પોતાની ફિફ્ટી કે સેન્ચ્યુરી પૂરી કરવાની તેમજ મેચ ફિનિશ કરવાની તક આપી છે. આ જ ઘટનાને લઈને હાલ વિરાટ કોહલી અને ધોની વચ્ચેનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મેચ જીતવામાં માટે એક રનની જરુર હોવા છતાં પણ ધોનીએ મેચ ફિનિશ કરવાની જગ્યાએ કોહલીને સ્ટ્રાઈક આપીને તેમને મેચ ફિનિશ કરવાની તક આપી હતી, કેમ કે વિરાટ કોહલી એ મેચના હીરો રહ્યાં હતા અને તેથી જ ક્રિકેટ ફેન્સનું માનવું છે કે પંડ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરવાની જગ્યાએ તિલક વર્માને તેમની ફિફ્ટી પૂરી કરવાની અને મેચ ફિનિશ કરવાની તક આપવી જોઈતી હતી. 


ભારતે મેચ જીતીને શ્રેણી બચાવી, 2-1ની લીડ સાથે વેસ્ટ ઈન્ડિઝ હજી પણ આગળ

ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યાં હતા, જ્યારે ભારતીય ટીમે સૂર્યકુમાર અને તિલક વર્માની ઈનિંગની મદદથી 17.5 ઓવરમાં જ 160નો લક્ષ્ય હાંસિલ કરી મેચ જીતી લીધી હતી. જેને કારણે હાલ સીરીઝનો સ્કોર 2-1 થઈ ગયો છે, આગામી મેચ 12 ઓગસ્ટના રોજ અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાવાની છે, ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી સરભર કરવા ઉતરશે તેવી દરેક ક્રિકેટ ફેન્સને આશા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.