IND vs WI : ત્રીજી ટી20 મેચ ભારતે 7 વિકેટથી જીતી, હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, ફેન્સને યાદ આવી ધોનીની કેપ્ટનશીપ


  • Published By :
  • Published Date : 2023-08-09 20:26:09

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવી છે, અને સીરીઝ પોતાની હાથમાંથી જતા બચાવી લીધી છે. સૂર્યકુમાર યાદવની ધમાકેદાર 83 રનની ઈનિંગ ઉપરાંત તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે થયેલી ભાગીદારીને લીધે ભારત આ મેચ જીતવામાં સફળ રહી, પણ આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું કે જેના કારણે ઘણાં ક્રિકેટર્સ કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા કરી રહ્યાં છે, તેમને ટ્રોલ કરી રહ્યાં છે, તેમજ આજના દિવસે લોકો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કરી રહ્યાં છે. 


કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરી આ ભૂલ, ક્રિકેટ ફેન્સને આવી ધોનીની યાદ 

160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સૂર્યકુમારની 83 રનની ઈનિંગ પછી એકદમ મજબૂત હાલતમાં હતી, ત્યારે પીચ પર ઓપનર તિલક વર્મા અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા હાજર હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને કહ્યું હતું કે, મેચ ફિનિશ તારે કરવાની છે,પણ જ્યારે ટીમ ઈન્ડિયાને 3 રનની જરુર હતી, ત્યારે તિલક વર્માએ સિંગલ લીધો અને હાર્દિક પંડ્યા સ્ટ્રાઈક  પર આવ્યાં, તિલક વર્મા 48 રન પર પહોંચ્યાં અને હાર્દિક પંડ્યાએ તિલક વર્માની ફિફ્ટીને મહત્વ આપવાની જગ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરી. જેને કારણે ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. 


હાર્દિક પંડ્યાને લોકો ટ્રોલ કરી રહ્યાં છે અને સ્વાર્થી કહી રહ્યાં છે. ઘણા ફેન્સ આ ઘટનાને યાદ કરીને એમ એસ ધોનીને પણ યાદ કરી રહ્યાં છે. કેમ કે ધોની વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર તરીકે જાણીતા હોવા છતાં પણ તેઓએ ઘણી વાર આવી રીતે યુવા ખેલાડીઓને પોતાની ફિફ્ટી કે સેન્ચ્યુરી પૂરી કરવાની તેમજ મેચ ફિનિશ કરવાની તક આપી છે. આ જ ઘટનાને લઈને હાલ વિરાટ કોહલી અને ધોની વચ્ચેનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મેચ જીતવામાં માટે એક રનની જરુર હોવા છતાં પણ ધોનીએ મેચ ફિનિશ કરવાની જગ્યાએ કોહલીને સ્ટ્રાઈક આપીને તેમને મેચ ફિનિશ કરવાની તક આપી હતી, કેમ કે વિરાટ કોહલી એ મેચના હીરો રહ્યાં હતા અને તેથી જ ક્રિકેટ ફેન્સનું માનવું છે કે પંડ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરવાની જગ્યાએ તિલક વર્માને તેમની ફિફ્ટી પૂરી કરવાની અને મેચ ફિનિશ કરવાની તક આપવી જોઈતી હતી. 


ભારતે મેચ જીતીને શ્રેણી બચાવી, 2-1ની લીડ સાથે વેસ્ટ ઈન્ડિઝ હજી પણ આગળ

ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યાં હતા, જ્યારે ભારતીય ટીમે સૂર્યકુમાર અને તિલક વર્માની ઈનિંગની મદદથી 17.5 ઓવરમાં જ 160નો લક્ષ્ય હાંસિલ કરી મેચ જીતી લીધી હતી. જેને કારણે હાલ સીરીઝનો સ્કોર 2-1 થઈ ગયો છે, આગામી મેચ 12 ઓગસ્ટના રોજ અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાવાની છે, ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી સરભર કરવા ઉતરશે તેવી દરેક ક્રિકેટ ફેન્સને આશા છે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.