IND vs WI : ત્રીજી ટી20 મેચ ભારતે 7 વિકેટથી જીતી, હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, ફેન્સને યાદ આવી ધોનીની કેપ્ટનશીપ


  • Published By :
  • Published Date : 2023-08-09 20:26:09

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવી છે, અને સીરીઝ પોતાની હાથમાંથી જતા બચાવી લીધી છે. સૂર્યકુમાર યાદવની ધમાકેદાર 83 રનની ઈનિંગ ઉપરાંત તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે થયેલી ભાગીદારીને લીધે ભારત આ મેચ જીતવામાં સફળ રહી, પણ આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું કે જેના કારણે ઘણાં ક્રિકેટર્સ કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા કરી રહ્યાં છે, તેમને ટ્રોલ કરી રહ્યાં છે, તેમજ આજના દિવસે લોકો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કરી રહ્યાં છે. 


કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરી આ ભૂલ, ક્રિકેટ ફેન્સને આવી ધોનીની યાદ 

160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સૂર્યકુમારની 83 રનની ઈનિંગ પછી એકદમ મજબૂત હાલતમાં હતી, ત્યારે પીચ પર ઓપનર તિલક વર્મા અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા હાજર હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને કહ્યું હતું કે, મેચ ફિનિશ તારે કરવાની છે,પણ જ્યારે ટીમ ઈન્ડિયાને 3 રનની જરુર હતી, ત્યારે તિલક વર્માએ સિંગલ લીધો અને હાર્દિક પંડ્યા સ્ટ્રાઈક  પર આવ્યાં, તિલક વર્મા 48 રન પર પહોંચ્યાં અને હાર્દિક પંડ્યાએ તિલક વર્માની ફિફ્ટીને મહત્વ આપવાની જગ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરી. જેને કારણે ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. 


હાર્દિક પંડ્યાને લોકો ટ્રોલ કરી રહ્યાં છે અને સ્વાર્થી કહી રહ્યાં છે. ઘણા ફેન્સ આ ઘટનાને યાદ કરીને એમ એસ ધોનીને પણ યાદ કરી રહ્યાં છે. કેમ કે ધોની વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર તરીકે જાણીતા હોવા છતાં પણ તેઓએ ઘણી વાર આવી રીતે યુવા ખેલાડીઓને પોતાની ફિફ્ટી કે સેન્ચ્યુરી પૂરી કરવાની તેમજ મેચ ફિનિશ કરવાની તક આપી છે. આ જ ઘટનાને લઈને હાલ વિરાટ કોહલી અને ધોની વચ્ચેનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મેચ જીતવામાં માટે એક રનની જરુર હોવા છતાં પણ ધોનીએ મેચ ફિનિશ કરવાની જગ્યાએ કોહલીને સ્ટ્રાઈક આપીને તેમને મેચ ફિનિશ કરવાની તક આપી હતી, કેમ કે વિરાટ કોહલી એ મેચના હીરો રહ્યાં હતા અને તેથી જ ક્રિકેટ ફેન્સનું માનવું છે કે પંડ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરવાની જગ્યાએ તિલક વર્માને તેમની ફિફ્ટી પૂરી કરવાની અને મેચ ફિનિશ કરવાની તક આપવી જોઈતી હતી. 


ભારતે મેચ જીતીને શ્રેણી બચાવી, 2-1ની લીડ સાથે વેસ્ટ ઈન્ડિઝ હજી પણ આગળ

ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યાં હતા, જ્યારે ભારતીય ટીમે સૂર્યકુમાર અને તિલક વર્માની ઈનિંગની મદદથી 17.5 ઓવરમાં જ 160નો લક્ષ્ય હાંસિલ કરી મેચ જીતી લીધી હતી. જેને કારણે હાલ સીરીઝનો સ્કોર 2-1 થઈ ગયો છે, આગામી મેચ 12 ઓગસ્ટના રોજ અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાવાની છે, ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી સરભર કરવા ઉતરશે તેવી દરેક ક્રિકેટ ફેન્સને આશા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.