IND vs WI : ત્રીજી ટી20 મેચ ભારતે 7 વિકેટથી જીતી, હાર્દિક પંડ્યા થયો ટ્રોલ, ફેન્સને યાદ આવી ધોનીની કેપ્ટનશીપ


  • Published By :
  • Published Date : 2023-08-09 20:26:09

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે 7 વિકેટે શાનદાર જીત મેળવી છે, અને સીરીઝ પોતાની હાથમાંથી જતા બચાવી લીધી છે. સૂર્યકુમાર યાદવની ધમાકેદાર 83 રનની ઈનિંગ ઉપરાંત તિલક વર્મા અને કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે થયેલી ભાગીદારીને લીધે ભારત આ મેચ જીતવામાં સફળ રહી, પણ આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું કે જેના કારણે ઘણાં ક્રિકેટર્સ કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા કરી રહ્યાં છે, તેમને ટ્રોલ કરી રહ્યાં છે, તેમજ આજના દિવસે લોકો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કરી રહ્યાં છે. 


કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરી આ ભૂલ, ક્રિકેટ ફેન્સને આવી ધોનીની યાદ 

160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ સૂર્યકુમારની 83 રનની ઈનિંગ પછી એકદમ મજબૂત હાલતમાં હતી, ત્યારે પીચ પર ઓપનર તિલક વર્મા અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા હાજર હતા, આ દરમિયાન હાર્દિક પંડ્યાએ તિલક વર્માને કહ્યું હતું કે, મેચ ફિનિશ તારે કરવાની છે,પણ જ્યારે ટીમ ઈન્ડિયાને 3 રનની જરુર હતી, ત્યારે તિલક વર્માએ સિંગલ લીધો અને હાર્દિક પંડ્યા સ્ટ્રાઈક  પર આવ્યાં, તિલક વર્મા 48 રન પર પહોંચ્યાં અને હાર્દિક પંડ્યાએ તિલક વર્માની ફિફ્ટીને મહત્વ આપવાની જગ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરી. જેને કારણે ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. 


હાર્દિક પંડ્યાને લોકો ટ્રોલ કરી રહ્યાં છે અને સ્વાર્થી કહી રહ્યાં છે. ઘણા ફેન્સ આ ઘટનાને યાદ કરીને એમ એસ ધોનીને પણ યાદ કરી રહ્યાં છે. કેમ કે ધોની વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર તરીકે જાણીતા હોવા છતાં પણ તેઓએ ઘણી વાર આવી રીતે યુવા ખેલાડીઓને પોતાની ફિફ્ટી કે સેન્ચ્યુરી પૂરી કરવાની તેમજ મેચ ફિનિશ કરવાની તક આપી છે. આ જ ઘટનાને લઈને હાલ વિરાટ કોહલી અને ધોની વચ્ચેનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મેચ જીતવામાં માટે એક રનની જરુર હોવા છતાં પણ ધોનીએ મેચ ફિનિશ કરવાની જગ્યાએ કોહલીને સ્ટ્રાઈક આપીને તેમને મેચ ફિનિશ કરવાની તક આપી હતી, કેમ કે વિરાટ કોહલી એ મેચના હીરો રહ્યાં હતા અને તેથી જ ક્રિકેટ ફેન્સનું માનવું છે કે પંડ્યાએ સિક્સ મારીને મેચ ફિનિશ કરવાની જગ્યાએ તિલક વર્માને તેમની ફિફ્ટી પૂરી કરવાની અને મેચ ફિનિશ કરવાની તક આપવી જોઈતી હતી. 


ભારતે મેચ જીતીને શ્રેણી બચાવી, 2-1ની લીડ સાથે વેસ્ટ ઈન્ડિઝ હજી પણ આગળ

ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યાં હતા, જ્યારે ભારતીય ટીમે સૂર્યકુમાર અને તિલક વર્માની ઈનિંગની મદદથી 17.5 ઓવરમાં જ 160નો લક્ષ્ય હાંસિલ કરી મેચ જીતી લીધી હતી. જેને કારણે હાલ સીરીઝનો સ્કોર 2-1 થઈ ગયો છે, આગામી મેચ 12 ઓગસ્ટના રોજ અમેરિકાના ફ્લોરિડા ખાતે રમાવાની છે, ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી સરભર કરવા ઉતરશે તેવી દરેક ક્રિકેટ ફેન્સને આશા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે