મીઠા અંદાજમાં Harsh Sanghviએ પોલીસને સંભળાવી દીધું, સમજાવ્યું PI,પોલીસે કેવી રીતે માણસો સાથે વ્યવહાર કરવો જોઈએ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-05 16:28:37

જ્યારે આપણે કોઈ મોટી તકલીફમાં હોઈએ છીએ ત્યારે આપણને સૌથી વધારે જરૂર ડોક્ટર અથવા તો પોલીસની પડતી હોય છે. જો આપણી સાથે છેતરપિંડી થઈ છે, ફ્રોડ થયો છે તો આપણે પોલીસનો સંપર્ક કરીએ છીએ અને કોઈ મોટી બિમારી થઈ હોય તો આપણે ડોક્ટરનો સંપર્ક કરતા હોઈએ છીએ. લોકો એવું ઈચ્છે છે કે પોલીસ તેમજ ડોક્ટરના સંપર્કમાં જેટલું ઓછું આવવું પડે તેટલું સારૂં. જો આપણી સાથે ડોક્ટર અગર સારું વર્તન નથી કરતા, આપણે તેમની સાથે comfortable નથી તો બીજા ડોક્ટર પાસે પણ જઈ શકીએ છીએ પંરતુ વાત જ્યારે પોલીસની આવે છે ત્યારે આ શક્ય નથી. પોલીસ ગમે તેવું વર્તન કેમ ન કરે જે વિસ્તારમાં કેસ બનતો હોય તેનો જ સંપર્ક કરવો પડે છે. 

પોલીસ સ્ટેશનમાં જાવ અને સારો અનુભવ થાય તો નસીબદાર કહેવાય

પોલીસ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં વિચારો આવવા શરૂ થઈ જાય કે એક નાનકડા કામ માટે અનેક દિવસો સુધી ધક્કા ખાવા પડશે. પોલીસ અધિકારી આપણને મળશે કે નહીં તે પણ ડર હોય છે. મળશે તો આપણી વાત સાંભળશે કે નહીં, આપણી જોડે કેવો વ્યવહાર કરશે તેવા અનેક સવાલો આપણા દિમાગમાં ચાલતા હોય છે. એક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં સામાન્ય માણસો સાથે કેવું વર્તન કરવામાં આવે છે પોલીસ દ્વારા તે દેખાતું હોય છે. તમે પોલીસ સ્ટેશનમાં ગયા હોવ અને સારો અનુભવ થાય તો તમે નસીબદાર કહેવાઓ તેવી પરિસ્થિતિ છે. 


હર્ષ સંઘવીએ પોલીસને કરી ટકોર અને કહ્યું... 

સામાન્ય જનતા સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે તે આપણે તો જાણીએ છીએ પરંતુ આ વાતને હર્ષ સંઘવી પણ જાણે છે. લોકોને કેટલા કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. વૃદ્ધો સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવે છે તેની પણ હર્ષ સંઘવીએ નોંધ લીધી છે. એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પીઆઈ, પીએસઆઈને ઠપકો આપ્યો જેમાં તેમણે કહ્યું કે  તમારા બધા પર નજર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પાસે, રાજ્ય ગૃહમંત્રી પાસે લોકોને મળવાનો સમય હોય છે, લોકોની સમસ્યાને સાંભળવાનો સમય હોય છે તો પીઆઈ અથવા તો પીએસઆઈ પાસે કેમ સમય નથી હોતો સામાન્ય માણસો સાથે વાત કરવાનો? અનેક એવા મુદ્દાઓ વિશે તેમણે વાત કરી જે સામાન્ય માણસને સીધી રીતે અસર કરે છે.


સામાન્ય માણસ સાથે પોલીસ જે વર્તન કરે છે તે આપણે જાણીએ છીએ 

મહત્વનું છે કે પોલીસ વિભાગમાં માત્ર અમુક જ એવા અધિકારીઓ હશે જે સામાન્ય નાગરિકો સાથે સારો અને માનપૂર્વક વર્તન કરતા હોય છે. મુખ્યત્વે જે કિસ્સાઓ સામે આવે છે તેમાં પોલીસકર્મી દ્વારા તોછળાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોય છે. રસ્તા પર જ્યારે પોલીસ પકડે છે ત્યારે તે માણસ સાથે કેવો વ્યવહાર થાય છે તેનાથી આપણે બધા વાકેફ છીએ. મંત્રી હર્ષ સંઘવીને પણ આ વાતની ખબર હશે   



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'