મીઠા અંદાજમાં Harsh Sanghviએ પોલીસને સંભળાવી દીધું, સમજાવ્યું PI,પોલીસે કેવી રીતે માણસો સાથે વ્યવહાર કરવો જોઈએ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 16:28:37

જ્યારે આપણે કોઈ મોટી તકલીફમાં હોઈએ છીએ ત્યારે આપણને સૌથી વધારે જરૂર ડોક્ટર અથવા તો પોલીસની પડતી હોય છે. જો આપણી સાથે છેતરપિંડી થઈ છે, ફ્રોડ થયો છે તો આપણે પોલીસનો સંપર્ક કરીએ છીએ અને કોઈ મોટી બિમારી થઈ હોય તો આપણે ડોક્ટરનો સંપર્ક કરતા હોઈએ છીએ. લોકો એવું ઈચ્છે છે કે પોલીસ તેમજ ડોક્ટરના સંપર્કમાં જેટલું ઓછું આવવું પડે તેટલું સારૂં. જો આપણી સાથે ડોક્ટર અગર સારું વર્તન નથી કરતા, આપણે તેમની સાથે comfortable નથી તો બીજા ડોક્ટર પાસે પણ જઈ શકીએ છીએ પંરતુ વાત જ્યારે પોલીસની આવે છે ત્યારે આ શક્ય નથી. પોલીસ ગમે તેવું વર્તન કેમ ન કરે જે વિસ્તારમાં કેસ બનતો હોય તેનો જ સંપર્ક કરવો પડે છે. 

પોલીસ સ્ટેશનમાં જાવ અને સારો અનુભવ થાય તો નસીબદાર કહેવાય

પોલીસ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં વિચારો આવવા શરૂ થઈ જાય કે એક નાનકડા કામ માટે અનેક દિવસો સુધી ધક્કા ખાવા પડશે. પોલીસ અધિકારી આપણને મળશે કે નહીં તે પણ ડર હોય છે. મળશે તો આપણી વાત સાંભળશે કે નહીં, આપણી જોડે કેવો વ્યવહાર કરશે તેવા અનેક સવાલો આપણા દિમાગમાં ચાલતા હોય છે. એક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં સામાન્ય માણસો સાથે કેવું વર્તન કરવામાં આવે છે પોલીસ દ્વારા તે દેખાતું હોય છે. તમે પોલીસ સ્ટેશનમાં ગયા હોવ અને સારો અનુભવ થાય તો તમે નસીબદાર કહેવાઓ તેવી પરિસ્થિતિ છે. 


હર્ષ સંઘવીએ પોલીસને કરી ટકોર અને કહ્યું... 

સામાન્ય જનતા સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે તે આપણે તો જાણીએ છીએ પરંતુ આ વાતને હર્ષ સંઘવી પણ જાણે છે. લોકોને કેટલા કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. વૃદ્ધો સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવે છે તેની પણ હર્ષ સંઘવીએ નોંધ લીધી છે. એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પીઆઈ, પીએસઆઈને ઠપકો આપ્યો જેમાં તેમણે કહ્યું કે  તમારા બધા પર નજર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પાસે, રાજ્ય ગૃહમંત્રી પાસે લોકોને મળવાનો સમય હોય છે, લોકોની સમસ્યાને સાંભળવાનો સમય હોય છે તો પીઆઈ અથવા તો પીએસઆઈ પાસે કેમ સમય નથી હોતો સામાન્ય માણસો સાથે વાત કરવાનો? અનેક એવા મુદ્દાઓ વિશે તેમણે વાત કરી જે સામાન્ય માણસને સીધી રીતે અસર કરે છે.


સામાન્ય માણસ સાથે પોલીસ જે વર્તન કરે છે તે આપણે જાણીએ છીએ 

મહત્વનું છે કે પોલીસ વિભાગમાં માત્ર અમુક જ એવા અધિકારીઓ હશે જે સામાન્ય નાગરિકો સાથે સારો અને માનપૂર્વક વર્તન કરતા હોય છે. મુખ્યત્વે જે કિસ્સાઓ સામે આવે છે તેમાં પોલીસકર્મી દ્વારા તોછળાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોય છે. રસ્તા પર જ્યારે પોલીસ પકડે છે ત્યારે તે માણસ સાથે કેવો વ્યવહાર થાય છે તેનાથી આપણે બધા વાકેફ છીએ. મંત્રી હર્ષ સંઘવીને પણ આ વાતની ખબર હશે   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે