મીઠા અંદાજમાં Harsh Sanghviએ પોલીસને સંભળાવી દીધું, સમજાવ્યું PI,પોલીસે કેવી રીતે માણસો સાથે વ્યવહાર કરવો જોઈએ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-05 16:28:37

જ્યારે આપણે કોઈ મોટી તકલીફમાં હોઈએ છીએ ત્યારે આપણને સૌથી વધારે જરૂર ડોક્ટર અથવા તો પોલીસની પડતી હોય છે. જો આપણી સાથે છેતરપિંડી થઈ છે, ફ્રોડ થયો છે તો આપણે પોલીસનો સંપર્ક કરીએ છીએ અને કોઈ મોટી બિમારી થઈ હોય તો આપણે ડોક્ટરનો સંપર્ક કરતા હોઈએ છીએ. લોકો એવું ઈચ્છે છે કે પોલીસ તેમજ ડોક્ટરના સંપર્કમાં જેટલું ઓછું આવવું પડે તેટલું સારૂં. જો આપણી સાથે ડોક્ટર અગર સારું વર્તન નથી કરતા, આપણે તેમની સાથે comfortable નથી તો બીજા ડોક્ટર પાસે પણ જઈ શકીએ છીએ પંરતુ વાત જ્યારે પોલીસની આવે છે ત્યારે આ શક્ય નથી. પોલીસ ગમે તેવું વર્તન કેમ ન કરે જે વિસ્તારમાં કેસ બનતો હોય તેનો જ સંપર્ક કરવો પડે છે. 

પોલીસ સ્ટેશનમાં જાવ અને સારો અનુભવ થાય તો નસીબદાર કહેવાય

પોલીસ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં વિચારો આવવા શરૂ થઈ જાય કે એક નાનકડા કામ માટે અનેક દિવસો સુધી ધક્કા ખાવા પડશે. પોલીસ અધિકારી આપણને મળશે કે નહીં તે પણ ડર હોય છે. મળશે તો આપણી વાત સાંભળશે કે નહીં, આપણી જોડે કેવો વ્યવહાર કરશે તેવા અનેક સવાલો આપણા દિમાગમાં ચાલતા હોય છે. એક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં સામાન્ય માણસો સાથે કેવું વર્તન કરવામાં આવે છે પોલીસ દ્વારા તે દેખાતું હોય છે. તમે પોલીસ સ્ટેશનમાં ગયા હોવ અને સારો અનુભવ થાય તો તમે નસીબદાર કહેવાઓ તેવી પરિસ્થિતિ છે. 


હર્ષ સંઘવીએ પોલીસને કરી ટકોર અને કહ્યું... 

સામાન્ય જનતા સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે તે આપણે તો જાણીએ છીએ પરંતુ આ વાતને હર્ષ સંઘવી પણ જાણે છે. લોકોને કેટલા કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. વૃદ્ધો સાથે કેવી રીતે વ્યવહાર કરવામાં આવે છે તેની પણ હર્ષ સંઘવીએ નોંધ લીધી છે. એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પીઆઈ, પીએસઆઈને ઠપકો આપ્યો જેમાં તેમણે કહ્યું કે  તમારા બધા પર નજર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પાસે, રાજ્ય ગૃહમંત્રી પાસે લોકોને મળવાનો સમય હોય છે, લોકોની સમસ્યાને સાંભળવાનો સમય હોય છે તો પીઆઈ અથવા તો પીએસઆઈ પાસે કેમ સમય નથી હોતો સામાન્ય માણસો સાથે વાત કરવાનો? અનેક એવા મુદ્દાઓ વિશે તેમણે વાત કરી જે સામાન્ય માણસને સીધી રીતે અસર કરે છે.


સામાન્ય માણસ સાથે પોલીસ જે વર્તન કરે છે તે આપણે જાણીએ છીએ 

મહત્વનું છે કે પોલીસ વિભાગમાં માત્ર અમુક જ એવા અધિકારીઓ હશે જે સામાન્ય નાગરિકો સાથે સારો અને માનપૂર્વક વર્તન કરતા હોય છે. મુખ્યત્વે જે કિસ્સાઓ સામે આવે છે તેમાં પોલીસકર્મી દ્વારા તોછળાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોય છે. રસ્તા પર જ્યારે પોલીસ પકડે છે ત્યારે તે માણસ સાથે કેવો વ્યવહાર થાય છે તેનાથી આપણે બધા વાકેફ છીએ. મંત્રી હર્ષ સંઘવીને પણ આ વાતની ખબર હશે   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.