હવે હરિયાણામાં જુની પેન્શન સ્કીમની માગ ઉઠી, કર્મચારીઓએ શરૂ કર્યું ઉગ્ર આંદોલન


  • Published By :
  • Published Date : 2023-02-22 20:12:57

દેશના વિવિધ રાજ્યોમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમ (OPS)ની માગ કરી રહ્યા છે. જો કે કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓ તેમની માગને લઈ આક્રમક બન્યા છે. જેમ કે હરિયાણામાં સરકારી કર્મચારીઓ તેમની માગને લઈ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સીએમ મનોહરલાલ ખટ્ટરની સરકારે નરમ વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે કર્મચારીઓની માગને લઈ 3 સભ્યોની એક સમિતીની રચનાની જાહેરાત કરી છે.


સરકારનો કર્મચારીઓને ચર્ચા માટે પ્રસ્તાવ


હરિયાણાની મનોહર લાલ ખટ્ટરની સરકારે કર્મચારીઓને આંદોલન છોડી ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે જુની પેન્સન અને નવી પેન્સન યોજના વચ્ચેનો કોઈ વચલો માર્ગ શોધવા માટે આતુર છે. જો કે કર્મતારીઓએ આકરૂ વલણ અપનાવ્યું છે. તેઓ હિમાચલ પ્રદેશની તર્જ પર જુની પેન્શન સ્કિમ ફરીથી લાગું કરવાની માગ પર અડગ છે. 


કર્મચારી સંગઠનોએ શું કહ્યું?


જુની પેન્શન સ્કીમ અંગે કર્મચારીઓનું કહેવું છે કે તેનાથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. કર્મચારીઓને નવી પેન્શન સ્કીમથી ખુબ નુકસાન થઈ રહ્યું છે. નવી પેન્શન સ્કિમ શેર બજાર પર આધારીત છે, કર્મચારીઓનું પેન્સન શેર બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે.


આ રાજ્યોએ OPS લાગુ કરી


દેશના પાંચ રાજ્યો એવા છે જ્યાં કર્મચારીઓની માગ પર જુની પેન્શન સ્કિમ ફરી અમલી બનાવી છે. આ રાજ્યોમાં મુખ્યત્વે કોંગ્રેસની સરકારો છે. OPS ફરીથી અમલી બનાવનારા રાજ્યોમાં રાજસ્થાન, છત્તીશગઢ, હિમાચલ પ્રદેશ અને આમ આદમી પાર્ટી શાસિત પંજાબનો સમાવેશ થાય છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.