હવે હરિયાણામાં જુની પેન્શન સ્કીમની માગ ઉઠી, કર્મચારીઓએ શરૂ કર્યું ઉગ્ર આંદોલન


  • Published By :
  • Published Date : 2023-02-22 20:12:57

દેશના વિવિધ રાજ્યોમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન સ્કિમ (OPS)ની માગ કરી રહ્યા છે. જો કે કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓ તેમની માગને લઈ આક્રમક બન્યા છે. જેમ કે હરિયાણામાં સરકારી કર્મચારીઓ તેમની માગને લઈ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સીએમ મનોહરલાલ ખટ્ટરની સરકારે નરમ વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે કર્મચારીઓની માગને લઈ 3 સભ્યોની એક સમિતીની રચનાની જાહેરાત કરી છે.


સરકારનો કર્મચારીઓને ચર્ચા માટે પ્રસ્તાવ


હરિયાણાની મનોહર લાલ ખટ્ટરની સરકારે કર્મચારીઓને આંદોલન છોડી ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. સરકારે કહ્યું છે કે તે જુની પેન્સન અને નવી પેન્સન યોજના વચ્ચેનો કોઈ વચલો માર્ગ શોધવા માટે આતુર છે. જો કે કર્મતારીઓએ આકરૂ વલણ અપનાવ્યું છે. તેઓ હિમાચલ પ્રદેશની તર્જ પર જુની પેન્શન સ્કિમ ફરીથી લાગું કરવાની માગ પર અડગ છે. 


કર્મચારી સંગઠનોએ શું કહ્યું?


જુની પેન્શન સ્કીમ અંગે કર્મચારીઓનું કહેવું છે કે તેનાથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. કર્મચારીઓને નવી પેન્શન સ્કીમથી ખુબ નુકસાન થઈ રહ્યું છે. નવી પેન્શન સ્કિમ શેર બજાર પર આધારીત છે, કર્મચારીઓનું પેન્સન શેર બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે.


આ રાજ્યોએ OPS લાગુ કરી


દેશના પાંચ રાજ્યો એવા છે જ્યાં કર્મચારીઓની માગ પર જુની પેન્શન સ્કિમ ફરી અમલી બનાવી છે. આ રાજ્યોમાં મુખ્યત્વે કોંગ્રેસની સરકારો છે. OPS ફરીથી અમલી બનાવનારા રાજ્યોમાં રાજસ્થાન, છત્તીશગઢ, હિમાચલ પ્રદેશ અને આમ આદમી પાર્ટી શાસિત પંજાબનો સમાવેશ થાય છે.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.