HDFC બેંક બની દુનિયાની સાતમી સૌથી મોટી ધિરાણકર્તા, 100 અબજ ડોલર માર્કેટ કેપ ક્લબમાં મેળવ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-07-17 16:24:48

બેંકિંગ સેક્ટરમાં પણ ભારત હવે દુનિયાના ટોચના અર્થતંત્રને ટક્કર આપી રહ્યું છે, ભારતની બેંકો અમેરિકા અને ચીનને સ્પર્ધા આપી રહી છે.  HDFC લિમિટેડનું HDFC બેંકમાં વિલય થયું છે. HDFC બેંક સોમવારે 100 અબજ ડોલરના માર્કેટ કેપવાળી ફાયનાન્સ કંપનીઓ અને બેંકોના વૈશ્વિક ક્લબમાં સામેલ થઈ ગઈ છે. HDFC બેંક લગભગ 151 અબજ ડોલર કે 12.38 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યુ પર ટ્રેડ કરતા મોર્ગન સ્ટેનલી અને બેંક ઓફ ચાઈના જેવી અગ્રણી બેંકોથી પણ મોટી બની ગઈ છે. HDFC બેંક દુનિયાની સોથી મોટી ઋણદાતા કંપની બની ગઈ છે.


7 બેંકોના ક્લબમાં મેળવ્યું સ્થાન


HDFC બેંક જેપી મોર્ગન ( 438 બિલિયન ડોલર), બેંક ઓફ અમેરિકા (232 બિલિયન  ડોલર), ચીનની ICBC ( 224 બિલિયન ડોલર), એગ્રીકલ્ચરલ બેંક ઑફ ચાઇના ( 171 બિલિયન  ડોલર), વેલ્સ ફાર્ગો ( 163 બિલિયન  ડોલર) અને HSBC ( 160 બિલિયન  ડોલર) થી પાછળ છે. મર્જ થયેલી એન્ટિટી તરીકે, એચડીએફસી બેંક વૈશ્વિક રોકાણ કંપનીઓ મોર્ગન સ્ટેનલી ( 143 બિલિયન  ડોલર) અને ગોલ્ડમેન સૅક્સ ( 108 બિલિયન  ડોલર) કરતાં વધુ એમ-કેપ ધરાવે છે.


HDFC બેંકનો નફો વધ્યો


પ્રાઈવેટ સેક્ટરના HDFC બેંકે ચાલુ નાણાકિય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. HDFC બેંકના નફામાં 30%નો વધારો, જૂન ક્વાર્ટરના આંકડા જાહેર થયા. HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરના પરિણામો અનુસાર, કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 30 ટકાનો વધારો થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11,952 કરોડ રહ્યો છે, જે બજારના અનુમાન કરતાં રૂ. 11,000 વધુ છે. વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં HDFC બેન્કની આવક પણ વાર્ષિક ધોરણે 39 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને તે વધીને રૂ. 57,817 કરોડ થઈ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.