HDFC બેંક બની દુનિયાની સાતમી સૌથી મોટી ધિરાણકર્તા, 100 અબજ ડોલર માર્કેટ કેપ ક્લબમાં મેળવ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-07-17 16:24:48

બેંકિંગ સેક્ટરમાં પણ ભારત હવે દુનિયાના ટોચના અર્થતંત્રને ટક્કર આપી રહ્યું છે, ભારતની બેંકો અમેરિકા અને ચીનને સ્પર્ધા આપી રહી છે.  HDFC લિમિટેડનું HDFC બેંકમાં વિલય થયું છે. HDFC બેંક સોમવારે 100 અબજ ડોલરના માર્કેટ કેપવાળી ફાયનાન્સ કંપનીઓ અને બેંકોના વૈશ્વિક ક્લબમાં સામેલ થઈ ગઈ છે. HDFC બેંક લગભગ 151 અબજ ડોલર કે 12.38 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યુ પર ટ્રેડ કરતા મોર્ગન સ્ટેનલી અને બેંક ઓફ ચાઈના જેવી અગ્રણી બેંકોથી પણ મોટી બની ગઈ છે. HDFC બેંક દુનિયાની સોથી મોટી ઋણદાતા કંપની બની ગઈ છે.


7 બેંકોના ક્લબમાં મેળવ્યું સ્થાન


HDFC બેંક જેપી મોર્ગન ( 438 બિલિયન ડોલર), બેંક ઓફ અમેરિકા (232 બિલિયન  ડોલર), ચીનની ICBC ( 224 બિલિયન ડોલર), એગ્રીકલ્ચરલ બેંક ઑફ ચાઇના ( 171 બિલિયન  ડોલર), વેલ્સ ફાર્ગો ( 163 બિલિયન  ડોલર) અને HSBC ( 160 બિલિયન  ડોલર) થી પાછળ છે. મર્જ થયેલી એન્ટિટી તરીકે, એચડીએફસી બેંક વૈશ્વિક રોકાણ કંપનીઓ મોર્ગન સ્ટેનલી ( 143 બિલિયન  ડોલર) અને ગોલ્ડમેન સૅક્સ ( 108 બિલિયન  ડોલર) કરતાં વધુ એમ-કેપ ધરાવે છે.


HDFC બેંકનો નફો વધ્યો


પ્રાઈવેટ સેક્ટરના HDFC બેંકે ચાલુ નાણાકિય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. HDFC બેંકના નફામાં 30%નો વધારો, જૂન ક્વાર્ટરના આંકડા જાહેર થયા. HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરના પરિણામો અનુસાર, કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 30 ટકાનો વધારો થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11,952 કરોડ રહ્યો છે, જે બજારના અનુમાન કરતાં રૂ. 11,000 વધુ છે. વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં HDFC બેન્કની આવક પણ વાર્ષિક ધોરણે 39 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને તે વધીને રૂ. 57,817 કરોડ થઈ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .