HDFC બેંક બની દુનિયાની સાતમી સૌથી મોટી ધિરાણકર્તા, 100 અબજ ડોલર માર્કેટ કેપ ક્લબમાં મેળવ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-07-17 16:24:48

બેંકિંગ સેક્ટરમાં પણ ભારત હવે દુનિયાના ટોચના અર્થતંત્રને ટક્કર આપી રહ્યું છે, ભારતની બેંકો અમેરિકા અને ચીનને સ્પર્ધા આપી રહી છે.  HDFC લિમિટેડનું HDFC બેંકમાં વિલય થયું છે. HDFC બેંક સોમવારે 100 અબજ ડોલરના માર્કેટ કેપવાળી ફાયનાન્સ કંપનીઓ અને બેંકોના વૈશ્વિક ક્લબમાં સામેલ થઈ ગઈ છે. HDFC બેંક લગભગ 151 અબજ ડોલર કે 12.38 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યુ પર ટ્રેડ કરતા મોર્ગન સ્ટેનલી અને બેંક ઓફ ચાઈના જેવી અગ્રણી બેંકોથી પણ મોટી બની ગઈ છે. HDFC બેંક દુનિયાની સોથી મોટી ઋણદાતા કંપની બની ગઈ છે.


7 બેંકોના ક્લબમાં મેળવ્યું સ્થાન


HDFC બેંક જેપી મોર્ગન ( 438 બિલિયન ડોલર), બેંક ઓફ અમેરિકા (232 બિલિયન  ડોલર), ચીનની ICBC ( 224 બિલિયન ડોલર), એગ્રીકલ્ચરલ બેંક ઑફ ચાઇના ( 171 બિલિયન  ડોલર), વેલ્સ ફાર્ગો ( 163 બિલિયન  ડોલર) અને HSBC ( 160 બિલિયન  ડોલર) થી પાછળ છે. મર્જ થયેલી એન્ટિટી તરીકે, એચડીએફસી બેંક વૈશ્વિક રોકાણ કંપનીઓ મોર્ગન સ્ટેનલી ( 143 બિલિયન  ડોલર) અને ગોલ્ડમેન સૅક્સ ( 108 બિલિયન  ડોલર) કરતાં વધુ એમ-કેપ ધરાવે છે.


HDFC બેંકનો નફો વધ્યો


પ્રાઈવેટ સેક્ટરના HDFC બેંકે ચાલુ નાણાકિય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. HDFC બેંકના નફામાં 30%નો વધારો, જૂન ક્વાર્ટરના આંકડા જાહેર થયા. HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરના પરિણામો અનુસાર, કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 30 ટકાનો વધારો થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11,952 કરોડ રહ્યો છે, જે બજારના અનુમાન કરતાં રૂ. 11,000 વધુ છે. વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં HDFC બેન્કની આવક પણ વાર્ષિક ધોરણે 39 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને તે વધીને રૂ. 57,817 કરોડ થઈ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.