HDFC બેંક બની દુનિયાની સાતમી સૌથી મોટી ધિરાણકર્તા, 100 અબજ ડોલર માર્કેટ કેપ ક્લબમાં મેળવ્યું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-07-17 16:24:48

બેંકિંગ સેક્ટરમાં પણ ભારત હવે દુનિયાના ટોચના અર્થતંત્રને ટક્કર આપી રહ્યું છે, ભારતની બેંકો અમેરિકા અને ચીનને સ્પર્ધા આપી રહી છે.  HDFC લિમિટેડનું HDFC બેંકમાં વિલય થયું છે. HDFC બેંક સોમવારે 100 અબજ ડોલરના માર્કેટ કેપવાળી ફાયનાન્સ કંપનીઓ અને બેંકોના વૈશ્વિક ક્લબમાં સામેલ થઈ ગઈ છે. HDFC બેંક લગભગ 151 અબજ ડોલર કે 12.38 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યુ પર ટ્રેડ કરતા મોર્ગન સ્ટેનલી અને બેંક ઓફ ચાઈના જેવી અગ્રણી બેંકોથી પણ મોટી બની ગઈ છે. HDFC બેંક દુનિયાની સોથી મોટી ઋણદાતા કંપની બની ગઈ છે.


7 બેંકોના ક્લબમાં મેળવ્યું સ્થાન


HDFC બેંક જેપી મોર્ગન ( 438 બિલિયન ડોલર), બેંક ઓફ અમેરિકા (232 બિલિયન  ડોલર), ચીનની ICBC ( 224 બિલિયન ડોલર), એગ્રીકલ્ચરલ બેંક ઑફ ચાઇના ( 171 બિલિયન  ડોલર), વેલ્સ ફાર્ગો ( 163 બિલિયન  ડોલર) અને HSBC ( 160 બિલિયન  ડોલર) થી પાછળ છે. મર્જ થયેલી એન્ટિટી તરીકે, એચડીએફસી બેંક વૈશ્વિક રોકાણ કંપનીઓ મોર્ગન સ્ટેનલી ( 143 બિલિયન  ડોલર) અને ગોલ્ડમેન સૅક્સ ( 108 બિલિયન  ડોલર) કરતાં વધુ એમ-કેપ ધરાવે છે.


HDFC બેંકનો નફો વધ્યો


પ્રાઈવેટ સેક્ટરના HDFC બેંકે ચાલુ નાણાકિય વર્ષના પરિણામો જાહેર કર્યા છે. HDFC બેંકના નફામાં 30%નો વધારો, જૂન ક્વાર્ટરના આંકડા જાહેર થયા. HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરના પરિણામો અનુસાર, કંપનીના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 30 ટકાનો વધારો થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11,952 કરોડ રહ્યો છે, જે બજારના અનુમાન કરતાં રૂ. 11,000 વધુ છે. વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં HDFC બેન્કની આવક પણ વાર્ષિક ધોરણે 39 ટકાની વૃદ્ધિ નોંધાવી છે અને તે વધીને રૂ. 57,817 કરોડ થઈ છે.



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.