રાજ્યમાં 27 ડિસેમ્બરથી મોકડ્રીલ અને એરપોર્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ


  • Published By :
  • Published Date : 2022-12-23 21:01:23

ચીનમાં લાખો લોકોને સંક્રમિત કોરોનાના સબ વેરિયેન્ટ BF.7થી સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાથી ભયનો માહોલ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દેશના વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક યોજી હતી ત્યાર બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કોરોનાને લઈ સરકારની તૈયારીઓ અંગે વિવિધ માહિતી આપી હતી.


કોરોના અંગે ઋષિકેશ પટેલે શું કહ્યું?


રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોરોનાના વિવિધ વેરિયન્ટ અને વિવિધ દેશોમાં જે પ્રમાણે કેસો વધી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, જેને લઈ આપણે કેન્દ્ર સરકારની એડવાઈજરીને ફોલા કરવાની રહેશે, એરપોર્ટ જેવા સ્થળો પર આપણે સઘન ટેસ્ટીંગ ચાલું કર્યું છે અને જ્યાં થર્મલ ચેકિંગ ફરજિયાત કરી દીધું છે. આરોગ્ય મંત્રી જણાવ્યું કે, કેન્દ્રની મદદ બાબતે ચર્ચા થઈ છે તેમણે કહ્યું કે, થર્મલ સ્ક્રિનીંગ ફરજીયાત કર્યું છે, અમદાવાદ, સુરત એરપોર્ટ પર ટેસ્ટિંગ માટે વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે તેમણે કહ્યું કે, ચીન, દક્ષિણ અમેરિકામાં દેખાતા વેરિએન્ટના 4 કેસ ભારતમાં હતા તેમજ ગુજરાતમા ત્રણ કેસ હતા જે બધા સાજા થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, માસ્ક સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું જોઈએ અને જેમણે પ્રિકોશન ડોઝ નથી લીધા તેઓ લઈ લે અને જલ્દી પ્રિકોશન ડોઝ માટે ખાસ ડ્રાઈવ શરૂ થશે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પ્રિકોશન ડોઝ માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરશે. તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં 27 ડિસેમ્બરે મોકડ્રીલ કરશુ અને વેંટિલેટર સહીતની મશીનરીની તપાસ થશે તેમજ પીએસએ પ્લાન્ટ મશીનરીની ચકાસણી તાલુક કક્ષાએ થશે.


પ્રમુખસ્વામી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અંગે ચર્ચા


આ બેઠકમાં અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામીનગરમાં હાલમાં લાખોની સંખ્યામાં લોકો દેશ અને વિદેશથી આવી રહ્યા છે. જેથી ભારે ભીડ જોવા મળી રહી છે. તેથી તકેદારીના ભાગ રૂપે ચર્ચામાં કરવામાં આવી હતી.  અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ સહિતના કાર્યક્રમો અંગે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો અંગે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ સાથે કાર્યક્રમ કેવી રીતે ક્યાં સમયે કરવો તેની ચર્ચા ચાલી રહી છે. નવા વેરિયન્ટના ફેલાવા અને ઘાતકતા અંગેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.