રાજ્યમાં 27 ડિસેમ્બરથી મોકડ્રીલ અને એરપોર્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ


  • Published By :
  • Published Date : 2022-12-23 21:01:23

ચીનમાં લાખો લોકોને સંક્રમિત કોરોનાના સબ વેરિયેન્ટ BF.7થી સમગ્ર વિશ્વમાં હાહાકાર છે. હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાથી ભયનો માહોલ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દેશના વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક યોજી હતી ત્યાર બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કોરોનાને લઈ સરકારની તૈયારીઓ અંગે વિવિધ માહિતી આપી હતી.


કોરોના અંગે ઋષિકેશ પટેલે શું કહ્યું?


રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોરોનાના વિવિધ વેરિયન્ટ અને વિવિધ દેશોમાં જે પ્રમાણે કેસો વધી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે આપણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, જેને લઈ આપણે કેન્દ્ર સરકારની એડવાઈજરીને ફોલા કરવાની રહેશે, એરપોર્ટ જેવા સ્થળો પર આપણે સઘન ટેસ્ટીંગ ચાલું કર્યું છે અને જ્યાં થર્મલ ચેકિંગ ફરજિયાત કરી દીધું છે. આરોગ્ય મંત્રી જણાવ્યું કે, કેન્દ્રની મદદ બાબતે ચર્ચા થઈ છે તેમણે કહ્યું કે, થર્મલ સ્ક્રિનીંગ ફરજીયાત કર્યું છે, અમદાવાદ, સુરત એરપોર્ટ પર ટેસ્ટિંગ માટે વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે તેમણે કહ્યું કે, ચીન, દક્ષિણ અમેરિકામાં દેખાતા વેરિએન્ટના 4 કેસ ભારતમાં હતા તેમજ ગુજરાતમા ત્રણ કેસ હતા જે બધા સાજા થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, માસ્ક સોશિયલ ડિસ્ટંસનું પાલન કરવું જોઈએ અને જેમણે પ્રિકોશન ડોઝ નથી લીધા તેઓ લઈ લે અને જલ્દી પ્રિકોશન ડોઝ માટે ખાસ ડ્રાઈવ શરૂ થશે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પ્રિકોશન ડોઝ માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરશે. તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં 27 ડિસેમ્બરે મોકડ્રીલ કરશુ અને વેંટિલેટર સહીતની મશીનરીની તપાસ થશે તેમજ પીએસએ પ્લાન્ટ મશીનરીની ચકાસણી તાલુક કક્ષાએ થશે.


પ્રમુખસ્વામી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અંગે ચર્ચા


આ બેઠકમાં અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામીનગરમાં હાલમાં લાખોની સંખ્યામાં લોકો દેશ અને વિદેશથી આવી રહ્યા છે. જેથી ભારે ભીડ જોવા મળી રહી છે. તેથી તકેદારીના ભાગ રૂપે ચર્ચામાં કરવામાં આવી હતી.  અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલ સહિતના કાર્યક્રમો અંગે આરોગ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવા કાર્યક્રમો અંગે ચર્ચા ચાલી રહી છે. અધિકારીઓ સાથે કાર્યક્રમ કેવી રીતે ક્યાં સમયે કરવો તેની ચર્ચા ચાલી રહી છે. નવા વેરિયન્ટના ફેલાવા અને ઘાતકતા અંગેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.