રાજ્યમાં ક્રિકેટ રમતા-રમતા વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-03-19 15:25:35

રાજ્યમાં કોરાના કાળ બાદ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ક્રિકેટ, ફુટબોલ રમતા-રમતા કે પછી સામાજીક પ્રસંગોએ ડાન્સ કરતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે તે સમાજ માટે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા વખતે હાર્ટ ઍટેકથી અકાળે નિધન થયું છે.


ક્રિકેટ રમતા-રમતા મૃત્યુ


મયુર મકવાણા રવિવારની રજા હોવાથી મિત્રો સાથે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. જો કે કોને ખબર કે આ તેમની જિંદગીની આખરી ઈનિંગ હશે. મેદાનમાં ક્રિકેટ રમતી વખતે 45 વર્ષીય મયુર મકવાણા અચાનક ઢળી પડ્યા હતા. મયુરને 108 મારફતે પહેલાં ગિરીરાજ હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ત્યાંથી બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.


નિર્વ્યસની મયુરના મોતથી શોક


મયુર મકવાણા રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતા હતા, તેમને કોઈ જાતની બિમારી કે વ્યસન નહોતું. સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મયુર મકવાણાના પરિવારમાં તેમની પત્ની, એક દીકરો અને એક દીકરી છે. ઘટનાની જાણ થતા પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મયુરભાઈના મોતથી હોસ્પિટલમાં હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.