રાજ્યમાં ક્રિકેટ રમતા-રમતા વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-03-19 15:25:35

રાજ્યમાં કોરાના કાળ બાદ યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ક્રિકેટ, ફુટબોલ રમતા-રમતા કે પછી સામાજીક પ્રસંગોએ ડાન્સ કરતા યુવાનો મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે તે સમાજ માટે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા વખતે હાર્ટ ઍટેકથી અકાળે નિધન થયું છે.


ક્રિકેટ રમતા-રમતા મૃત્યુ


મયુર મકવાણા રવિવારની રજા હોવાથી મિત્રો સાથે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયા હતા. જો કે કોને ખબર કે આ તેમની જિંદગીની આખરી ઈનિંગ હશે. મેદાનમાં ક્રિકેટ રમતી વખતે 45 વર્ષીય મયુર મકવાણા અચાનક ઢળી પડ્યા હતા. મયુરને 108 મારફતે પહેલાં ગિરીરાજ હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ત્યાંથી બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.


નિર્વ્યસની મયુરના મોતથી શોક


મયુર મકવાણા રેગ્યુલર ક્રિકેટ મેચ રમવા જતા હતા, તેમને કોઈ જાતની બિમારી કે વ્યસન નહોતું. સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મયુર મકવાણાના પરિવારમાં તેમની પત્ની, એક દીકરો અને એક દીકરી છે. ઘટનાની જાણ થતા પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. મયુરભાઈના મોતથી હોસ્પિટલમાં હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.