સુરત અને રાજકોટમાં બે યુવકોનું હાર્ટ એટેકથી મોત, મોતનું કારણ ક્રિકેટ?


  • Published By :
  • Published Date : 2023-02-19 13:52:37

રાજ્યમાં યુવાન વયે હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. શારીરિક રીતે ફિટ રહેવા માંગતા યુવાનો ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો રમે છે જો કે રાજ્યમાં આજે હ્રદય રોગના હુમલામાં બે યુવાનોનું મોત ક્રિકેટ રમતા-રમતા જ થયું છે. આજે સુરત અને રાજકોટમાં એક-એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા મૃતકના પરિવાર પર તો આભ તુટી પડ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો રમતા-રમતા મોત થયાની રાજ્યમાં 20 દિવસમાં આ 6ઠ્ઠી ઘટના બની છે,  5 યુવાનોના ક્રિકેટ રમતા કે રમ્યા પછી મોત થયા છે જ્યારે  રાજકોટમાં એક યુવકનું ફૂટબોલ રમતી વખતે મોત થયું હતું.


સુરતમાં પ્રશાંત ભારોલીયા નામના યુવકનું મૃત્યું


સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો 27 વર્ષીય યુવક પ્રશાંત કાંતિભાઈ ભારોલીયાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.પ્રશાંત ભારોલીયા મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી. જેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રશાંત ભારોલીયા કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને પરિવારને મળવા માટે કેનેડાથી સુરત આવ્યો હતો. 


રાજકોટમાં જીજ્ઞેશ જિંદગીની મેચ હારી ગયો


રાજકોટના જાણીતા માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં 31 વર્ષીય જીજ્ઞેશ ચૌહાણ મેચ રમતો હતો અને અચાનક હાર્ટ એટેક આવતા ફસડાઈ પડ્યો હતો. ટીમ વતી 30 રનની ઇનિંગ રમ્યા બાદ આઉટ થઈને જીજ્ઞેશ ખુરશી પર બેઠો હતો. ત્યારે જ અચાનક એકસાથે ત્રણ એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. મિત્રોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પણ તબીબો તેનો જીવ બચાવી શક્યા નહોતા. જીજ્ઞેશ ચૌહાણને સંતાનમાં બે વર્ષની દીકરી છે. જીજ્ઞેશના મોતથી પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હ્રદયદ્રાવક વિલાપ કર્યો હતો. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.