સુરત અને રાજકોટમાં બે યુવકોનું હાર્ટ એટેકથી મોત, મોતનું કારણ ક્રિકેટ?


  • Published By :
  • Published Date : 2023-02-19 13:52:37

રાજ્યમાં યુવાન વયે હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. શારીરિક રીતે ફિટ રહેવા માંગતા યુવાનો ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો રમે છે જો કે રાજ્યમાં આજે હ્રદય રોગના હુમલામાં બે યુવાનોનું મોત ક્રિકેટ રમતા-રમતા જ થયું છે. આજે સુરત અને રાજકોટમાં એક-એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા મૃતકના પરિવાર પર તો આભ તુટી પડ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો રમતા-રમતા મોત થયાની રાજ્યમાં 20 દિવસમાં આ 6ઠ્ઠી ઘટના બની છે,  5 યુવાનોના ક્રિકેટ રમતા કે રમ્યા પછી મોત થયા છે જ્યારે  રાજકોટમાં એક યુવકનું ફૂટબોલ રમતી વખતે મોત થયું હતું.


સુરતમાં પ્રશાંત ભારોલીયા નામના યુવકનું મૃત્યું


સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો 27 વર્ષીય યુવક પ્રશાંત કાંતિભાઈ ભારોલીયાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.પ્રશાંત ભારોલીયા મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી. જેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રશાંત ભારોલીયા કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને પરિવારને મળવા માટે કેનેડાથી સુરત આવ્યો હતો. 


રાજકોટમાં જીજ્ઞેશ જિંદગીની મેચ હારી ગયો


રાજકોટના જાણીતા માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં 31 વર્ષીય જીજ્ઞેશ ચૌહાણ મેચ રમતો હતો અને અચાનક હાર્ટ એટેક આવતા ફસડાઈ પડ્યો હતો. ટીમ વતી 30 રનની ઇનિંગ રમ્યા બાદ આઉટ થઈને જીજ્ઞેશ ખુરશી પર બેઠો હતો. ત્યારે જ અચાનક એકસાથે ત્રણ એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. મિત્રોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પણ તબીબો તેનો જીવ બચાવી શક્યા નહોતા. જીજ્ઞેશ ચૌહાણને સંતાનમાં બે વર્ષની દીકરી છે. જીજ્ઞેશના મોતથી પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હ્રદયદ્રાવક વિલાપ કર્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.