સુરત અને રાજકોટમાં બે યુવકોનું હાર્ટ એટેકથી મોત, મોતનું કારણ ક્રિકેટ?


  • Published By :
  • Published Date : 2023-02-19 13:52:37

રાજ્યમાં યુવાન વયે હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. શારીરિક રીતે ફિટ રહેવા માંગતા યુવાનો ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો રમે છે જો કે રાજ્યમાં આજે હ્રદય રોગના હુમલામાં બે યુવાનોનું મોત ક્રિકેટ રમતા-રમતા જ થયું છે. આજે સુરત અને રાજકોટમાં એક-એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા મૃતકના પરિવાર પર તો આભ તુટી પડ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ક્રિકેટ અને ફુટબોલ જેવી રમતો રમતા-રમતા મોત થયાની રાજ્યમાં 20 દિવસમાં આ 6ઠ્ઠી ઘટના બની છે,  5 યુવાનોના ક્રિકેટ રમતા કે રમ્યા પછી મોત થયા છે જ્યારે  રાજકોટમાં એક યુવકનું ફૂટબોલ રમતી વખતે મોત થયું હતું.


સુરતમાં પ્રશાંત ભારોલીયા નામના યુવકનું મૃત્યું


સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો 27 વર્ષીય યુવક પ્રશાંત કાંતિભાઈ ભારોલીયાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.પ્રશાંત ભારોલીયા મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી. જેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રશાંત ભારોલીયા કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને પરિવારને મળવા માટે કેનેડાથી સુરત આવ્યો હતો. 


રાજકોટમાં જીજ્ઞેશ જિંદગીની મેચ હારી ગયો


રાજકોટના જાણીતા માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં 31 વર્ષીય જીજ્ઞેશ ચૌહાણ મેચ રમતો હતો અને અચાનક હાર્ટ એટેક આવતા ફસડાઈ પડ્યો હતો. ટીમ વતી 30 રનની ઇનિંગ રમ્યા બાદ આઉટ થઈને જીજ્ઞેશ ખુરશી પર બેઠો હતો. ત્યારે જ અચાનક એકસાથે ત્રણ એટેક આવતા તે ખુરશી પરથી ઢળી પડ્યો હતો. મિત્રોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પણ તબીબો તેનો જીવ બચાવી શક્યા નહોતા. જીજ્ઞેશ ચૌહાણને સંતાનમાં બે વર્ષની દીકરી છે. જીજ્ઞેશના મોતથી પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હ્રદયદ્રાવક વિલાપ કર્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.