હાર્ટ એટેકે લીધો યુવાનનો ભોગ! સાફો બાંધતી વખતે બગડી વરરાજાની તબિયત, નીચે પડ્યો પરંતુ ફરી ન ઉઠી શક્યો, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-05-31 16:56:54

કોરોના મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જીમમાં કસરત કરતી વખતે તો કોઈ ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સીબીએસસીમાં દીકરાના સારા માર્ક્સ આવવાની ખુશી માતા માટે જીવલેણ સાબિત થઈ હતી. ત્યારે ઉત્તરપ્રદેશથી એક સમાચાર આવ્યા જેમાં તૈયાર થઈ રહેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો. પરિવારના સભ્યો વરરાજાને હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. 


ડાન્સ કરતા કરતા કાકાને આવ્યો હતો એટેક!

કાળને કોઈ જાણી શકતું નથી. મોત ક્યારે આવશે તેની જાણ કોઈને હોતી નથી. અણધારી રીતે લોકો દુનિયાથી વિદાય લઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જાય છે. થોડા સમય પહેલા છત્તીસગઢના બોલોદથી એક ઘટના સામે આવી હતી જેમાં ભત્રીજીના લગ્નમાં નાચતા કાકા ડાન્સ કરતા કરતા મોતને વ્હાલા થઈ ગયા. સ્ટેજ પર બેઠા અને અચાનક ઢળી પડ્યા. તપાસ બાદ જાણ થઈ કે હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત થયું હતું. તે સિવાય કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. 


જાન માટે તૈયાર થતાં વરરાજાને આવ્યો હાર્ટ એટેક!

ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં જાન માટે તૈયાર થઈ રહેલા વરરાજાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બહરાઈચના અટવા ગામની 29મેની છે. જાન જવાની તૈયારી થઈ રહી હતી. વરરાજા તૈયાર થઈ રહ્યા હતા. વરરાજાએ દુલ્હાના કપડા પણ પહેરી રહ્યા હતા અને તે દરમિયાન તેમની તબિયત બગડી અને તે નીચે પડી ગયા. હોસ્પિટલ પણ તેમને ખસેડવામાં આવ્યા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. ડોક્ટરે જણાવ્યું કે રાજકમલનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ખુશીની ક્ષણ માતમમાં ફેરવાઈ ગઈ હતી.      

    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.