હાર્ટ એટેકે લીધો યુવાનનો ભોગ! સાફો બાંધતી વખતે બગડી વરરાજાની તબિયત, નીચે પડ્યો પરંતુ ફરી ન ઉઠી શક્યો, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-05-31 16:56:54

કોરોના મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જીમમાં કસરત કરતી વખતે તો કોઈ ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સીબીએસસીમાં દીકરાના સારા માર્ક્સ આવવાની ખુશી માતા માટે જીવલેણ સાબિત થઈ હતી. ત્યારે ઉત્તરપ્રદેશથી એક સમાચાર આવ્યા જેમાં તૈયાર થઈ રહેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો. પરિવારના સભ્યો વરરાજાને હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. 


ડાન્સ કરતા કરતા કાકાને આવ્યો હતો એટેક!

કાળને કોઈ જાણી શકતું નથી. મોત ક્યારે આવશે તેની જાણ કોઈને હોતી નથી. અણધારી રીતે લોકો દુનિયાથી વિદાય લઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જાય છે. થોડા સમય પહેલા છત્તીસગઢના બોલોદથી એક ઘટના સામે આવી હતી જેમાં ભત્રીજીના લગ્નમાં નાચતા કાકા ડાન્સ કરતા કરતા મોતને વ્હાલા થઈ ગયા. સ્ટેજ પર બેઠા અને અચાનક ઢળી પડ્યા. તપાસ બાદ જાણ થઈ કે હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત થયું હતું. તે સિવાય કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. 


જાન માટે તૈયાર થતાં વરરાજાને આવ્યો હાર્ટ એટેક!

ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં જાન માટે તૈયાર થઈ રહેલા વરરાજાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બહરાઈચના અટવા ગામની 29મેની છે. જાન જવાની તૈયારી થઈ રહી હતી. વરરાજા તૈયાર થઈ રહ્યા હતા. વરરાજાએ દુલ્હાના કપડા પણ પહેરી રહ્યા હતા અને તે દરમિયાન તેમની તબિયત બગડી અને તે નીચે પડી ગયા. હોસ્પિટલ પણ તેમને ખસેડવામાં આવ્યા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. ડોક્ટરે જણાવ્યું કે રાજકમલનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ખુશીની ક્ષણ માતમમાં ફેરવાઈ ગઈ હતી.      

    



અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .