હાર્ટ એટેકે લીધો યુવાનનો ભોગ! સાફો બાંધતી વખતે બગડી વરરાજાની તબિયત, નીચે પડ્યો પરંતુ ફરી ન ઉઠી શક્યો, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-05-31 16:56:54

કોરોના મહામારી બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જીમમાં કસરત કરતી વખતે તો કોઈ ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં સીબીએસસીમાં દીકરાના સારા માર્ક્સ આવવાની ખુશી માતા માટે જીવલેણ સાબિત થઈ હતી. ત્યારે ઉત્તરપ્રદેશથી એક સમાચાર આવ્યા જેમાં તૈયાર થઈ રહેલા વરરાજાને હાર્ટ એટેક આવ્યો. પરિવારના સભ્યો વરરાજાને હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. 


ડાન્સ કરતા કરતા કાકાને આવ્યો હતો એટેક!

કાળને કોઈ જાણી શકતું નથી. મોત ક્યારે આવશે તેની જાણ કોઈને હોતી નથી. અણધારી રીતે લોકો દુનિયાથી વિદાય લઈ રહ્યા છે. હાર્ટ એટેક આવવાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ જાય છે. થોડા સમય પહેલા છત્તીસગઢના બોલોદથી એક ઘટના સામે આવી હતી જેમાં ભત્રીજીના લગ્નમાં નાચતા કાકા ડાન્સ કરતા કરતા મોતને વ્હાલા થઈ ગયા. સ્ટેજ પર બેઠા અને અચાનક ઢળી પડ્યા. તપાસ બાદ જાણ થઈ કે હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત થયું હતું. તે સિવાય કોઈ યોગા કરતા કરતા, કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. 


જાન માટે તૈયાર થતાં વરરાજાને આવ્યો હાર્ટ એટેક!

ત્યારે એક ઘટના સામે આવી છે જેમાં જાન માટે તૈયાર થઈ રહેલા વરરાજાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બહરાઈચના અટવા ગામની 29મેની છે. જાન જવાની તૈયારી થઈ રહી હતી. વરરાજા તૈયાર થઈ રહ્યા હતા. વરરાજાએ દુલ્હાના કપડા પણ પહેરી રહ્યા હતા અને તે દરમિયાન તેમની તબિયત બગડી અને તે નીચે પડી ગયા. હોસ્પિટલ પણ તેમને ખસેડવામાં આવ્યા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. ડોક્ટરે જણાવ્યું કે રાજકમલનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ખુશીની ક્ષણ માતમમાં ફેરવાઈ ગઈ હતી.      

    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.