યુપી-બિહારમાં કાળઝાળ ગરમી અને લૂનો કહેર, 4 દિવસમાં 117 લોકોના મોતથી હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-06-20 17:25:24

ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા 4 દિવસમાં ગરમીના કારણે મોતનો આંકડો 100ના આંકડાને વટાવીને 117ને પાર થઈ ગયો છે, આટલા મોટા પ્રમાણમાં લોકોના મોતથી હોબાળો મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. લૂથી બિમાર લોકો માટે હોસ્પિટલોમાં અલગ હીટસ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યા છે.


બલિયામાં લૂનો કહેર યથાવત 


યુપીના બલિયામાં ભયાનક લૂનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લા હોસ્પિટલમાં વધુ  14 દર્દીઓ ગરમીથી સંબંધિત બિમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે, 15 જૂનથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 68 થઈ ગયો છે.


CM યોગી આદિત્યનાથે તંત્રને આપ્યા આદેશ


સરકાર દ્વારા નિયુક્ત કમિટીએ બાંસડીહ અને ગરવાર બ્લોકના ગામોની મુલાકાત લીધી હતી, જ્યાંથી સૌથી વધુ જાનહાનિ નોંધાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને બીમાર પડેલા લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને પીવાના પાણી અને વીજળીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.