યુપી-બિહારમાં કાળઝાળ ગરમી અને લૂનો કહેર, 4 દિવસમાં 117 લોકોના મોતથી હાહાકાર


  • Published By :
  • Published Date : 2023-06-20 17:25:24

ઉત્તર પ્રદેશ અને બિહારમાં છેલ્લા 4 દિવસમાં ગરમીના કારણે મોતનો આંકડો 100ના આંકડાને વટાવીને 117ને પાર થઈ ગયો છે, આટલા મોટા પ્રમાણમાં લોકોના મોતથી હોબાળો મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. લૂથી બિમાર લોકો માટે હોસ્પિટલોમાં અલગ હીટસ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યા છે.


બલિયામાં લૂનો કહેર યથાવત 


યુપીના બલિયામાં ભયાનક લૂનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લા હોસ્પિટલમાં વધુ  14 દર્દીઓ ગરમીથી સંબંધિત બિમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે, 15 જૂનથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 68 થઈ ગયો છે.


CM યોગી આદિત્યનાથે તંત્રને આપ્યા આદેશ


સરકાર દ્વારા નિયુક્ત કમિટીએ બાંસડીહ અને ગરવાર બ્લોકના ગામોની મુલાકાત લીધી હતી, જ્યાંથી સૌથી વધુ જાનહાનિ નોંધાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને બીમાર પડેલા લોકોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને પીવાના પાણી અને વીજળીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.