હિટવેવની એલર્ટ સાથે કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, ગરમીની સીઝનમાં વકરતા રોગચાળા અંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-02-28 17:03:06

દેશમાંથી શિયાળાની વિદાય બાદ હવે ધીરે-ધીરે તાપમાન વધી રહ્યું છે, જો  કે આ વખતે ફેબ્રુઆરીમાં જ તાપમાનના અનેક રેકોર્ડ તુટવાનું શરૂ થઈ ગયું છે. લોકો હવે ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને ગરમીની સીઝનમાં વકરતી બિમારીઓને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમણે તમામ રાજ્યોને નેશનલ એક્શન પ્લાન પર ધ્યાન આપવા માટે કહ્યું છે. 


કેન્દ્રએ પત્રમાં શું સુચનો કર્યા?


કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે હવે દેશભરમાં ગરમીનો પારો હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિમાં, ગરમીથી થતાં રોગો પણ વધવા માંડશે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ પહેલાથી જ તમામ રાજ્યોને ચેતવણી આપી છે.


આરોગ્ય સચિવ  રાજેશ ભૂષણે કહ્યું કે ગ્લોબલ વોર્મિગ અને માનવ સ્વાસ્થ્ય પર રાષ્ટ્રિય કાર્યક્રમ (NPCCHH) હેઠળ તમામ રાજ્યોમાં દૈનિક નિરિક્ષણ કરવામાં આવે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ અસરકારક તૈયારીઓ માટે તમામ જિલ્લાઓમાં ખાસ આયોજન કરવા માટે કહ્યું છે.  


આ પત્રમાં જણાવાયું છે કે 1 માર્ચ, 2023 સુધી, તમામ રાજ્યો અને જિલ્લાઓમાં હવામાન પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય અંગેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ, ગરમીથી સંબંધિત રોગો પર દૈનિક દેખરેખ એકીકૃત આરોગ્ય માહિતી ફોરમ (આઇઆઇપી) ખાતે યોજાશે.


એક્શન પ્લાન બનાવવા પર ભાર


NPCCHH,NCDC,આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોમાં મોકલેલા આ પત્રમાં હીટવેવની આગાહી દર્શાવે છે. તમામ રાજ્યોમાં, જિલ્લા અને શહેરના આરોગ્ય વિભાગોને ગરમીથી સંબંધિત આરોગ્ય એક્શન પ્લાનને ફરીથી રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આની સાથે, રાજ્યના આરોગ્ય વિભાગોને તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, જમીની સ્તરના કામદારોને ગરમીથી થતા રોગો, તેની ઝડપથી ઓળખ અને સંચાલન પ્રત્યે સંવેદનશીલ રાખવા અને ક્ષમતા વધારવાના પ્રયત્નો ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે.


દવાઓનો સ્ટોક રાખવા સુચના


કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં આરોગ્ય વિભાગને બધી જરૂરી દવાઓ, ઇન્ટ્રાવેનસ ફ્લૂડ, આઇસ પેક, ઓઆરએસ અને બધી જરૂરી વસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા માટે સૂચના આપવામાં આવી છે. આરોગ્ય સુવિધાની તૈયારીઓની સમીક્ષા કરવી જોઈએ. બધી આરોગ્ય સુવિધાઓને પણ પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધતા માટે કહેવામાં આવ્યું છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.