હિટવેવની એલર્ટ સાથે કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, ગરમીની સીઝનમાં વકરતા રોગચાળા અંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-02-28 17:03:06

દેશમાંથી શિયાળાની વિદાય બાદ હવે ધીરે-ધીરે તાપમાન વધી રહ્યું છે, જો  કે આ વખતે ફેબ્રુઆરીમાં જ તાપમાનના અનેક રેકોર્ડ તુટવાનું શરૂ થઈ ગયું છે. લોકો હવે ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને ગરમીની સીઝનમાં વકરતી બિમારીઓને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમણે તમામ રાજ્યોને નેશનલ એક્શન પ્લાન પર ધ્યાન આપવા માટે કહ્યું છે. 


કેન્દ્રએ પત્રમાં શું સુચનો કર્યા?


કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે હવે દેશભરમાં ગરમીનો પારો હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિમાં, ગરમીથી થતાં રોગો પણ વધવા માંડશે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ પહેલાથી જ તમામ રાજ્યોને ચેતવણી આપી છે.


આરોગ્ય સચિવ  રાજેશ ભૂષણે કહ્યું કે ગ્લોબલ વોર્મિગ અને માનવ સ્વાસ્થ્ય પર રાષ્ટ્રિય કાર્યક્રમ (NPCCHH) હેઠળ તમામ રાજ્યોમાં દૈનિક નિરિક્ષણ કરવામાં આવે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ અસરકારક તૈયારીઓ માટે તમામ જિલ્લાઓમાં ખાસ આયોજન કરવા માટે કહ્યું છે.  


આ પત્રમાં જણાવાયું છે કે 1 માર્ચ, 2023 સુધી, તમામ રાજ્યો અને જિલ્લાઓમાં હવામાન પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય અંગેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ, ગરમીથી સંબંધિત રોગો પર દૈનિક દેખરેખ એકીકૃત આરોગ્ય માહિતી ફોરમ (આઇઆઇપી) ખાતે યોજાશે.


એક્શન પ્લાન બનાવવા પર ભાર


NPCCHH,NCDC,આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોમાં મોકલેલા આ પત્રમાં હીટવેવની આગાહી દર્શાવે છે. તમામ રાજ્યોમાં, જિલ્લા અને શહેરના આરોગ્ય વિભાગોને ગરમીથી સંબંધિત આરોગ્ય એક્શન પ્લાનને ફરીથી રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આની સાથે, રાજ્યના આરોગ્ય વિભાગોને તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, જમીની સ્તરના કામદારોને ગરમીથી થતા રોગો, તેની ઝડપથી ઓળખ અને સંચાલન પ્રત્યે સંવેદનશીલ રાખવા અને ક્ષમતા વધારવાના પ્રયત્નો ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે.


દવાઓનો સ્ટોક રાખવા સુચના


કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં આરોગ્ય વિભાગને બધી જરૂરી દવાઓ, ઇન્ટ્રાવેનસ ફ્લૂડ, આઇસ પેક, ઓઆરએસ અને બધી જરૂરી વસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા માટે સૂચના આપવામાં આવી છે. આરોગ્ય સુવિધાની તૈયારીઓની સમીક્ષા કરવી જોઈએ. બધી આરોગ્ય સુવિધાઓને પણ પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધતા માટે કહેવામાં આવ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.