હિટવેવની એલર્ટ સાથે કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, ગરમીની સીઝનમાં વકરતા રોગચાળા અંગે આપી ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-02-28 17:03:06

દેશમાંથી શિયાળાની વિદાય બાદ હવે ધીરે-ધીરે તાપમાન વધી રહ્યું છે, જો  કે આ વખતે ફેબ્રુઆરીમાં જ તાપમાનના અનેક રેકોર્ડ તુટવાનું શરૂ થઈ ગયું છે. લોકો હવે ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને ગરમીની સીઝનમાં વકરતી બિમારીઓને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમણે તમામ રાજ્યોને નેશનલ એક્શન પ્લાન પર ધ્યાન આપવા માટે કહ્યું છે. 


કેન્દ્રએ પત્રમાં શું સુચનો કર્યા?


કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહ્યું છે કે હવે દેશભરમાં ગરમીનો પારો હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિમાં, ગરમીથી થતાં રોગો પણ વધવા માંડશે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્રએ પહેલાથી જ તમામ રાજ્યોને ચેતવણી આપી છે.


આરોગ્ય સચિવ  રાજેશ ભૂષણે કહ્યું કે ગ્લોબલ વોર્મિગ અને માનવ સ્વાસ્થ્ય પર રાષ્ટ્રિય કાર્યક્રમ (NPCCHH) હેઠળ તમામ રાજ્યોમાં દૈનિક નિરિક્ષણ કરવામાં આવે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ અસરકારક તૈયારીઓ માટે તમામ જિલ્લાઓમાં ખાસ આયોજન કરવા માટે કહ્યું છે.  


આ પત્રમાં જણાવાયું છે કે 1 માર્ચ, 2023 સુધી, તમામ રાજ્યો અને જિલ્લાઓમાં હવામાન પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય અંગેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ, ગરમીથી સંબંધિત રોગો પર દૈનિક દેખરેખ એકીકૃત આરોગ્ય માહિતી ફોરમ (આઇઆઇપી) ખાતે યોજાશે.


એક્શન પ્લાન બનાવવા પર ભાર


NPCCHH,NCDC,આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોમાં મોકલેલા આ પત્રમાં હીટવેવની આગાહી દર્શાવે છે. તમામ રાજ્યોમાં, જિલ્લા અને શહેરના આરોગ્ય વિભાગોને ગરમીથી સંબંધિત આરોગ્ય એક્શન પ્લાનને ફરીથી રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આની સાથે, રાજ્યના આરોગ્ય વિભાગોને તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, જમીની સ્તરના કામદારોને ગરમીથી થતા રોગો, તેની ઝડપથી ઓળખ અને સંચાલન પ્રત્યે સંવેદનશીલ રાખવા અને ક્ષમતા વધારવાના પ્રયત્નો ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે.


દવાઓનો સ્ટોક રાખવા સુચના


કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં આરોગ્ય વિભાગને બધી જરૂરી દવાઓ, ઇન્ટ્રાવેનસ ફ્લૂડ, આઇસ પેક, ઓઆરએસ અને બધી જરૂરી વસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા માટે સૂચના આપવામાં આવી છે. આરોગ્ય સુવિધાની તૈયારીઓની સમીક્ષા કરવી જોઈએ. બધી આરોગ્ય સુવિધાઓને પણ પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધતા માટે કહેવામાં આવ્યું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.