સતત વધતો ગરમીનો પારો! દેશના અનેક રાજ્યો માટે કરાઈ હીટવેવની આગાહી,લૂ લાગવાને કારણે આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 08:47:18

દેશભરમાં આ વખતે ગરમીનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભલે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. હીટવેવની આગાહી દેશના અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમી પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. હિટવેવ તેમજ લૂ લાગવાને કારણે  ઉત્તરપ્રદેશ તેમજ બિહારમાં 100 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ તમિલનાડુ સહિતના રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. હીટવેવની આગાહી આ રાજ્યો માટે કરવામાં આવી છે.


હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે થયાં લોકોના મોત!

એક તરફ બિપોપરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમી જાનલેવા સાબિત થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ક્લાઈમેટ ચેન્જનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદ થયો હતો ત્યારે હવે ચોમાસાની સિઝનમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. દેશના એવા અનેક રાજ્યો છે જ્યાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ તેમજ બિહારમાંથી લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. બે રાજ્યોમાં અંદાજીત 100 જેટલા લોકોના મોત હિટવેવને કારણે થયા છે એ પણ માત્ર બે-ત્રણ દિવસની અંદર. 



અનેક રાજ્યો માટે એલર્ટ કરાયું છે જાહેર

એક અનુમાન પ્રમાણે ગરમી આ વખતે અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે તેવું મનાઈ રહ્યું હતું. ત્યારે આ વાત જાણે સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ભલે દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ ભીષણ ગરમીથી લોકોને રાહત નથી મળી. હીટ સ્ટ્રોક લોકો માટે મૂસીબત બની રહ્યું છે. વધતી ગરમીને જોતા દેશના અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીથી સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. 


ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસ્યો હતો વરસાદ

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. મહત્વનું છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મૂસળાધાર વરસાદ જોવા મળ્યો હતો જેને કારણે તારાજી સર્જાઈ હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.