સતત વધતો ગરમીનો પારો! દેશના અનેક રાજ્યો માટે કરાઈ હીટવેવની આગાહી,લૂ લાગવાને કારણે આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 08:47:18

દેશભરમાં આ વખતે ગરમીનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભલે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. હીટવેવની આગાહી દેશના અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમી પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. હિટવેવ તેમજ લૂ લાગવાને કારણે  ઉત્તરપ્રદેશ તેમજ બિહારમાં 100 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ તમિલનાડુ સહિતના રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. હીટવેવની આગાહી આ રાજ્યો માટે કરવામાં આવી છે.


હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે થયાં લોકોના મોત!

એક તરફ બિપોપરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમી જાનલેવા સાબિત થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ક્લાઈમેટ ચેન્જનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદ થયો હતો ત્યારે હવે ચોમાસાની સિઝનમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. દેશના એવા અનેક રાજ્યો છે જ્યાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ તેમજ બિહારમાંથી લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. બે રાજ્યોમાં અંદાજીત 100 જેટલા લોકોના મોત હિટવેવને કારણે થયા છે એ પણ માત્ર બે-ત્રણ દિવસની અંદર. 



અનેક રાજ્યો માટે એલર્ટ કરાયું છે જાહેર

એક અનુમાન પ્રમાણે ગરમી આ વખતે અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે તેવું મનાઈ રહ્યું હતું. ત્યારે આ વાત જાણે સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ભલે દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ ભીષણ ગરમીથી લોકોને રાહત નથી મળી. હીટ સ્ટ્રોક લોકો માટે મૂસીબત બની રહ્યું છે. વધતી ગરમીને જોતા દેશના અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીથી સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. 


ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસ્યો હતો વરસાદ

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. મહત્વનું છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મૂસળાધાર વરસાદ જોવા મળ્યો હતો જેને કારણે તારાજી સર્જાઈ હતી.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.