સતત વધતો ગરમીનો પારો! દેશના અનેક રાજ્યો માટે કરાઈ હીટવેવની આગાહી,લૂ લાગવાને કારણે આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 08:47:18

દેશભરમાં આ વખતે ગરમીનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભલે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. હીટવેવની આગાહી દેશના અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમી પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. હિટવેવ તેમજ લૂ લાગવાને કારણે  ઉત્તરપ્રદેશ તેમજ બિહારમાં 100 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ તમિલનાડુ સહિતના રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. હીટવેવની આગાહી આ રાજ્યો માટે કરવામાં આવી છે.


હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે થયાં લોકોના મોત!

એક તરફ બિપોપરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમી જાનલેવા સાબિત થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ક્લાઈમેટ ચેન્જનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદ થયો હતો ત્યારે હવે ચોમાસાની સિઝનમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. દેશના એવા અનેક રાજ્યો છે જ્યાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ તેમજ બિહારમાંથી લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. બે રાજ્યોમાં અંદાજીત 100 જેટલા લોકોના મોત હિટવેવને કારણે થયા છે એ પણ માત્ર બે-ત્રણ દિવસની અંદર. 



અનેક રાજ્યો માટે એલર્ટ કરાયું છે જાહેર

એક અનુમાન પ્રમાણે ગરમી આ વખતે અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે તેવું મનાઈ રહ્યું હતું. ત્યારે આ વાત જાણે સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ભલે દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ ભીષણ ગરમીથી લોકોને રાહત નથી મળી. હીટ સ્ટ્રોક લોકો માટે મૂસીબત બની રહ્યું છે. વધતી ગરમીને જોતા દેશના અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીથી સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. 


ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસ્યો હતો વરસાદ

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. મહત્વનું છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મૂસળાધાર વરસાદ જોવા મળ્યો હતો જેને કારણે તારાજી સર્જાઈ હતી.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.