સતત વધતો ગરમીનો પારો! દેશના અનેક રાજ્યો માટે કરાઈ હીટવેવની આગાહી,લૂ લાગવાને કારણે આટલા લોકોએ ગુમાવ્યા જીવ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-19 08:47:18

દેશભરમાં આ વખતે ગરમીનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભલે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. હીટવેવની આગાહી દેશના અનેક રાજ્યો માટે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમી પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. હિટવેવ તેમજ લૂ લાગવાને કારણે  ઉત્તરપ્રદેશ તેમજ બિહારમાં 100 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ તમિલનાડુ સહિતના રાજ્યોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. હીટવેવની આગાહી આ રાજ્યો માટે કરવામાં આવી છે.


હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે થયાં લોકોના મોત!

એક તરફ બિપોપરજોય વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમી જાનલેવા સાબિત થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ક્લાઈમેટ ચેન્જનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદ થયો હતો ત્યારે હવે ચોમાસાની સિઝનમાં કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. દેશના એવા અનેક રાજ્યો છે જ્યાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવ તેમજ લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ તેમજ બિહારમાંથી લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. બે રાજ્યોમાં અંદાજીત 100 જેટલા લોકોના મોત હિટવેવને કારણે થયા છે એ પણ માત્ર બે-ત્રણ દિવસની અંદર. 



અનેક રાજ્યો માટે એલર્ટ કરાયું છે જાહેર

એક અનુમાન પ્રમાણે ગરમી આ વખતે અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે તેવું મનાઈ રહ્યું હતું. ત્યારે આ વાત જાણે સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ભલે દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ ભીષણ ગરમીથી લોકોને રાહત નથી મળી. હીટ સ્ટ્રોક લોકો માટે મૂસીબત બની રહ્યું છે. વધતી ગરમીને જોતા દેશના અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીથી સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. 


ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસ્યો હતો વરસાદ

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. મહત્વનું છે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મૂસળાધાર વરસાદ જોવા મળ્યો હતો જેને કારણે તારાજી સર્જાઈ હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.