તમિલનાડુમાં ભારે વરસાદ, વિડીયો વાયરલ થયો જેમાં ભારે વરસાદ વચ્ચે મંદિરમાં લગ્ન કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-11 16:17:54

Indian Meterological Departmentએ ચેન્નાઈ તેમજ તમિલનાડુ માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જેને કારણે તમિલનાડુ સરકાર એલર્ટ જાહેર કરી દીધી છે. ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાના આદેશ અપાયા છે. પરંતુ લગ્નની સિઝન હોવાને કારણે અનેક લગ્નોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદ થવાને કારણે જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદના પાણીમાં લગ્ન માટે આવેલા કપલે લગ્નની વિધી સંપન્ન કરી હતી.

હાલ લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. અનેક લગ્નોના મુહુર્ત આ મહિનામાં છે. ત્યારે તમિલનાડુમાં ભારે વરસાદ પડવાની આગાહી Indian Meterological Department દ્વારા કરવામાં આવી છે. જેને કારણે લગ્નનું આયોજન કરનાર લોકોમાં ચિંતા છે. તમિલનાડુથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભરેલા પાણી વચ્ચે લગ્નની વિધી સંપન્ન કરી છે. મંદિરના દર્શને તેઓ ગયા હતા. લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાથી કરી દેવામાં આવી હોય છે. અંત સમયે લગ્નના કાર્યક્રમમાં ફેરફાર ન કરી શકાય તે માટે ભારે વરસાદ વચ્ચે લગ્ન કર્યા હતા.               




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.