તમિલનાડુમાં ભારે વરસાદ, વિડીયો વાયરલ થયો જેમાં ભારે વરસાદ વચ્ચે મંદિરમાં લગ્ન કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-11 16:17:54

Indian Meterological Departmentએ ચેન્નાઈ તેમજ તમિલનાડુ માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જેને કારણે તમિલનાડુ સરકાર એલર્ટ જાહેર કરી દીધી છે. ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાના આદેશ અપાયા છે. પરંતુ લગ્નની સિઝન હોવાને કારણે અનેક લગ્નોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદ થવાને કારણે જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદના પાણીમાં લગ્ન માટે આવેલા કપલે લગ્નની વિધી સંપન્ન કરી હતી.

હાલ લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. અનેક લગ્નોના મુહુર્ત આ મહિનામાં છે. ત્યારે તમિલનાડુમાં ભારે વરસાદ પડવાની આગાહી Indian Meterological Department દ્વારા કરવામાં આવી છે. જેને કારણે લગ્નનું આયોજન કરનાર લોકોમાં ચિંતા છે. તમિલનાડુથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભરેલા પાણી વચ્ચે લગ્નની વિધી સંપન્ન કરી છે. મંદિરના દર્શને તેઓ ગયા હતા. લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાથી કરી દેવામાં આવી હોય છે. અંત સમયે લગ્નના કાર્યક્રમમાં ફેરફાર ન કરી શકાય તે માટે ભારે વરસાદ વચ્ચે લગ્ન કર્યા હતા.               




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.