તમિલનાડુમાં ભારે વરસાદ, વિડીયો વાયરલ થયો જેમાં ભારે વરસાદ વચ્ચે મંદિરમાં લગ્ન કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-11 16:17:54

Indian Meterological Departmentએ ચેન્નાઈ તેમજ તમિલનાડુ માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જેને કારણે તમિલનાડુ સરકાર એલર્ટ જાહેર કરી દીધી છે. ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાના આદેશ અપાયા છે. પરંતુ લગ્નની સિઝન હોવાને કારણે અનેક લગ્નોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદ થવાને કારણે જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદના પાણીમાં લગ્ન માટે આવેલા કપલે લગ્નની વિધી સંપન્ન કરી હતી.

હાલ લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. અનેક લગ્નોના મુહુર્ત આ મહિનામાં છે. ત્યારે તમિલનાડુમાં ભારે વરસાદ પડવાની આગાહી Indian Meterological Department દ્વારા કરવામાં આવી છે. જેને કારણે લગ્નનું આયોજન કરનાર લોકોમાં ચિંતા છે. તમિલનાડુથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભરેલા પાણી વચ્ચે લગ્નની વિધી સંપન્ન કરી છે. મંદિરના દર્શને તેઓ ગયા હતા. લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાથી કરી દેવામાં આવી હોય છે. અંત સમયે લગ્નના કાર્યક્રમમાં ફેરફાર ન કરી શકાય તે માટે ભારે વરસાદ વચ્ચે લગ્ન કર્યા હતા.               




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.