તમિલનાડુમાં ભારે વરસાદ, વિડીયો વાયરલ થયો જેમાં ભારે વરસાદ વચ્ચે મંદિરમાં લગ્ન કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-11 16:17:54

Indian Meterological Departmentએ ચેન્નાઈ તેમજ તમિલનાડુ માટે ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જેને કારણે તમિલનાડુ સરકાર એલર્ટ જાહેર કરી દીધી છે. ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાના આદેશ અપાયા છે. પરંતુ લગ્નની સિઝન હોવાને કારણે અનેક લગ્નોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદ થવાને કારણે જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદના પાણીમાં લગ્ન માટે આવેલા કપલે લગ્નની વિધી સંપન્ન કરી હતી.

હાલ લગ્નની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. અનેક લગ્નોના મુહુર્ત આ મહિનામાં છે. ત્યારે તમિલનાડુમાં ભારે વરસાદ પડવાની આગાહી Indian Meterological Department દ્વારા કરવામાં આવી છે. જેને કારણે લગ્નનું આયોજન કરનાર લોકોમાં ચિંતા છે. તમિલનાડુથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભરેલા પાણી વચ્ચે લગ્નની વિધી સંપન્ન કરી છે. મંદિરના દર્શને તેઓ ગયા હતા. લગ્નની તૈયારીઓ મહિનાઓ પહેલાથી કરી દેવામાં આવી હોય છે. અંત સમયે લગ્નના કાર્યક્રમમાં ફેરફાર ન કરી શકાય તે માટે ભારે વરસાદ વચ્ચે લગ્ન કર્યા હતા.               




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.