ટ્રાફિકથી બચવા મહાનાયક અમિતાભ બચ્ચને લીધી અજાણ વ્યક્તિની મદદ! સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર, તો વગર હેલ્મેટે દેખાતા ફેન્સે કરી કમેન્ટ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-15 15:29:29

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરતા રહે છે. ત્યારે અમિતાભ બચ્ચને એક પોસ્ટ કરી છે જેમાં તેઓ બાઈક પર બેસેલા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી બચવા અને સેટ પર સમયસર પહોંચવા બાઈક પર તેમણે સવારી કરી હતી. જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ આરામથી બાઈકમાં પાછળ બેઠા છે. ફોટાની સાથે તેમણે કેપ્શન લખ્યું હતું કે રાઈડ માટે આભાર દોસ્ત, હું તને ઓળખતો નથી પરંતુ તે મને સેટ પર પહોંચવા મદદ કરી.

        

ઈન્સ્ટાગ્રામ પર બીગબીએ શેર કરી તસવીર!

ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે. ટ્રાફિક જામમાં ફસાવાને કારણે ઘણી વખત સમયસર એ જગ્યા  પર પહોંચી નથી શકતા જ્યાં આપણે પહોંચવાનું હોય છે. ત્યારે સમય અને કામની નિષ્ઠાને લઈ મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સમય પર સેટ પર પહોંચવા માટે અમિતાભ બચ્ચને એવો જુગાડ કર્યો કે સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે. સમય પર પહોંચવા માટે બીગબીએ બાઈક પર સવારી કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમણે ફોટો શેર કર્યો હતો. 



હેલ્મેટ ન પહેરવા બદલ લોકો કરી રહ્યા છે કમેન્ટ!

આ પોસ્ટ પર અનેક લોકો રિએક્શન આપી રહ્યા છે. તેમની નાતિને તેમના ફોટો પર રિએક્શન આપતા લાફિંગ ઈમોજી શેર કર્યો છે તેમજ રેડ હાર્ટ ઈમોજી શેર કર્યો છે. તો રોહિત રોયે લખ્યું કે 'आप धरती के सबसे कूल ड्यूड हो अमित जी.' તે સિવાય આ પોસ્ટને તેમના ફેન્સ લાઈક પણ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો તેમની આલોચના પણ કરી રહ્યા છે. વગર હેલ્મેટે તે બાઈક પર સવારી કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. હેલ્મેટ ન પહેરવા બદલ ફેન્સ દ્વારા અલગ અલગ કમેન્ટ કરવામાં આવી રહી છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.