ટ્રાફિકથી બચવા મહાનાયક અમિતાભ બચ્ચને લીધી અજાણ વ્યક્તિની મદદ! સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર, તો વગર હેલ્મેટે દેખાતા ફેન્સે કરી કમેન્ટ!


  • Published By :
  • Published Date : 2023-05-15 15:29:29

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરતા રહે છે. ત્યારે અમિતાભ બચ્ચને એક પોસ્ટ કરી છે જેમાં તેઓ બાઈક પર બેસેલા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી બચવા અને સેટ પર સમયસર પહોંચવા બાઈક પર તેમણે સવારી કરી હતી. જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ આરામથી બાઈકમાં પાછળ બેઠા છે. ફોટાની સાથે તેમણે કેપ્શન લખ્યું હતું કે રાઈડ માટે આભાર દોસ્ત, હું તને ઓળખતો નથી પરંતુ તે મને સેટ પર પહોંચવા મદદ કરી.

        

ઈન્સ્ટાગ્રામ પર બીગબીએ શેર કરી તસવીર!

ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે. ટ્રાફિક જામમાં ફસાવાને કારણે ઘણી વખત સમયસર એ જગ્યા  પર પહોંચી નથી શકતા જ્યાં આપણે પહોંચવાનું હોય છે. ત્યારે સમય અને કામની નિષ્ઠાને લઈ મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સમય પર સેટ પર પહોંચવા માટે અમિતાભ બચ્ચને એવો જુગાડ કર્યો કે સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે. સમય પર પહોંચવા માટે બીગબીએ બાઈક પર સવારી કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમણે ફોટો શેર કર્યો હતો. 



હેલ્મેટ ન પહેરવા બદલ લોકો કરી રહ્યા છે કમેન્ટ!

આ પોસ્ટ પર અનેક લોકો રિએક્શન આપી રહ્યા છે. તેમની નાતિને તેમના ફોટો પર રિએક્શન આપતા લાફિંગ ઈમોજી શેર કર્યો છે તેમજ રેડ હાર્ટ ઈમોજી શેર કર્યો છે. તો રોહિત રોયે લખ્યું કે 'आप धरती के सबसे कूल ड्यूड हो अमित जी.' તે સિવાય આ પોસ્ટને તેમના ફેન્સ લાઈક પણ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો તેમની આલોચના પણ કરી રહ્યા છે. વગર હેલ્મેટે તે બાઈક પર સવારી કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. હેલ્મેટ ન પહેરવા બદલ ફેન્સ દ્વારા અલગ અલગ કમેન્ટ કરવામાં આવી રહી છે.  



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.