ટ્રાફિકથી બચવા મહાનાયક અમિતાભ બચ્ચને લીધી અજાણ વ્યક્તિની મદદ! સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર, તો વગર હેલ્મેટે દેખાતા ફેન્સે કરી કમેન્ટ!


  • Published By :
  • Published Date : 2023-05-15 15:29:29

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરતા રહે છે. ત્યારે અમિતાભ બચ્ચને એક પોસ્ટ કરી છે જેમાં તેઓ બાઈક પર બેસેલા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી બચવા અને સેટ પર સમયસર પહોંચવા બાઈક પર તેમણે સવારી કરી હતી. જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ આરામથી બાઈકમાં પાછળ બેઠા છે. ફોટાની સાથે તેમણે કેપ્શન લખ્યું હતું કે રાઈડ માટે આભાર દોસ્ત, હું તને ઓળખતો નથી પરંતુ તે મને સેટ પર પહોંચવા મદદ કરી.

        

ઈન્સ્ટાગ્રામ પર બીગબીએ શેર કરી તસવીર!

ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે. ટ્રાફિક જામમાં ફસાવાને કારણે ઘણી વખત સમયસર એ જગ્યા  પર પહોંચી નથી શકતા જ્યાં આપણે પહોંચવાનું હોય છે. ત્યારે સમય અને કામની નિષ્ઠાને લઈ મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સમય પર સેટ પર પહોંચવા માટે અમિતાભ બચ્ચને એવો જુગાડ કર્યો કે સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે. સમય પર પહોંચવા માટે બીગબીએ બાઈક પર સવારી કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમણે ફોટો શેર કર્યો હતો. 



હેલ્મેટ ન પહેરવા બદલ લોકો કરી રહ્યા છે કમેન્ટ!

આ પોસ્ટ પર અનેક લોકો રિએક્શન આપી રહ્યા છે. તેમની નાતિને તેમના ફોટો પર રિએક્શન આપતા લાફિંગ ઈમોજી શેર કર્યો છે તેમજ રેડ હાર્ટ ઈમોજી શેર કર્યો છે. તો રોહિત રોયે લખ્યું કે 'आप धरती के सबसे कूल ड्यूड हो अमित जी.' તે સિવાય આ પોસ્ટને તેમના ફેન્સ લાઈક પણ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો તેમની આલોચના પણ કરી રહ્યા છે. વગર હેલ્મેટે તે બાઈક પર સવારી કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. હેલ્મેટ ન પહેરવા બદલ ફેન્સ દ્વારા અલગ અલગ કમેન્ટ કરવામાં આવી રહી છે.  



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.