ટ્રાફિકથી બચવા મહાનાયક અમિતાભ બચ્ચને લીધી અજાણ વ્યક્તિની મદદ! સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર, તો વગર હેલ્મેટે દેખાતા ફેન્સે કરી કમેન્ટ!


  • Published By :
  • Published Date : 2023-05-15 15:29:29

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરતા રહે છે. ત્યારે અમિતાભ બચ્ચને એક પોસ્ટ કરી છે જેમાં તેઓ બાઈક પર બેસેલા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી બચવા અને સેટ પર સમયસર પહોંચવા બાઈક પર તેમણે સવારી કરી હતી. જે ફોટો શેર કર્યો છે તેમાં તેઓ આરામથી બાઈકમાં પાછળ બેઠા છે. ફોટાની સાથે તેમણે કેપ્શન લખ્યું હતું કે રાઈડ માટે આભાર દોસ્ત, હું તને ઓળખતો નથી પરંતુ તે મને સેટ પર પહોંચવા મદદ કરી.

        

ઈન્સ્ટાગ્રામ પર બીગબીએ શેર કરી તસવીર!

ટ્રાફિકની સમસ્યાનો સામનો લોકો કરતા હોય છે. ટ્રાફિક જામમાં ફસાવાને કારણે ઘણી વખત સમયસર એ જગ્યા  પર પહોંચી નથી શકતા જ્યાં આપણે પહોંચવાનું હોય છે. ત્યારે સમય અને કામની નિષ્ઠાને લઈ મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે સમય પર સેટ પર પહોંચવા માટે અમિતાભ બચ્ચને એવો જુગાડ કર્યો કે સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે. સમય પર પહોંચવા માટે બીગબીએ બાઈક પર સવારી કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમણે ફોટો શેર કર્યો હતો. 



હેલ્મેટ ન પહેરવા બદલ લોકો કરી રહ્યા છે કમેન્ટ!

આ પોસ્ટ પર અનેક લોકો રિએક્શન આપી રહ્યા છે. તેમની નાતિને તેમના ફોટો પર રિએક્શન આપતા લાફિંગ ઈમોજી શેર કર્યો છે તેમજ રેડ હાર્ટ ઈમોજી શેર કર્યો છે. તો રોહિત રોયે લખ્યું કે 'आप धरती के सबसे कूल ड्यूड हो अमित जी.' તે સિવાય આ પોસ્ટને તેમના ફેન્સ લાઈક પણ કરી રહ્યા છે પરંતુ અનેક લોકો તેમની આલોચના પણ કરી રહ્યા છે. વગર હેલ્મેટે તે બાઈક પર સવારી કરી રહ્યા છે જેને લઈ તેમના ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. હેલ્મેટ ન પહેરવા બદલ ફેન્સ દ્વારા અલગ અલગ કમેન્ટ કરવામાં આવી રહી છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.