ઈરાનમાં હિજાબ વિરોધ થયો ઉગ્ર , પ્રદર્શનકરીયો પર સરકારે બળપ્રયોગ કર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:47:19

 

ઈરાનમાં હિજબ વિરોધ તીવ્ર !!!!

 

ઈરાનમાં છેલ્લા કેટલાક દિવસથી હિજાબ વિરોધી પ્રદર્શન થઈ રહ્યા છે. બળવાની શક્યતા વધુ તીવ્ર બની છે. આવી સ્થિતિમાં ઈરાની આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ્સના ટોચના કમાન્ડરોએ તેમના પરિવારોને કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાંથી સલામત રીતે ઘરોમાં મોકલી દીધા છે. તેહરાનની એક ઓઈલ કંપનીના ગેસ્ટ હાઉસમાં આ પરિવારોને ચોવીસ કલાક સુરક્ષા આપવામાં આવી રહી છે.

 

પ્રદર્શનકરીયો પર સરકારે  બળપ્રયોગ કર્યો

રાષ્ટ્રપતિ રહિસીની સરકાર ઘણાં શહેરોમાં હિજાબવિરોધી પ્રદર્શનકારીઓ પર બળનો પ્રયોગ કરી રહી છે. મૃત્યુઆંક 80 અને ઘાયલોની સંખ્યા વધીને 500થી વધુ થઈ ગઈ છે. બે હજારથી વધુની ધરપકડ કરવામાં આવી છે. ઈરાની મોરલ પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામેલી મહસા અમીનીના સમર્થનમાં ઘણા દેશોમાં દેખાવો પણ થઈ રહ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .