ઈરાનમાં હિજાબ વિરોધ થયો ઉગ્ર , પ્રદર્શનકરીયો પર સરકારે બળપ્રયોગ કર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:47:19

 

ઈરાનમાં હિજબ વિરોધ તીવ્ર !!!!

 

ઈરાનમાં છેલ્લા કેટલાક દિવસથી હિજાબ વિરોધી પ્રદર્શન થઈ રહ્યા છે. બળવાની શક્યતા વધુ તીવ્ર બની છે. આવી સ્થિતિમાં ઈરાની આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ્સના ટોચના કમાન્ડરોએ તેમના પરિવારોને કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાંથી સલામત રીતે ઘરોમાં મોકલી દીધા છે. તેહરાનની એક ઓઈલ કંપનીના ગેસ્ટ હાઉસમાં આ પરિવારોને ચોવીસ કલાક સુરક્ષા આપવામાં આવી રહી છે.

 

પ્રદર્શનકરીયો પર સરકારે  બળપ્રયોગ કર્યો

રાષ્ટ્રપતિ રહિસીની સરકાર ઘણાં શહેરોમાં હિજાબવિરોધી પ્રદર્શનકારીઓ પર બળનો પ્રયોગ કરી રહી છે. મૃત્યુઆંક 80 અને ઘાયલોની સંખ્યા વધીને 500થી વધુ થઈ ગઈ છે. બે હજારથી વધુની ધરપકડ કરવામાં આવી છે. ઈરાની મોરલ પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામેલી મહસા અમીનીના સમર્થનમાં ઘણા દેશોમાં દેખાવો પણ થઈ રહ્યા છે.



પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..