ઈરાનમાં હિજાબ વિરોધ થયો ઉગ્ર , પ્રદર્શનકરીયો પર સરકારે બળપ્રયોગ કર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:47:19

 

ઈરાનમાં હિજબ વિરોધ તીવ્ર !!!!

 

ઈરાનમાં છેલ્લા કેટલાક દિવસથી હિજાબ વિરોધી પ્રદર્શન થઈ રહ્યા છે. બળવાની શક્યતા વધુ તીવ્ર બની છે. આવી સ્થિતિમાં ઈરાની આર્મી રિવોલ્યુશનરી ગાર્ડ્સના ટોચના કમાન્ડરોએ તેમના પરિવારોને કેન્ટોન્મેન્ટ વિસ્તારોમાંથી સલામત રીતે ઘરોમાં મોકલી દીધા છે. તેહરાનની એક ઓઈલ કંપનીના ગેસ્ટ હાઉસમાં આ પરિવારોને ચોવીસ કલાક સુરક્ષા આપવામાં આવી રહી છે.

 

પ્રદર્શનકરીયો પર સરકારે  બળપ્રયોગ કર્યો

રાષ્ટ્રપતિ રહિસીની સરકાર ઘણાં શહેરોમાં હિજાબવિરોધી પ્રદર્શનકારીઓ પર બળનો પ્રયોગ કરી રહી છે. મૃત્યુઆંક 80 અને ઘાયલોની સંખ્યા વધીને 500થી વધુ થઈ ગઈ છે. બે હજારથી વધુની ધરપકડ કરવામાં આવી છે. ઈરાની મોરલ પોલીસની કસ્ટડીમાં મૃત્યુ પામેલી મહસા અમીનીના સમર્થનમાં ઘણા દેશોમાં દેખાવો પણ થઈ રહ્યા છે.



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.