સ્વિત્ઝર્લેન્ડમાં જાહેરમાં બુરખો પહેરવા પર 900 પાઉન્ડનો દંડ, સરકારે આપી સંસદને દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:59:57

ભારત અને ઈરાનમાં બુરખા મુદ્દે  વિવાદ અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હવે સ્વિત્ઝરર્લેન્ડમાં બુરખા પ્રતિબંધ કાયદા હેઠળ મહિલાઓએ ચહેરો ઢાંકવા પર 900 પાઉન્ડ (82 હજાર રૂપિયા)ના દંડની દરખાસ્ત રાખવામાં આવી છે. સ્વિઝર્લેન્ડ સરકારે મુસદ્દો સંસદને મોકલી આપ્યો છે. જો કે ધાર્મિક સ્થળો, રાજકીય મેળાવડા અને વિમાનોમાં ચેહરો ઢાંકવા પર કોઈ દંડ લાગશે નહીં. આ પ્રસ્તાવ તે સમુહે જ રજુ કર્યો છે જેણે 2009માં ઈસ્લામી મીનારો પર પ્રતિબંધનો પ્રસ્તાવ રાખ્યો હતો.


બુરખો કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક


આ કાયદાનો હેતું હિંસક પ્રદર્શનકારોને માસ્ક પહેરતા રોકવાનો છે. સ્થાનિક રાજનેતાઓ, મીડિયા, અને ચળવણકારોએ તેને બુરખા બેન કહ્યો છે. કેબિનેટે એક નિવેદનમાં કહ્યું કે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધનો હેતું જાહેર સ્થળોએ સુરક્ષા અને કાનુન વ્યવસ્થા જાળવી રાખવાનો છે. પ્રતિબંધના સમર્થકોએ ચહેરો ઢાંકવો તે કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક છે.   


યુરોપના અન્ય દેશોમાં પણ છે પ્રતિબંધ


અત્રે ઉલ્લેખનિય છે કે યુરોપના અન્ય દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે. ફ્રાન્સમાં પહેલી વખત ચહેરો ઢાંકવા પર 11 એપ્રિલ 2011માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરર્લેન્ડ અને બુલ્ગારિયામાં પણ જાહેર સ્થળો પર બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .