સ્વિત્ઝર્લેન્ડમાં જાહેરમાં બુરખો પહેરવા પર 900 પાઉન્ડનો દંડ, સરકારે આપી સંસદને દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:59:57

ભારત અને ઈરાનમાં બુરખા મુદ્દે  વિવાદ અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હવે સ્વિત્ઝરર્લેન્ડમાં બુરખા પ્રતિબંધ કાયદા હેઠળ મહિલાઓએ ચહેરો ઢાંકવા પર 900 પાઉન્ડ (82 હજાર રૂપિયા)ના દંડની દરખાસ્ત રાખવામાં આવી છે. સ્વિઝર્લેન્ડ સરકારે મુસદ્દો સંસદને મોકલી આપ્યો છે. જો કે ધાર્મિક સ્થળો, રાજકીય મેળાવડા અને વિમાનોમાં ચેહરો ઢાંકવા પર કોઈ દંડ લાગશે નહીં. આ પ્રસ્તાવ તે સમુહે જ રજુ કર્યો છે જેણે 2009માં ઈસ્લામી મીનારો પર પ્રતિબંધનો પ્રસ્તાવ રાખ્યો હતો.


બુરખો કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક


આ કાયદાનો હેતું હિંસક પ્રદર્શનકારોને માસ્ક પહેરતા રોકવાનો છે. સ્થાનિક રાજનેતાઓ, મીડિયા, અને ચળવણકારોએ તેને બુરખા બેન કહ્યો છે. કેબિનેટે એક નિવેદનમાં કહ્યું કે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધનો હેતું જાહેર સ્થળોએ સુરક્ષા અને કાનુન વ્યવસ્થા જાળવી રાખવાનો છે. પ્રતિબંધના સમર્થકોએ ચહેરો ઢાંકવો તે કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક છે.   


યુરોપના અન્ય દેશોમાં પણ છે પ્રતિબંધ


અત્રે ઉલ્લેખનિય છે કે યુરોપના અન્ય દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે. ફ્રાન્સમાં પહેલી વખત ચહેરો ઢાંકવા પર 11 એપ્રિલ 2011માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરર્લેન્ડ અને બુલ્ગારિયામાં પણ જાહેર સ્થળો પર બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.