સ્વિત્ઝર્લેન્ડમાં જાહેરમાં બુરખો પહેરવા પર 900 પાઉન્ડનો દંડ, સરકારે આપી સંસદને દરખાસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:59:57

ભારત અને ઈરાનમાં બુરખા મુદ્દે  વિવાદ અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. હવે સ્વિત્ઝરર્લેન્ડમાં બુરખા પ્રતિબંધ કાયદા હેઠળ મહિલાઓએ ચહેરો ઢાંકવા પર 900 પાઉન્ડ (82 હજાર રૂપિયા)ના દંડની દરખાસ્ત રાખવામાં આવી છે. સ્વિઝર્લેન્ડ સરકારે મુસદ્દો સંસદને મોકલી આપ્યો છે. જો કે ધાર્મિક સ્થળો, રાજકીય મેળાવડા અને વિમાનોમાં ચેહરો ઢાંકવા પર કોઈ દંડ લાગશે નહીં. આ પ્રસ્તાવ તે સમુહે જ રજુ કર્યો છે જેણે 2009માં ઈસ્લામી મીનારો પર પ્રતિબંધનો પ્રસ્તાવ રાખ્યો હતો.


બુરખો કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક


આ કાયદાનો હેતું હિંસક પ્રદર્શનકારોને માસ્ક પહેરતા રોકવાનો છે. સ્થાનિક રાજનેતાઓ, મીડિયા, અને ચળવણકારોએ તેને બુરખા બેન કહ્યો છે. કેબિનેટે એક નિવેદનમાં કહ્યું કે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધનો હેતું જાહેર સ્થળોએ સુરક્ષા અને કાનુન વ્યવસ્થા જાળવી રાખવાનો છે. પ્રતિબંધના સમર્થકોએ ચહેરો ઢાંકવો તે કટ્ટરપંથ અને રાજકીય ઈસ્લામનું પ્રતિક છે.   


યુરોપના અન્ય દેશોમાં પણ છે પ્રતિબંધ


અત્રે ઉલ્લેખનિય છે કે યુરોપના અન્ય દેશોમાં પણ બુરખા પર પ્રતિબંધ છે. ફ્રાન્સમાં પહેલી વખત ચહેરો ઢાંકવા પર 11 એપ્રિલ 2011માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરર્લેન્ડ અને બુલ્ગારિયામાં પણ જાહેર સ્થળો પર બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.