મહિલા મતદારોની બહોળી સંખ્યા ધરાવતા હિમાચલ પ્રદેશમાં માત્ર એક મહિલા ધારાસભ્ય


  • Published By :
  • Published Date : 2022-12-09 18:58:26

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. જો કે હવે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં માત્ર એક મહિલા ધારાસભ્ય હશે - ભાજપના રીના કશ્યપ, જે કોંગ્રેસના દયાલ પ્યારીને હરાવી પછાડમાંથી વિજેતા બન્યા છે. 12 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને મેદાનમાં રહેલા 24માંથી માત્ર એક જ ચૂંટાઈ આવી હતી.


ચૂંટણી મેદાનમાં કેટલી મહિલા ઉમેદવારો?


ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે અનુક્રમે છ, પાંચ અને ત્રણ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ માત્ર રીના કશ્યપ જ ચૂંટણી જીતી હતી. કશ્યપ, જેમણે 2021 માં પછાડ (SC) વિધાનસભા પેટાચૂંટણી જીતી હતી, તેણી પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી.



12 નવેમ્બરની ચૂંટણીમાં હારી ગયેલી મહિલા ઉમેદવારોમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને કાંગડાના શાહપુરથી ચાર વખતના ધારાસભ્ય સરવીન ચૌધરી, ડેલહાઉસીથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અને મુખ્યમંત્રી પદના દાવેદાર આશા કુમારી,  ઈન્દોરાના BJPના ધારાસભ્ય રીટા ધીમાન, કોંગ્રેસના દિગ્ગજ નેતા કૌલ સિંહની પુત્રી મંડીથી ઉમેદવાર ચંપા ઠાકુરનો સમાવેશ થાય છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.