મહિલા મતદારોની બહોળી સંખ્યા ધરાવતા હિમાચલ પ્રદેશમાં માત્ર એક મહિલા ધારાસભ્ય


  • Published By :
  • Published Date : 2022-12-09 18:58:26

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. જો કે હવે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં માત્ર એક મહિલા ધારાસભ્ય હશે - ભાજપના રીના કશ્યપ, જે કોંગ્રેસના દયાલ પ્યારીને હરાવી પછાડમાંથી વિજેતા બન્યા છે. 12 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને મેદાનમાં રહેલા 24માંથી માત્ર એક જ ચૂંટાઈ આવી હતી.


ચૂંટણી મેદાનમાં કેટલી મહિલા ઉમેદવારો?


ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે અનુક્રમે છ, પાંચ અને ત્રણ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ માત્ર રીના કશ્યપ જ ચૂંટણી જીતી હતી. કશ્યપ, જેમણે 2021 માં પછાડ (SC) વિધાનસભા પેટાચૂંટણી જીતી હતી, તેણી પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી.



12 નવેમ્બરની ચૂંટણીમાં હારી ગયેલી મહિલા ઉમેદવારોમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને કાંગડાના શાહપુરથી ચાર વખતના ધારાસભ્ય સરવીન ચૌધરી, ડેલહાઉસીથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અને મુખ્યમંત્રી પદના દાવેદાર આશા કુમારી,  ઈન્દોરાના BJPના ધારાસભ્ય રીટા ધીમાન, કોંગ્રેસના દિગ્ગજ નેતા કૌલ સિંહની પુત્રી મંડીથી ઉમેદવાર ચંપા ઠાકુરનો સમાવેશ થાય છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.