મહિલા મતદારોની બહોળી સંખ્યા ધરાવતા હિમાચલ પ્રદેશમાં માત્ર એક મહિલા ધારાસભ્ય


  • Published By :
  • Published Date : 2022-12-09 18:58:26

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. જો કે હવે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં માત્ર એક મહિલા ધારાસભ્ય હશે - ભાજપના રીના કશ્યપ, જે કોંગ્રેસના દયાલ પ્યારીને હરાવી પછાડમાંથી વિજેતા બન્યા છે. 12 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને મેદાનમાં રહેલા 24માંથી માત્ર એક જ ચૂંટાઈ આવી હતી.


ચૂંટણી મેદાનમાં કેટલી મહિલા ઉમેદવારો?


ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે અનુક્રમે છ, પાંચ અને ત્રણ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ માત્ર રીના કશ્યપ જ ચૂંટણી જીતી હતી. કશ્યપ, જેમણે 2021 માં પછાડ (SC) વિધાનસભા પેટાચૂંટણી જીતી હતી, તેણી પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી.



12 નવેમ્બરની ચૂંટણીમાં હારી ગયેલી મહિલા ઉમેદવારોમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને કાંગડાના શાહપુરથી ચાર વખતના ધારાસભ્ય સરવીન ચૌધરી, ડેલહાઉસીથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અને મુખ્યમંત્રી પદના દાવેદાર આશા કુમારી,  ઈન્દોરાના BJPના ધારાસભ્ય રીટા ધીમાન, કોંગ્રેસના દિગ્ગજ નેતા કૌલ સિંહની પુત્રી મંડીથી ઉમેદવાર ચંપા ઠાકુરનો સમાવેશ થાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.