મહિલા મતદારોની બહોળી સંખ્યા ધરાવતા હિમાચલ પ્રદેશમાં માત્ર એક મહિલા ધારાસભ્ય


  • Published By :
  • Published Date : 2022-12-09 18:58:26

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. જો કે હવે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં માત્ર એક મહિલા ધારાસભ્ય હશે - ભાજપના રીના કશ્યપ, જે કોંગ્રેસના દયાલ પ્યારીને હરાવી પછાડમાંથી વિજેતા બન્યા છે. 12 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને મેદાનમાં રહેલા 24માંથી માત્ર એક જ ચૂંટાઈ આવી હતી.


ચૂંટણી મેદાનમાં કેટલી મહિલા ઉમેદવારો?


ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે અનુક્રમે છ, પાંચ અને ત્રણ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ માત્ર રીના કશ્યપ જ ચૂંટણી જીતી હતી. કશ્યપ, જેમણે 2021 માં પછાડ (SC) વિધાનસભા પેટાચૂંટણી જીતી હતી, તેણી પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી.



12 નવેમ્બરની ચૂંટણીમાં હારી ગયેલી મહિલા ઉમેદવારોમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને કાંગડાના શાહપુરથી ચાર વખતના ધારાસભ્ય સરવીન ચૌધરી, ડેલહાઉસીથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અને મુખ્યમંત્રી પદના દાવેદાર આશા કુમારી,  ઈન્દોરાના BJPના ધારાસભ્ય રીટા ધીમાન, કોંગ્રેસના દિગ્ગજ નેતા કૌલ સિંહની પુત્રી મંડીથી ઉમેદવાર ચંપા ઠાકુરનો સમાવેશ થાય છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.