Hindenberg ઈફેક્ટ: અદાણીની કંપનીઓના ભાવ 20% તુટ્યા, કોંગ્રેસે કરી તપાસની માગ


  • Published By :
  • Published Date : 2023-01-27 16:31:52

અમેરિકાના રીસર્ચ ફર્મ હિંડેનબર્ગે અદાણી ગ્રૂપની કંપનીઓની પોલ ખોલતી એક રિપોર્ટ બુધવારે જાહેર કરી હતી. જેની સૌથી ભયાનક અસર આજે ભારતીય શેર બજારમાં જોવા મળી છે. અદાણીની કંપનીઓના શેર બીજા દિવસે પણ તુટ્યા હતા. આજે અદાણી ગ્રુપની કંપનીઓના શેર 20% સુધી તુટી ગયા છે.


અદાણીની કઈ કંપનીઓને નુકસાન


ઘટાડાની સૌથી વધુ અસર અદાણી ટોટલ ગેસના શેર પર થઈ છે. આ કંપનીના શેર 19.6 ટકા સુધી તુટી ગયા. તે ઉપરાંત અદાણી ગ્રીન 13 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 3 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી વિલ્મર 5 ટકા અને એનડીટીવીના શેરમાં 5 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 


હિંડેનબર્ગે આપ્યો જોરદાર ફટકો


અદાણી ગ્રૂપના શેરોમાં આ ઘટાડો ફોરેન્સિક ફાયનાન્સિયલ રિસર્ચ ફર્મ હિંડેનબર્ગની ચોંકાવનારી રિપોર્ટ બાદ આવ્યો છે.  આ રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે તેણે અદાણીની કંપનીમાં શોર્ટ પોઝિશન લીધી છે. રિપોર્ટમાં અદાણીની કંપની પર અનેક ગંભીર અરોપ લગાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અદાણીની 7 લિસ્ટેડ કંપનીના શેરના ભાવ 85 ટકાથી પણ વધુ ઓવરવેલ્યુડ છે. હિંડેનબર્ગ રિસર્ચની લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલો કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપ પરથી શેરબજારના રોકાણકારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. હિંડેનબર્ગ રિપોર્ટે અદાણીની કંપનીઓની શાખને જબરદસ્ત ફટકો પહોંચાડ્યો છે. રોકાણકારોએ માર્કેટમાંથી શેર વેચવાનું શરૂ કરતા અંગે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 20 ટકા જેટલા તુટી ગયા હતા.   


કોંગ્રેસે તપાસની કરી માગ


હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ કોંગ્રેસ પાર્ટીએ ભારતીય રિઝર્વ બેંક અને સેબીને આ મામલાની તપાસની માગ કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશ ઉપરાંત કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ આરોપની સત્યતા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી સમિતિની સાથે-સાથે હાઈકોર્ટની નજર હેઠળ તપાસ કરાવવાની માગ કરી હતી.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.