Hindenberg ઈફેક્ટ: અદાણીની કંપનીઓના ભાવ 20% તુટ્યા, કોંગ્રેસે કરી તપાસની માગ


  • Published By :
  • Published Date : 2023-01-27 16:31:52

અમેરિકાના રીસર્ચ ફર્મ હિંડેનબર્ગે અદાણી ગ્રૂપની કંપનીઓની પોલ ખોલતી એક રિપોર્ટ બુધવારે જાહેર કરી હતી. જેની સૌથી ભયાનક અસર આજે ભારતીય શેર બજારમાં જોવા મળી છે. અદાણીની કંપનીઓના શેર બીજા દિવસે પણ તુટ્યા હતા. આજે અદાણી ગ્રુપની કંપનીઓના શેર 20% સુધી તુટી ગયા છે.


અદાણીની કઈ કંપનીઓને નુકસાન


ઘટાડાની સૌથી વધુ અસર અદાણી ટોટલ ગેસના શેર પર થઈ છે. આ કંપનીના શેર 19.6 ટકા સુધી તુટી ગયા. તે ઉપરાંત અદાણી ગ્રીન 13 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 3 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી વિલ્મર 5 ટકા અને એનડીટીવીના શેરમાં 5 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 


હિંડેનબર્ગે આપ્યો જોરદાર ફટકો


અદાણી ગ્રૂપના શેરોમાં આ ઘટાડો ફોરેન્સિક ફાયનાન્સિયલ રિસર્ચ ફર્મ હિંડેનબર્ગની ચોંકાવનારી રિપોર્ટ બાદ આવ્યો છે.  આ રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે તેણે અદાણીની કંપનીમાં શોર્ટ પોઝિશન લીધી છે. રિપોર્ટમાં અદાણીની કંપની પર અનેક ગંભીર અરોપ લગાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અદાણીની 7 લિસ્ટેડ કંપનીના શેરના ભાવ 85 ટકાથી પણ વધુ ઓવરવેલ્યુડ છે. હિંડેનબર્ગ રિસર્ચની લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલો કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપ પરથી શેરબજારના રોકાણકારોનો વિશ્વાસ ઉઠી ગયો છે. હિંડેનબર્ગ રિપોર્ટે અદાણીની કંપનીઓની શાખને જબરદસ્ત ફટકો પહોંચાડ્યો છે. રોકાણકારોએ માર્કેટમાંથી શેર વેચવાનું શરૂ કરતા અંગે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 20 ટકા જેટલા તુટી ગયા હતા.   


કોંગ્રેસે તપાસની કરી માગ


હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ કોંગ્રેસ પાર્ટીએ ભારતીય રિઝર્વ બેંક અને સેબીને આ મામલાની તપાસની માગ કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશ ઉપરાંત કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ આરોપની સત્યતા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી સમિતિની સાથે-સાથે હાઈકોર્ટની નજર હેઠળ તપાસ કરાવવાની માગ કરી હતી.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.