ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 15 દિવસમાં હિંદુ મંદિર પર ત્રીજો હુમલો, ખાલીસ્તાની સમર્થકોઓ કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-01-23 14:09:29

ઓસ્ટ્રેલિયામાં 15 દિવસમાં ત્રીજી વખત ફરી એક વખત હિંદુ મંદિર પર હુમલો થયો છે. મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થક સતત હિંદુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ પણ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પર હુમલો થયો હતો. 


મંદિરની દિવાલો ખાલિસ્તાની સુત્રો 


મેલબોર્નના આલ્બર્ટ પાર્કમાં હિંદુ મંદિરને તોડવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર ખાવિસ્તાનના સમર્થનમાં સુત્રો લખ્યા છે. ઈસ્કોન મંદિર જેને હરે કૃષ્ણ મંદિરના નામથી પણ ઓળખાય છે. મેલબોર્નમાં ભક્તિ યોગ આંદોલનનું એક પ્રસિધ્ધ કેન્દ્ર છે. સોમવારે સવારે મંદિર મેનેજમેન્ટને જાણવા મળ્યું કે મંદિર સાથે તોડફોડ કરવામાં આવી અને દિવાલો પર ખાલિસ્તાન જિંદાબાદ જેના સુત્રો પણ લખવામાં આવ્યા હતા.




હિંદુઓએ હુમલાને વખોડ્યો


ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં હિંદુ મંદિરોને જે પ્રકારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી સ્થાનિક હિંદુ સમાજ પણ દુખી છે. ઈસ્કોન મંદિરના એક કર્મચારીએ જણાવ્યું કે જે લોકો શાંતિપૂર્ણ હિંદુ સમુદાય વિરૂધ્ધ પોતાના નફરતભર્યો એજન્ડો ચલાવી રહ્યા છે તેમ છતા બે સપ્તાહમાં વિક્ટોરિયા પોલીસ  તે લોકો સામે વિરૂધ્ધ કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. હિંદુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના અધ્યક્ષ મકરંદ ભાગવતે પણ આ અંગે કહ્યું કે પૂજા સ્થળોની સામે કોઈ પણ પ્રકારની નફરત અને તોડફોડ સ્વિકાર્ય નથી અને અમે તેની નિંદા કરીએ છીએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.