કેનેડામાં હિંદુ મંદિરમાં થઈ તોડફોડ, દિવાલ પર લખાયા આપત્તિજનક સૂત્રો, પોલીસે શરૂ કરી તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-06 12:13:10

વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેનેડામાં ફરી એક વખત હિંદુ મંદિરને નિશાન બનાવામાં આવ્યું છે. કાળા કપડાં અને માસ્ક પહેરીને આવેલા લોકોએ ઓંટારિયો સ્થિત મંદિરની દિવાલ પર નફરતભરેલા લખાણ લખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલી ઘટના નથી જ્યાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોય પરંતુ 6 મહિનાની અંદર આ પાંચમી ઘટના છે જેમાં હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.


હિંદુ મંદિરમાં કરાઈ તોડફોડ!

મંદિરોને હિંદુઓની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદેશની ધરતી પરથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જે દુખી કરે એવા છે. વિદેશની ધરતી પર હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે. કેનેડાથી ફરી એક વખત આવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે ઉપરાંત આપત્તિજનક સૂત્રો પણ લખવામાં આવ્યા છે. કાળા કપડા પહેરી અને માસ્ક લગાવી અજાણ્યા લોકોએ ઓંટારિયોમાં સ્થિત મંદિરની દિવાલો પર લખાણ લખ્યું ઉપરાંત તોડફોડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


આ અગાઉ પણ મંદિરો પર થયા છે હુમલો 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ મામલે કેનેડાના વિંડસર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ઘટનાને અંજામ આપવા ત્રણ લોકો આવ્યા હતા. બે લોકો મંદિરની દિવાલો પર લખાણ લખી રહ્યા હતા જ્યારે એક વ્યક્તિ આજુ બાજુ નજર રાખી રહ્યો હતો. કેનેડામાં હિંદુ મંદિરો પર થતાં હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાથી આવી ઘટના સામે આવી હતી. ત્યારે હિંદુ મંદિરો પર થતાં હુમલાઓ ચિંતાનો વિષય બન્યો છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.