કેનેડામાં હિંદુ મંદિરમાં થઈ તોડફોડ, દિવાલ પર લખાયા આપત્તિજનક સૂત્રો, પોલીસે શરૂ કરી તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-06 12:13:10

વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેનેડામાં ફરી એક વખત હિંદુ મંદિરને નિશાન બનાવામાં આવ્યું છે. કાળા કપડાં અને માસ્ક પહેરીને આવેલા લોકોએ ઓંટારિયો સ્થિત મંદિરની દિવાલ પર નફરતભરેલા લખાણ લખવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ પહેલી ઘટના નથી જ્યાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોય પરંતુ 6 મહિનાની અંદર આ પાંચમી ઘટના છે જેમાં હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.


હિંદુ મંદિરમાં કરાઈ તોડફોડ!

મંદિરોને હિંદુઓની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદેશની ધરતી પરથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જે દુખી કરે એવા છે. વિદેશની ધરતી પર હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે. કેનેડાથી ફરી એક વખત આવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે ઉપરાંત આપત્તિજનક સૂત્રો પણ લખવામાં આવ્યા છે. કાળા કપડા પહેરી અને માસ્ક લગાવી અજાણ્યા લોકોએ ઓંટારિયોમાં સ્થિત મંદિરની દિવાલો પર લખાણ લખ્યું ઉપરાંત તોડફોડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


આ અગાઉ પણ મંદિરો પર થયા છે હુમલો 

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ મામલે કેનેડાના વિંડસર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ઘટનાને અંજામ આપવા ત્રણ લોકો આવ્યા હતા. બે લોકો મંદિરની દિવાલો પર લખાણ લખી રહ્યા હતા જ્યારે એક વ્યક્તિ આજુ બાજુ નજર રાખી રહ્યો હતો. કેનેડામાં હિંદુ મંદિરો પર થતાં હુમલાની આ બીજી ઘટના છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાથી આવી ઘટના સામે આવી હતી. ત્યારે હિંદુ મંદિરો પર થતાં હુમલાઓ ચિંતાનો વિષય બન્યો છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .