યૂનિલીવરે Dove અને Tresemmé શેમ્પૂ પાછા ખેંચ્યા, વૈજ્ઞાનિકોએ કેન્સરની સંભાવના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:55:33

વિશ્વની પ્રખ્યાત FMCG કંપની યુનિલીવરે બજારમાંથી ડવ (Dove) અને ટ્રેસેમે (Tresemme) સહિતના ઘણા શેમ્પૂ પાછા મંગાવ્યા છે. યુનિલિવરના આ શેમ્પૂ બ્રાન્ડ્સ કેન્સરનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે કંપનીએ આ શેમ્પૂ બ્રાન્ડ્સને બજારમાંથી પાછી ખેંચી લીધી છે. શેમ્પુ પાછા ખેંચવાની આ કવાયત અમેરિકાના માર્કેટમાં કરવામાં આવી છે. આ શેમ્પૂ બ્રાન્ડ્સમાં Dove, TRESemmé, Nexxus, Suave, TIGIનો સમાવેશ થાય છે. માથામાં વધુ પડતા ડેન્ડ્રફના કિસ્સામાં આ શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ ઑક્ટોબર 2021 પહેલાં ઉત્પાદિત શેમ્પૂને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ 30 થી વધુ એરોસોલ સ્પ્રે હેર કેર ઉત્પાદનો પાછા મંગાવ્યા છે, તેમાં ડ્રાય શેમ્પૂ અને ડ્રાય કન્ડિશનરનો સમાવેશ થાય છે.


Dove અને Tresemme શેમ્પૂથી કેન્સરનો ખતરો


અમેરિકાના મીડિચા રિપોર્ટ પ્રમાણે યુનિલિવરના આ શેમ્પમાં બેંઝીન (benzene) કેમિકલ મળી આવે છે, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કેમિકલના ઉપયોગથી કેન્સર થઈ શકે છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના જણાવ્યા પ્રમાણે આ પ્રોડક્ટસ ઓક્ટોબર 2021થી પહેલા બનાવવામાં આવ્યા હતા અને સમગ્ર દેશમાં રિટેલર્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવ્યા હતા.


કેટલું ખતરનાક છે બેંઝીન?


અમેરિકાના આરોગ્ય નિયામક FDAએ તેની રિકોલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બેંઝીનથી માણસોમાં કેન્સર થઈ શકે છે. બેંઝીન અનેક રીતે મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ સુંઘવાથી, મોં અને ત્વચા દ્વારા શરીરમાં જઈ શકે છે. તેનાથી લ્યૂકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે. FDAનું કહેવું છે કે લોકોએ આ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ અને પોતાના પૈસા પાછા મેળવવા વિઝીટ કરવી જોઈએ. જો કે આટલા મોટા વિવાદ છતાં યૂનિલિવરે તાત્કાલિક કોઈ સ્પ।ષ્ટીકરણ આપ્યું નથી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .