યૂનિલીવરે Dove અને Tresemmé શેમ્પૂ પાછા ખેંચ્યા, વૈજ્ઞાનિકોએ કેન્સરની સંભાવના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:55:33

વિશ્વની પ્રખ્યાત FMCG કંપની યુનિલીવરે બજારમાંથી ડવ (Dove) અને ટ્રેસેમે (Tresemme) સહિતના ઘણા શેમ્પૂ પાછા મંગાવ્યા છે. યુનિલિવરના આ શેમ્પૂ બ્રાન્ડ્સ કેન્સરનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે કંપનીએ આ શેમ્પૂ બ્રાન્ડ્સને બજારમાંથી પાછી ખેંચી લીધી છે. શેમ્પુ પાછા ખેંચવાની આ કવાયત અમેરિકાના માર્કેટમાં કરવામાં આવી છે. આ શેમ્પૂ બ્રાન્ડ્સમાં Dove, TRESemmé, Nexxus, Suave, TIGIનો સમાવેશ થાય છે. માથામાં વધુ પડતા ડેન્ડ્રફના કિસ્સામાં આ શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ ઑક્ટોબર 2021 પહેલાં ઉત્પાદિત શેમ્પૂને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ 30 થી વધુ એરોસોલ સ્પ્રે હેર કેર ઉત્પાદનો પાછા મંગાવ્યા છે, તેમાં ડ્રાય શેમ્પૂ અને ડ્રાય કન્ડિશનરનો સમાવેશ થાય છે.


Dove અને Tresemme શેમ્પૂથી કેન્સરનો ખતરો


અમેરિકાના મીડિચા રિપોર્ટ પ્રમાણે યુનિલિવરના આ શેમ્પમાં બેંઝીન (benzene) કેમિકલ મળી આવે છે, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કેમિકલના ઉપયોગથી કેન્સર થઈ શકે છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના જણાવ્યા પ્રમાણે આ પ્રોડક્ટસ ઓક્ટોબર 2021થી પહેલા બનાવવામાં આવ્યા હતા અને સમગ્ર દેશમાં રિટેલર્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવ્યા હતા.


કેટલું ખતરનાક છે બેંઝીન?


અમેરિકાના આરોગ્ય નિયામક FDAએ તેની રિકોલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બેંઝીનથી માણસોમાં કેન્સર થઈ શકે છે. બેંઝીન અનેક રીતે મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ સુંઘવાથી, મોં અને ત્વચા દ્વારા શરીરમાં જઈ શકે છે. તેનાથી લ્યૂકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે. FDAનું કહેવું છે કે લોકોએ આ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ અને પોતાના પૈસા પાછા મેળવવા વિઝીટ કરવી જોઈએ. જો કે આટલા મોટા વિવાદ છતાં યૂનિલિવરે તાત્કાલિક કોઈ સ્પ।ષ્ટીકરણ આપ્યું નથી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.