યૂનિલીવરે Dove અને Tresemmé શેમ્પૂ પાછા ખેંચ્યા, વૈજ્ઞાનિકોએ કેન્સરની સંભાવના વ્યક્ત કરી


  • Published By :
  • Published Date : 2022-10-26 19:55:33

વિશ્વની પ્રખ્યાત FMCG કંપની યુનિલીવરે બજારમાંથી ડવ (Dove) અને ટ્રેસેમે (Tresemme) સહિતના ઘણા શેમ્પૂ પાછા મંગાવ્યા છે. યુનિલિવરના આ શેમ્પૂ બ્રાન્ડ્સ કેન્સરનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે કંપનીએ આ શેમ્પૂ બ્રાન્ડ્સને બજારમાંથી પાછી ખેંચી લીધી છે. શેમ્પુ પાછા ખેંચવાની આ કવાયત અમેરિકાના માર્કેટમાં કરવામાં આવી છે. આ શેમ્પૂ બ્રાન્ડ્સમાં Dove, TRESemmé, Nexxus, Suave, TIGIનો સમાવેશ થાય છે. માથામાં વધુ પડતા ડેન્ડ્રફના કિસ્સામાં આ શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે છે. કંપનીએ ઑક્ટોબર 2021 પહેલાં ઉત્પાદિત શેમ્પૂને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ 30 થી વધુ એરોસોલ સ્પ્રે હેર કેર ઉત્પાદનો પાછા મંગાવ્યા છે, તેમાં ડ્રાય શેમ્પૂ અને ડ્રાય કન્ડિશનરનો સમાવેશ થાય છે.


Dove અને Tresemme શેમ્પૂથી કેન્સરનો ખતરો


અમેરિકાના મીડિચા રિપોર્ટ પ્રમાણે યુનિલિવરના આ શેમ્પમાં બેંઝીન (benzene) કેમિકલ મળી આવે છે, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કેમિકલના ઉપયોગથી કેન્સર થઈ શકે છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના જણાવ્યા પ્રમાણે આ પ્રોડક્ટસ ઓક્ટોબર 2021થી પહેલા બનાવવામાં આવ્યા હતા અને સમગ્ર દેશમાં રિટેલર્સને ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવ્યા હતા.


કેટલું ખતરનાક છે બેંઝીન?


અમેરિકાના આરોગ્ય નિયામક FDAએ તેની રિકોલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બેંઝીનથી માણસોમાં કેન્સર થઈ શકે છે. બેંઝીન અનેક રીતે મનુષ્યોના શરીરમાં પ્રવેશ કરી શકે છે. આ સુંઘવાથી, મોં અને ત્વચા દ્વારા શરીરમાં જઈ શકે છે. તેનાથી લ્યૂકેમિયા અને બ્લડ કેન્સર થઈ શકે છે. FDAનું કહેવું છે કે લોકોએ આ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ અને પોતાના પૈસા પાછા મેળવવા વિઝીટ કરવી જોઈએ. જો કે આટલા મોટા વિવાદ છતાં યૂનિલિવરે તાત્કાલિક કોઈ સ્પ।ષ્ટીકરણ આપ્યું નથી. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.