Gujaratમાં અલગ અલગ જગ્યાઓ પર બની Hit and runની ઘટના, રફતારના કહેરે લીધો આટલા લોકોનો ભોગ...


  • Published By :
  • Published Date : 2024-03-14 13:43:38

હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં  ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. આજકાલ લોકો એટલા બેફામ બનીને વાહન ચલાવતા હોય છે જાણે રસ્તો તેમના બાપાનો હોય. બાપના બગીચામાં જાણે વાહન ચલાવતા હોય તેવી રીતે લોકો વાહન ચલાવતા હોય છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. એ ઘટના અમદાવાદથી સામે આવી છે જ્યારે બીજી ઘટના જૂનાગઢથી સામે આવી છે. જૂનાગઢમાં એક વ્યક્તિનું નહીં પરંતુ ત્રણ ત્રણ વ્યક્તિના મોત હિટ એન્ડ રનની ઘટનામાં થયા છે. ઈકો કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે. 

In Junagadh, three youths were killed when an eco car collided with a bike in a hit and run near Bantwa જૂનાગઢમાં રફ્તારનો કહેર, બાટવા નજીક હિટ એન્ડ રનમાં ઇકો કારે બાઈકને ટક્કર મારતાં ત્રણ યુવકોના મોત

જ્યાં સુધી ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરવાળાઓને રહેતું હોય છે ટેન્શન!

અકસ્માત શબ્દ આજકાલ ઘણો સામાન્ય બની ગયો છે. પ્રતિદિન અનેકો અકસ્માત થાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તેમાં મુખ્યત્વે જવાબદાર હોય છે વાહનની ગતિ. લોકો એટલી સ્પીડમાં વાહન ચલાવતા હોય છે કે જો બ્રેક લગાવવાની આવે તો પણ તે મુશ્કેલ સાબિત થાય, આજકાલ લોકો એવી રીતે ગાડી રસ્તા પર ચલાવી રહ્યા છે જાણે આ રસ્તો તેમના બાપનો..! અનેક લોકોને રસ્તા પર આપણે સ્ટંટ કરતા જોયા છે. આજકાલ તો કદાચ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં સુધી આપણે ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે. 


જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં થયા ત્રણ લોકોના મોત 

અકસ્માત, હિટ એન્ડ રનની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર હિટ એન્ડ રનની ઘટના બની છે અને તેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક અકસ્માત જૂનાગઢમાં સર્જાયો છે જ્યારે બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાટવા નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે જેમાં બે લોકો બાંટવાના હતા જ્યારે એક વ્યક્તિ માણાવદરનો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજો અકસ્માત અમદાવાદના વસ્ત્રાલમાં સર્જાયો છે જેમાં એક મહિલાનું મોત વાહનની અડફેટે આવતા થઈ ગયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  મહત્વનું છે કે કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.