Gujaratમાં અલગ અલગ જગ્યાઓ પર બની Hit and runની ઘટના, રફતારના કહેરે લીધો આટલા લોકોનો ભોગ...


  • Published By :
  • Published Date : 2024-03-14 13:43:38

હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં  ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. આજકાલ લોકો એટલા બેફામ બનીને વાહન ચલાવતા હોય છે જાણે રસ્તો તેમના બાપાનો હોય. બાપના બગીચામાં જાણે વાહન ચલાવતા હોય તેવી રીતે લોકો વાહન ચલાવતા હોય છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. એ ઘટના અમદાવાદથી સામે આવી છે જ્યારે બીજી ઘટના જૂનાગઢથી સામે આવી છે. જૂનાગઢમાં એક વ્યક્તિનું નહીં પરંતુ ત્રણ ત્રણ વ્યક્તિના મોત હિટ એન્ડ રનની ઘટનામાં થયા છે. ઈકો કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે. 

In Junagadh, three youths were killed when an eco car collided with a bike in a hit and run near Bantwa જૂનાગઢમાં રફ્તારનો કહેર, બાટવા નજીક હિટ એન્ડ રનમાં ઇકો કારે બાઈકને ટક્કર મારતાં ત્રણ યુવકોના મોત

જ્યાં સુધી ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરવાળાઓને રહેતું હોય છે ટેન્શન!

અકસ્માત શબ્દ આજકાલ ઘણો સામાન્ય બની ગયો છે. પ્રતિદિન અનેકો અકસ્માત થાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તેમાં મુખ્યત્વે જવાબદાર હોય છે વાહનની ગતિ. લોકો એટલી સ્પીડમાં વાહન ચલાવતા હોય છે કે જો બ્રેક લગાવવાની આવે તો પણ તે મુશ્કેલ સાબિત થાય, આજકાલ લોકો એવી રીતે ગાડી રસ્તા પર ચલાવી રહ્યા છે જાણે આ રસ્તો તેમના બાપનો..! અનેક લોકોને રસ્તા પર આપણે સ્ટંટ કરતા જોયા છે. આજકાલ તો કદાચ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં સુધી આપણે ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે. 


જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં થયા ત્રણ લોકોના મોત 

અકસ્માત, હિટ એન્ડ રનની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર હિટ એન્ડ રનની ઘટના બની છે અને તેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક અકસ્માત જૂનાગઢમાં સર્જાયો છે જ્યારે બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાટવા નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે જેમાં બે લોકો બાંટવાના હતા જ્યારે એક વ્યક્તિ માણાવદરનો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજો અકસ્માત અમદાવાદના વસ્ત્રાલમાં સર્જાયો છે જેમાં એક મહિલાનું મોત વાહનની અડફેટે આવતા થઈ ગયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  મહત્વનું છે કે કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.