Gujaratમાં અલગ અલગ જગ્યાઓ પર બની Hit and runની ઘટના, રફતારના કહેરે લીધો આટલા લોકોનો ભોગ...


  • Published By :
  • Published Date : 2024-03-14 13:43:38

હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં  ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. આજકાલ લોકો એટલા બેફામ બનીને વાહન ચલાવતા હોય છે જાણે રસ્તો તેમના બાપાનો હોય. બાપના બગીચામાં જાણે વાહન ચલાવતા હોય તેવી રીતે લોકો વાહન ચલાવતા હોય છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. એ ઘટના અમદાવાદથી સામે આવી છે જ્યારે બીજી ઘટના જૂનાગઢથી સામે આવી છે. જૂનાગઢમાં એક વ્યક્તિનું નહીં પરંતુ ત્રણ ત્રણ વ્યક્તિના મોત હિટ એન્ડ રનની ઘટનામાં થયા છે. ઈકો કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે. 

In Junagadh, three youths were killed when an eco car collided with a bike in a hit and run near Bantwa જૂનાગઢમાં રફ્તારનો કહેર, બાટવા નજીક હિટ એન્ડ રનમાં ઇકો કારે બાઈકને ટક્કર મારતાં ત્રણ યુવકોના મોત

જ્યાં સુધી ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરવાળાઓને રહેતું હોય છે ટેન્શન!

અકસ્માત શબ્દ આજકાલ ઘણો સામાન્ય બની ગયો છે. પ્રતિદિન અનેકો અકસ્માત થાય છે અને કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે. અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તેમાં મુખ્યત્વે જવાબદાર હોય છે વાહનની ગતિ. લોકો એટલી સ્પીડમાં વાહન ચલાવતા હોય છે કે જો બ્રેક લગાવવાની આવે તો પણ તે મુશ્કેલ સાબિત થાય, આજકાલ લોકો એવી રીતે ગાડી રસ્તા પર ચલાવી રહ્યા છે જાણે આ રસ્તો તેમના બાપનો..! અનેક લોકોને રસ્તા પર આપણે સ્ટંટ કરતા જોયા છે. આજકાલ તો કદાચ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં સુધી આપણે ઘરે ના પહોંચીએ ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે. 


જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટનામાં થયા ત્રણ લોકોના મોત 

અકસ્માત, હિટ એન્ડ રનની વાત એટલા માટે કરવી છે કારણ કે આજે રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર હિટ એન્ડ રનની ઘટના બની છે અને તેમાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે. એક અકસ્માત જૂનાગઢમાં સર્જાયો છે જ્યારે બીજો અકસ્માત અમદાવાદમાં સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાટવા નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે જેમાં બે લોકો બાંટવાના હતા જ્યારે એક વ્યક્તિ માણાવદરનો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજો અકસ્માત અમદાવાદના વસ્ત્રાલમાં સર્જાયો છે જેમાં એક મહિલાનું મોત વાહનની અડફેટે આવતા થઈ ગયું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  મહત્વનું છે કે કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.