હોલીવુડ એક્ટર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે નિધન


  • Published By :
  • Published Date : 2022-11-12 15:31:39

હોલીવુડ એક્ટર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે અવસાન થયું છે. આ માહિતી બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝમાં કામ કરનાર કો-સ્ટાર ડિયાન પરશિંગે આપી છે. વોર્નર બ્રધર્સ એનિમેશનએ પણ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું છે કે કેન્સર સામે લાંબી લડાઈ લડી રહેલા કેવિન કોનરોયનું અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે કેવિન કોનરોયે એનિમેટેડ શ્રેણીમાં બેટમેનના પાત્રને અવાજ આપ્યો હતો.
Voice of Animated Batman Kevin Conroy Dead at 66
વોર્નર બ્રધર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં, જોકરના પાત્રને પોતાનો અવાજ આપનાર માર્ક હેમિલે અભિનેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. માર્ક હેમિલે કહ્યું, 'કેવિન પરફેક્શનિસ્ટ હતો. હું તેમને ખૂબ પસંદ કરતો હતો. તેની સાથે ભાઈની જેમ વાત કરી. તેણે મારી ખૂબ કાળજી પણ લીધી. તેમની દરેક રચનામાં તેમનું સત્ય દેખાતું હતું. જ્યારે હું તેને કામ કરતો જોતો કે જ્યારે તે વાત કરતો ત્યારે મારામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો. આ સિવાય બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝના લેખક પોલ ડીનીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. આ સિવાય અન્ય સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.