હોલીવુડ એક્ટર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે નિધન


  • Published By :
  • Published Date : 2022-11-12 15:31:39

હોલીવુડ એક્ટર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે અવસાન થયું છે. આ માહિતી બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝમાં કામ કરનાર કો-સ્ટાર ડિયાન પરશિંગે આપી છે. વોર્નર બ્રધર્સ એનિમેશનએ પણ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું છે કે કેન્સર સામે લાંબી લડાઈ લડી રહેલા કેવિન કોનરોયનું અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે કેવિન કોનરોયે એનિમેટેડ શ્રેણીમાં બેટમેનના પાત્રને અવાજ આપ્યો હતો.
Voice of Animated Batman Kevin Conroy Dead at 66
વોર્નર બ્રધર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં, જોકરના પાત્રને પોતાનો અવાજ આપનાર માર્ક હેમિલે અભિનેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. માર્ક હેમિલે કહ્યું, 'કેવિન પરફેક્શનિસ્ટ હતો. હું તેમને ખૂબ પસંદ કરતો હતો. તેની સાથે ભાઈની જેમ વાત કરી. તેણે મારી ખૂબ કાળજી પણ લીધી. તેમની દરેક રચનામાં તેમનું સત્ય દેખાતું હતું. જ્યારે હું તેને કામ કરતો જોતો કે જ્યારે તે વાત કરતો ત્યારે મારામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો. આ સિવાય બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝના લેખક પોલ ડીનીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. આ સિવાય અન્ય સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.


જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.