હોલીવુડ એક્ટર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે નિધન


  • Published By :
  • Published Date : 2022-11-12 15:31:39

હોલીવુડ એક્ટર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે અવસાન થયું છે. આ માહિતી બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝમાં કામ કરનાર કો-સ્ટાર ડિયાન પરશિંગે આપી છે. વોર્નર બ્રધર્સ એનિમેશનએ પણ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું છે કે કેન્સર સામે લાંબી લડાઈ લડી રહેલા કેવિન કોનરોયનું અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે કેવિન કોનરોયે એનિમેટેડ શ્રેણીમાં બેટમેનના પાત્રને અવાજ આપ્યો હતો.
Voice of Animated Batman Kevin Conroy Dead at 66
વોર્નર બ્રધર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં, જોકરના પાત્રને પોતાનો અવાજ આપનાર માર્ક હેમિલે અભિનેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. માર્ક હેમિલે કહ્યું, 'કેવિન પરફેક્શનિસ્ટ હતો. હું તેમને ખૂબ પસંદ કરતો હતો. તેની સાથે ભાઈની જેમ વાત કરી. તેણે મારી ખૂબ કાળજી પણ લીધી. તેમની દરેક રચનામાં તેમનું સત્ય દેખાતું હતું. જ્યારે હું તેને કામ કરતો જોતો કે જ્યારે તે વાત કરતો ત્યારે મારામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો. આ સિવાય બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝના લેખક પોલ ડીનીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. આ સિવાય અન્ય સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.


રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.