હોલીવુડ એક્ટર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે નિધન


  • Published By :
  • Published Date : 2022-11-12 15:31:39

હોલીવુડ એક્ટર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ કેવિન કોનરોયનું 66 વર્ષની વયે અવસાન થયું છે. આ માહિતી બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝમાં કામ કરનાર કો-સ્ટાર ડિયાન પરશિંગે આપી છે. વોર્નર બ્રધર્સ એનિમેશનએ પણ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું છે કે કેન્સર સામે લાંબી લડાઈ લડી રહેલા કેવિન કોનરોયનું અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે કેવિન કોનરોયે એનિમેટેડ શ્રેણીમાં બેટમેનના પાત્રને અવાજ આપ્યો હતો.
Voice of Animated Batman Kevin Conroy Dead at 66
વોર્નર બ્રધર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં, જોકરના પાત્રને પોતાનો અવાજ આપનાર માર્ક હેમિલે અભિનેતાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. માર્ક હેમિલે કહ્યું, 'કેવિન પરફેક્શનિસ્ટ હતો. હું તેમને ખૂબ પસંદ કરતો હતો. તેની સાથે ભાઈની જેમ વાત કરી. તેણે મારી ખૂબ કાળજી પણ લીધી. તેમની દરેક રચનામાં તેમનું સત્ય દેખાતું હતું. જ્યારે હું તેને કામ કરતો જોતો કે જ્યારે તે વાત કરતો ત્યારે મારામાં એક અલગ જ ઉત્સાહ જોવા મળતો. આ સિવાય બેટમેનઃ ધ એનિમેટેડ સિરીઝના લેખક પોલ ડીનીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે. આ સિવાય અન્ય સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે.


થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .