Chinaમાં ફરી એક વખત Hospitals થયા ફુલ , WHOએ આપી ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-24 11:45:11

આપણું વિશ્વ હમણાંજ કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યું છે, અને વિવિધ દેશોના અર્થતંત્રો તો હજુ  પાપા પગલી ભરી રહ્યા છે. ત્યાં તો ચાઇનાથી વધુ એક સમાચાર સામે આવ્યા છે જે ડરાવી દે તેવા છે. ચાઈનામાં વધુ એક રોગચાળો પ્રસરી રહ્યો છે તેવા સમાચાર આવ્યા છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી બાળકોમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શાળાઓને બંધ કરી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે જ્યારે હોસ્પિટલો ફૂલ થઈ ગયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવી પરિસ્થિતિ કોરોના સમયની યાદ અપાવે તેવી છે. 

બાળકોમાં વધી રહ્યો છે ન્યુમોનિયાનો ખતરો

એક સમય હતો તે કોરોનાને કારણે ચીનમાં હાહાકાર મચ્યો હતો. ધીમે ધીમે કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં ફેલાયો. કોરોના સમયને યાદ નથી કરવો પરંતુ ચીનમાં એક રહસ્યમય બિમારી ઝડપથી ફેલાઈ રહી છે તેની વાત કરવી છે. એવા સમચાર મળ્યા છે કે હવે ત્યાં ન્યૂમોનિયાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. તદુપરાંત નાના બાળકો આની ઝપેટમાં ખૂબ ઝડપથી આવી રહ્યા છે. અહીંની શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. એવી સ્થિતિનું નિર્માણ થયું છે જે કોરોના સમયની યાદ અપાવે. 


WHOએ એલર્ટ કર્યું જાહેર  

કોરોનામાંથી વિશ્વ ધીરે ધીરે બહાર આવ્યું છે ત્યારે ચીનમાં ન્યુમોનિયાના કેસ વધી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે તે લિયાઓનિંગ અને પૂર્વ બેઇજિંગમાં તબાહી મચાવી શકે છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે WHOએ એલર્ટ જારી કરીને ચીનને આ રહસ્યમય રોગની વિગતો આપવા કહ્યું છે. આના લક્ષણોની વાત કરીએ તો ન્યુમોનિયાથી પ્રભાવિત લોકોમાં ફેફસામાં સોજો અને તાવ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. 



ક્યારથી આ રોગચાળો ફેલાયો તે અંગે નથી સ્પષ્ટતા 

ચીનમાં ક્યારથી આ રોગચાળો ફાટી નીકળ્યો તેની જાણકારી સામે આવી નથી. આ કેસ સામે આવવાની શરૂઆત ક્યારે થઈ તે પણ સ્પષ્ટ થયું નથી. પરંતુ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે કારણ કે આટલા બધા બાળકોને આટલી ઝડપથી અસર થાય તે વાત સામાન્ય નથી. આ રોગચાળાને મહામારી ગણવું ખૂબ વહેલું છે પરંતુ સાવચેતીના પગલા તો લેવા જોઈએ. મહત્વનું છે કે કોરોના બાદ કોઈ બિમારીનું નામ સાંભળીએ છીએ તો આપણને ડર લાગવા લાગે છે કે શું ફરી એક વખત વાયરલ આતંક મચાવશે?  




જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.