Chinaમાં ફરી એક વખત Hospitals થયા ફુલ , WHOએ આપી ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-24 11:45:11

આપણું વિશ્વ હમણાંજ કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યું છે, અને વિવિધ દેશોના અર્થતંત્રો તો હજુ  પાપા પગલી ભરી રહ્યા છે. ત્યાં તો ચાઇનાથી વધુ એક સમાચાર સામે આવ્યા છે જે ડરાવી દે તેવા છે. ચાઈનામાં વધુ એક રોગચાળો પ્રસરી રહ્યો છે તેવા સમાચાર આવ્યા છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ઝડપથી બાળકોમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શાળાઓને બંધ કરી દેવાઈ છે તેવી માહિતી સામે આવી છે જ્યારે હોસ્પિટલો ફૂલ થઈ ગયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવી પરિસ્થિતિ કોરોના સમયની યાદ અપાવે તેવી છે. 

બાળકોમાં વધી રહ્યો છે ન્યુમોનિયાનો ખતરો

એક સમય હતો તે કોરોનાને કારણે ચીનમાં હાહાકાર મચ્યો હતો. ધીમે ધીમે કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં ફેલાયો. કોરોના સમયને યાદ નથી કરવો પરંતુ ચીનમાં એક રહસ્યમય બિમારી ઝડપથી ફેલાઈ રહી છે તેની વાત કરવી છે. એવા સમચાર મળ્યા છે કે હવે ત્યાં ન્યૂમોનિયાનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. તદુપરાંત નાના બાળકો આની ઝપેટમાં ખૂબ ઝડપથી આવી રહ્યા છે. અહીંની શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. એવી સ્થિતિનું નિર્માણ થયું છે જે કોરોના સમયની યાદ અપાવે. 


WHOએ એલર્ટ કર્યું જાહેર  

કોરોનામાંથી વિશ્વ ધીરે ધીરે બહાર આવ્યું છે ત્યારે ચીનમાં ન્યુમોનિયાના કેસ વધી રહ્યા છે. એવી માહિતી સામે આવી છે કે તે લિયાઓનિંગ અને પૂર્વ બેઇજિંગમાં તબાહી મચાવી શકે છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે WHOએ એલર્ટ જારી કરીને ચીનને આ રહસ્યમય રોગની વિગતો આપવા કહ્યું છે. આના લક્ષણોની વાત કરીએ તો ન્યુમોનિયાથી પ્રભાવિત લોકોમાં ફેફસામાં સોજો અને તાવ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. 



ક્યારથી આ રોગચાળો ફેલાયો તે અંગે નથી સ્પષ્ટતા 

ચીનમાં ક્યારથી આ રોગચાળો ફાટી નીકળ્યો તેની જાણકારી સામે આવી નથી. આ કેસ સામે આવવાની શરૂઆત ક્યારે થઈ તે પણ સ્પષ્ટ થયું નથી. પરંતુ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે કારણ કે આટલા બધા બાળકોને આટલી ઝડપથી અસર થાય તે વાત સામાન્ય નથી. આ રોગચાળાને મહામારી ગણવું ખૂબ વહેલું છે પરંતુ સાવચેતીના પગલા તો લેવા જોઈએ. મહત્વનું છે કે કોરોના બાદ કોઈ બિમારીનું નામ સાંભળીએ છીએ તો આપણને ડર લાગવા લાગે છે કે શું ફરી એક વખત વાયરલ આતંક મચાવશે?  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.