ગૃહમંત્રી અમિત શાહ ફરી સાબિત થયા રાજનીતિના "શાહ"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-04 18:50:49

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.  પશ્ચિમ બંગાળ ભારતની પૂર્વ દિશામાં આવેલું રાજ્ય કે જે લોકસભાની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સૌથી મહત્વનું રાજ્ય છે. જ્યાં લોકસભાની કુલ ૪૨ બેઠકો આવેલી છે. ભારતીય જનતા પાર્ટીને ખુબ પહેલાથી જ બંગાળમાં સત્તા કબ્જે કરવાનું સપનું હતું. ત્યારે , હવે આજે વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ સામે આવ્યા , ભાજપે ૧૯૮ બેઠકો સાથે સત્તા કબ્જે કરી છે. 

Bengal will see end of infiltration after 2026 Assembly election: Amit Shah  slams TMC in Kolkata - India News | The Financial Express

ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે આ બમ્પર જીત હાંસિલ કરી છે? ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૬ના વર્ષમાં ૩ બેઠકો , ૨૦૨૧માં ૭૭ બેઠકો અને આ વખતે ૧૯૮ બેઠકો મળી છે. ૨૦૨૧ની ઘણીબધી ભૂલોમાંથી ભાજપે પોતાની કામગીરીને રેક્ટિફાઈ કરી છે. જેમ કે, ૨૦૨૧માં આખી ભારતીય જનતા પાર્ટી બંગાળના લોકલ નેતાઓથી લઇને બહારના નેતાઓ સીધા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અટેક કરી રહ્યા હતા. પૂર્વ પ્રભારી કૈલાસ વિજયવર્ગીય તો રોજ સવારે ઉઠીને મમતા બેનર્જીને વખોડતા હતા.  આ વખતે ભાજપે CM મમતા બેનર્જીને ડાઇરેક્ટ અટેક કરવાનું ટાળ્યું છે. આ જ કારણ છે, મમતા બેનર્જી તેમની પર જેટલા પણ પ્રહાર થયા તેને બંગાળની અસ્મિતા સાથે ના જોડી શક્યા. બંગાળમાં TMCનો જે પ્રયાસ હતો કે , ભાજપને બોહીરાગૌતો તરીકે ચીતરવામાં આવે તે નિષ્ફળ રહ્યો છે. બોહીરાગૌતોનો મતલબ બાહરી થાય છે. 

Amit Shah Kolkata: কলকাতায় অমিত শাহ, সরকারি অনুষ্ঠান সেরেই বৈঠকে বসবেন  বঙ্গ BJP-র নেতাদের সঙ্গে - amit shah in kolkata to meet west bengal bjp  leaders post bsf event meeting prb -

પશ્ચિમ બંગાળની આ ચૂંટણીઓએ સાબિત કરી દીધું છે કે, ગૃહમંત્રી અમિત શાહ એ ચાણકય છે. તેમના ઈલેક્શન મેનેજમેન્ટની તોલે કોઈ પણ નેતા આજની તારીખમાં ઉભો રહી શકે તેમ નથી.  કેમ કે, અમિત શાહ સપ્ટેમ્બર ૨૦૨૫થી બંગાળની પાછળ લાગી ગયા હતા. તેમણે પોતાના સૌથી વફાદાર સાથીઓ , સનિલ બંસલ અને ભુપેન્દ્ર યાદવને બંગાળ જીતવા લગાવ્યા હતા.  બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની આ જીતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ખુબ મોટો ફાળો છે , કેમ કે, RSS દ્વારા બંગાળમાં નાની નાની ૧ લાખ સભાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત RSSના કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે.  ભાજપે , બંગાળમાં પોતાની પ્રચારની રણનીતિ આ વખતે બદલી નાખી હતી, તેમણે સૌથી વધારે ફોકસ લોકલ મુદ્દાઓ પર કર્યું , જેમ કે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે પછી , ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. બંગાળમાં જે રીતે મમતા સરકાર દ્વારા લક્ષ્મી ભંડાર યોજના અંતર્ગત રેવડીઓ વહેંચવામાં આવી તેની અસર પણ નાબૂદ થઇ ગઈ. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.