ગૃહમંત્રી અમિત શાહ ફરી સાબિત થયા રાજનીતિના "શાહ"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-04 18:50:49

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.  પશ્ચિમ બંગાળ ભારતની પૂર્વ દિશામાં આવેલું રાજ્ય કે જે લોકસભાની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સૌથી મહત્વનું રાજ્ય છે. જ્યાં લોકસભાની કુલ ૪૨ બેઠકો આવેલી છે. ભારતીય જનતા પાર્ટીને ખુબ પહેલાથી જ બંગાળમાં સત્તા કબ્જે કરવાનું સપનું હતું. ત્યારે , હવે આજે વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ સામે આવ્યા , ભાજપે ૧૯૮ બેઠકો સાથે સત્તા કબ્જે કરી છે. 

Bengal will see end of infiltration after 2026 Assembly election: Amit Shah  slams TMC in Kolkata - India News | The Financial Express

ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે આ બમ્પર જીત હાંસિલ કરી છે? ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૬ના વર્ષમાં ૩ બેઠકો , ૨૦૨૧માં ૭૭ બેઠકો અને આ વખતે ૧૯૮ બેઠકો મળી છે. ૨૦૨૧ની ઘણીબધી ભૂલોમાંથી ભાજપે પોતાની કામગીરીને રેક્ટિફાઈ કરી છે. જેમ કે, ૨૦૨૧માં આખી ભારતીય જનતા પાર્ટી બંગાળના લોકલ નેતાઓથી લઇને બહારના નેતાઓ સીધા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અટેક કરી રહ્યા હતા. પૂર્વ પ્રભારી કૈલાસ વિજયવર્ગીય તો રોજ સવારે ઉઠીને મમતા બેનર્જીને વખોડતા હતા.  આ વખતે ભાજપે CM મમતા બેનર્જીને ડાઇરેક્ટ અટેક કરવાનું ટાળ્યું છે. આ જ કારણ છે, મમતા બેનર્જી તેમની પર જેટલા પણ પ્રહાર થયા તેને બંગાળની અસ્મિતા સાથે ના જોડી શક્યા. બંગાળમાં TMCનો જે પ્રયાસ હતો કે , ભાજપને બોહીરાગૌતો તરીકે ચીતરવામાં આવે તે નિષ્ફળ રહ્યો છે. બોહીરાગૌતોનો મતલબ બાહરી થાય છે. 

Amit Shah Kolkata: কলকাতায় অমিত শাহ, সরকারি অনুষ্ঠান সেরেই বৈঠকে বসবেন  বঙ্গ BJP-র নেতাদের সঙ্গে - amit shah in kolkata to meet west bengal bjp  leaders post bsf event meeting prb -

પશ્ચિમ બંગાળની આ ચૂંટણીઓએ સાબિત કરી દીધું છે કે, ગૃહમંત્રી અમિત શાહ એ ચાણકય છે. તેમના ઈલેક્શન મેનેજમેન્ટની તોલે કોઈ પણ નેતા આજની તારીખમાં ઉભો રહી શકે તેમ નથી.  કેમ કે, અમિત શાહ સપ્ટેમ્બર ૨૦૨૫થી બંગાળની પાછળ લાગી ગયા હતા. તેમણે પોતાના સૌથી વફાદાર સાથીઓ , સનિલ બંસલ અને ભુપેન્દ્ર યાદવને બંગાળ જીતવા લગાવ્યા હતા.  બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની આ જીતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ખુબ મોટો ફાળો છે , કેમ કે, RSS દ્વારા બંગાળમાં નાની નાની ૧ લાખ સભાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત RSSના કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે.  ભાજપે , બંગાળમાં પોતાની પ્રચારની રણનીતિ આ વખતે બદલી નાખી હતી, તેમણે સૌથી વધારે ફોકસ લોકલ મુદ્દાઓ પર કર્યું , જેમ કે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે પછી , ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. બંગાળમાં જે રીતે મમતા સરકાર દ્વારા લક્ષ્મી ભંડાર યોજના અંતર્ગત રેવડીઓ વહેંચવામાં આવી તેની અસર પણ નાબૂદ થઇ ગઈ. 



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.