એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ ભારતની પૂર્વ દિશામાં આવેલું રાજ્ય કે જે લોકસભાની દ્રષ્ટિએ ત્રીજા નંબરનું સૌથી મહત્વનું રાજ્ય છે. જ્યાં લોકસભાની કુલ ૪૨ બેઠકો આવેલી છે. ભારતીય જનતા પાર્ટીને ખુબ પહેલાથી જ બંગાળમાં સત્તા કબ્જે કરવાનું સપનું હતું. ત્યારે , હવે આજે વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ સામે આવ્યા , ભાજપે ૧૯૮ બેઠકો સાથે સત્તા કબ્જે કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે આ બમ્પર જીત હાંસિલ કરી છે? ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૬ના વર્ષમાં ૩ બેઠકો , ૨૦૨૧માં ૭૭ બેઠકો અને આ વખતે ૧૯૮ બેઠકો મળી છે. ૨૦૨૧ની ઘણીબધી ભૂલોમાંથી ભાજપે પોતાની કામગીરીને રેક્ટિફાઈ કરી છે. જેમ કે, ૨૦૨૧માં આખી ભારતીય જનતા પાર્ટી બંગાળના લોકલ નેતાઓથી લઇને બહારના નેતાઓ સીધા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અટેક કરી રહ્યા હતા. પૂર્વ પ્રભારી કૈલાસ વિજયવર્ગીય તો રોજ સવારે ઉઠીને મમતા બેનર્જીને વખોડતા હતા. આ વખતે ભાજપે CM મમતા બેનર્જીને ડાઇરેક્ટ અટેક કરવાનું ટાળ્યું છે. આ જ કારણ છે, મમતા બેનર્જી તેમની પર જેટલા પણ પ્રહાર થયા તેને બંગાળની અસ્મિતા સાથે ના જોડી શક્યા. બંગાળમાં TMCનો જે પ્રયાસ હતો કે , ભાજપને બોહીરાગૌતો તરીકે ચીતરવામાં આવે તે નિષ્ફળ રહ્યો છે. બોહીરાગૌતોનો મતલબ બાહરી થાય છે.

પશ્ચિમ બંગાળની આ ચૂંટણીઓએ સાબિત કરી દીધું છે કે, ગૃહમંત્રી અમિત શાહ એ ચાણકય છે. તેમના ઈલેક્શન મેનેજમેન્ટની તોલે કોઈ પણ નેતા આજની તારીખમાં ઉભો રહી શકે તેમ નથી. કેમ કે, અમિત શાહ સપ્ટેમ્બર ૨૦૨૫થી બંગાળની પાછળ લાગી ગયા હતા. તેમણે પોતાના સૌથી વફાદાર સાથીઓ , સનિલ બંસલ અને ભુપેન્દ્ર યાદવને બંગાળ જીતવા લગાવ્યા હતા. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની આ જીતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ખુબ મોટો ફાળો છે , કેમ કે, RSS દ્વારા બંગાળમાં નાની નાની ૧ લાખ સભાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત RSSના કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. ભાજપે , બંગાળમાં પોતાની પ્રચારની રણનીતિ આ વખતે બદલી નાખી હતી, તેમણે સૌથી વધારે ફોકસ લોકલ મુદ્દાઓ પર કર્યું , જેમ કે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે પછી , ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. બંગાળમાં જે રીતે મમતા સરકાર દ્વારા લક્ષ્મી ભંડાર યોજના અંતર્ગત રેવડીઓ વહેંચવામાં આવી તેની અસર પણ નાબૂદ થઇ ગઈ.






.jpg)








