સંતરામપુરના આદિવાસી પરિવારનો કિરણ શિક્ષક બનવા માટે ગાંધીનગરમાં કેવી રીતે જીવે છે? ગુજરાન કરવા માટે ઝોમેટોમાં નોકરી કરે અને....


  • Published By :
  • Published Date : 2024-09-16 15:22:35

સપના પૂરા કરવા માટે સંઘર્ષ કરવો પડે છે... આ વાત આપણે સાંભળીએ તો સાચી લાગે પરંતુ પોતાના સપના પૂરા કરવા માટે જો આંદોલનો કરવા પડે અને તો પણ તેનું પરિણામ ના આવે તો? નાના શહેરોમાંથી મોટા શહેરોમાં જ્યારે માણસ આવે છે ત્યારે તે પોતાની આંખોમાં સપનાઓ લઈને આવે છે, કંઈ કરી છૂટવાની આશા લઈને આવે છે.... પોતાના પરિવારનું નામ રોશન કરવાની આશા લઈને આવે છે. પરંતુ જ્યારે તે આશાઓ પર પાણી ફરી જાય ત્યારે? જ્યારે સપના પૂરા કરવા માટે આંદોલનો કરવા પડે ત્યારે? જ્યાં સુધી વાત કરવાની હોય છે ત્યાં સુધી આપણને બધું સહેલું લાગે પરંતુ જ્યારે તે વાસ્તવિક્તા આપણે જોઈએ ત્યારે ખબર પડે કે કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે આ જગ્યા પર પહોંચવા માટે...

જ્યારે કોઈ આંદોલન કરે છે પોતાના હક માટે તો આપણને એમ થાય કે લોકોને આદત થઈ ગઈ છે રસ્તા પર ઉતરવાની.. પરંતુ ક્યારેય આપણે તેમના દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી છે? ટેટ ટાટ પાસ ઉમેદવાર જ્યારે આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે અનેક લોકો તેનો વિરોધ કરતા હોય છે પરંતુ શિક્ષક બનવા માટે કેટલા વર્ષોની મહેનત કરી છે તેની વાત નથી કરતા.. કેટલી મહેનત કરી તેઓ અહીંયા આવ્યા હશે, કેવી રીતે પોતાનું જીવન ગુજારતા હશે તેની આપણને જાણ નથી.. સમય અને પૈસાની કટોકટીમાં કેવી રીતે મેનેજ કરે છે તેના વિશે આપણે નથી વિચારતા.. ત્યારે જમાવટે એક નવી પહેલ શરૂ કરી છે.. એવા લોકો સાથે એક દિવસ વિતાવશે જેમની પરિસ્થિતિની કલ્પના પણ આપણે ના કરી શકીએ. 

જમાવટની ટીમ પહોચી હતી ગાંધીનગર જ્યાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો રહે છે અને તેમની સાથે 24 કલાક વિતાવ્યા હતા.. મહેનત કરી, નાની ઓરડીમાં રહી આ ઉમેદવારો કંઈક બનવા આવ્યા છે.. સંતરામપુરથી શિક્ષક બનવા માટે આવેલા કિરણે જણાવ્યું કે તેમના પાસે બિઝનેસ શરૂ કરી શકાય એટલા પૈસા નથી, રોજગારી પણ નથી જેને કારમે તેમની પાસે સરકારી નોકરી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.. જ્યારે કોઈ તેમને પૂછે કે હજી નોકરી નથી લાગ્યા તો તે જવાબ નથી આપી શકતા..  કારણ કે સરકાર પરીક્ષા પૂરી જ નથી કરતી..! વાંચવા માટે તેઓ લાઈબ્રેરી જાય છે અને કલાકો સુધી મહેનત કરે છે. લાઈબ્રેરીમાંથી આવ્યા બાદ તે લોકો જલ્દી ખાવાનું બનાવી દે છે કારણ કે તેઓ પરીક્ષાની તૈયારીની સાથે સાથે ઝોમેટોમાં પણ કામ કરે છે. નોકરી કરવાથી તેમને થોડો આર્થિક ટેકો રહે.. 




કોઈ પણ માતા પિતા ના ઈચ્છે કે તેમનો બાળક ખુલ્લા પગે દોડે.. કિરણભાઈ ના પપ્પા ઈચ્છતા ના હતા કે તે ખુલ્લા પગે દોડે એટલે તેમણે પૈસા મોકલાવ્યા પરંતુ તે પૈસાનો ખર્ચ આંદોલન કરવામાં થઈ ગયો અને તે બુટ ના ખરીદી શક્યા અને આજે તે ખુલ્લા પગે દોડવાની પ્રેક્ટિસ કરે છે..સવારે 7 વાગ્યે તે દોડવા જાય છે.. ત્યાં બીજા અનેક ઉમેદવારો હતા જે કસરત કરે છે. ઉમેદવારોનું કહેવું છે આ શારીરિક કસરતથી થાક નથી લાગતો પણ સરકાર અમને થકવી દે છે.. જ્યારે વિરોધ શા માટે કરવામાં આવે છે તેનો પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે લોકોને કાયમી રોજગારી નથી મળતી.. કંપનીનું નક્કી ના હોય કે કાયમી રોજરાગી મળશે કે નહીં.. સરકારી નોકરી જો ઘરની નજીક મળી રહે તે માટે સરકારી નોકરીને પ્રાધાન્ય આપીએ છીએ..  


ઉલ્લેખનિય છે કે કાયમી શિક્ષક બનવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં જ્યારે જ્યારે રસ્તા પર ઉમેદવારો પોતાની માગ સાથે ઉતરે છે ત્યારે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે દ્રશ્યો આપણે જોયા છે.. જે રીતે ઉમેદવારોને ઢસેડવામાં આવે છે, જે રીતે તેમની અટકાયત કરવામાં આવે છે તે પણ આપણે જોયું છે.. આંદોલન કરતી વખતે આપણે ઉમેદવારો વિશે આસાનીથી કહી દેતા હોઈએ છીએ પરંતુ તેમના માટે એ નોકરી કેમ મહત્વની છે, નોકરી મેળવવા કેટલો સંઘર્ષ કર્યો હોય છે, કેટલા સપનાઓનું બલિદાન કર્યું હશે અને તે આ જોયા બાદ કદાચ તમને ખબર પડે તેવી આશા...આ માત્ર કિરણનું કહાણી નથી આવા તો લાખો ઉમેદવારો હશે જે આવી મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને સપના પૂરા કરવા માટે મહેનત કરે છે... 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.