સંતરામપુરના આદિવાસી પરિવારનો કિરણ શિક્ષક બનવા માટે ગાંધીનગરમાં કેવી રીતે જીવે છે? ગુજરાન કરવા માટે ઝોમેટોમાં નોકરી કરે અને....


  • Published By :
  • Published Date : 2024-09-16 15:22:35

સપના પૂરા કરવા માટે સંઘર્ષ કરવો પડે છે... આ વાત આપણે સાંભળીએ તો સાચી લાગે પરંતુ પોતાના સપના પૂરા કરવા માટે જો આંદોલનો કરવા પડે અને તો પણ તેનું પરિણામ ના આવે તો? નાના શહેરોમાંથી મોટા શહેરોમાં જ્યારે માણસ આવે છે ત્યારે તે પોતાની આંખોમાં સપનાઓ લઈને આવે છે, કંઈ કરી છૂટવાની આશા લઈને આવે છે.... પોતાના પરિવારનું નામ રોશન કરવાની આશા લઈને આવે છે. પરંતુ જ્યારે તે આશાઓ પર પાણી ફરી જાય ત્યારે? જ્યારે સપના પૂરા કરવા માટે આંદોલનો કરવા પડે ત્યારે? જ્યાં સુધી વાત કરવાની હોય છે ત્યાં સુધી આપણને બધું સહેલું લાગે પરંતુ જ્યારે તે વાસ્તવિક્તા આપણે જોઈએ ત્યારે ખબર પડે કે કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે આ જગ્યા પર પહોંચવા માટે...

જ્યારે કોઈ આંદોલન કરે છે પોતાના હક માટે તો આપણને એમ થાય કે લોકોને આદત થઈ ગઈ છે રસ્તા પર ઉતરવાની.. પરંતુ ક્યારેય આપણે તેમના દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી છે? ટેટ ટાટ પાસ ઉમેદવાર જ્યારે આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે અનેક લોકો તેનો વિરોધ કરતા હોય છે પરંતુ શિક્ષક બનવા માટે કેટલા વર્ષોની મહેનત કરી છે તેની વાત નથી કરતા.. કેટલી મહેનત કરી તેઓ અહીંયા આવ્યા હશે, કેવી રીતે પોતાનું જીવન ગુજારતા હશે તેની આપણને જાણ નથી.. સમય અને પૈસાની કટોકટીમાં કેવી રીતે મેનેજ કરે છે તેના વિશે આપણે નથી વિચારતા.. ત્યારે જમાવટે એક નવી પહેલ શરૂ કરી છે.. એવા લોકો સાથે એક દિવસ વિતાવશે જેમની પરિસ્થિતિની કલ્પના પણ આપણે ના કરી શકીએ. 

જમાવટની ટીમ પહોચી હતી ગાંધીનગર જ્યાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો રહે છે અને તેમની સાથે 24 કલાક વિતાવ્યા હતા.. મહેનત કરી, નાની ઓરડીમાં રહી આ ઉમેદવારો કંઈક બનવા આવ્યા છે.. સંતરામપુરથી શિક્ષક બનવા માટે આવેલા કિરણે જણાવ્યું કે તેમના પાસે બિઝનેસ શરૂ કરી શકાય એટલા પૈસા નથી, રોજગારી પણ નથી જેને કારમે તેમની પાસે સરકારી નોકરી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.. જ્યારે કોઈ તેમને પૂછે કે હજી નોકરી નથી લાગ્યા તો તે જવાબ નથી આપી શકતા..  કારણ કે સરકાર પરીક્ષા પૂરી જ નથી કરતી..! વાંચવા માટે તેઓ લાઈબ્રેરી જાય છે અને કલાકો સુધી મહેનત કરે છે. લાઈબ્રેરીમાંથી આવ્યા બાદ તે લોકો જલ્દી ખાવાનું બનાવી દે છે કારણ કે તેઓ પરીક્ષાની તૈયારીની સાથે સાથે ઝોમેટોમાં પણ કામ કરે છે. નોકરી કરવાથી તેમને થોડો આર્થિક ટેકો રહે.. 




કોઈ પણ માતા પિતા ના ઈચ્છે કે તેમનો બાળક ખુલ્લા પગે દોડે.. કિરણભાઈ ના પપ્પા ઈચ્છતા ના હતા કે તે ખુલ્લા પગે દોડે એટલે તેમણે પૈસા મોકલાવ્યા પરંતુ તે પૈસાનો ખર્ચ આંદોલન કરવામાં થઈ ગયો અને તે બુટ ના ખરીદી શક્યા અને આજે તે ખુલ્લા પગે દોડવાની પ્રેક્ટિસ કરે છે..સવારે 7 વાગ્યે તે દોડવા જાય છે.. ત્યાં બીજા અનેક ઉમેદવારો હતા જે કસરત કરે છે. ઉમેદવારોનું કહેવું છે આ શારીરિક કસરતથી થાક નથી લાગતો પણ સરકાર અમને થકવી દે છે.. જ્યારે વિરોધ શા માટે કરવામાં આવે છે તેનો પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે લોકોને કાયમી રોજગારી નથી મળતી.. કંપનીનું નક્કી ના હોય કે કાયમી રોજરાગી મળશે કે નહીં.. સરકારી નોકરી જો ઘરની નજીક મળી રહે તે માટે સરકારી નોકરીને પ્રાધાન્ય આપીએ છીએ..  


ઉલ્લેખનિય છે કે કાયમી શિક્ષક બનવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં જ્યારે જ્યારે રસ્તા પર ઉમેદવારો પોતાની માગ સાથે ઉતરે છે ત્યારે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે દ્રશ્યો આપણે જોયા છે.. જે રીતે ઉમેદવારોને ઢસેડવામાં આવે છે, જે રીતે તેમની અટકાયત કરવામાં આવે છે તે પણ આપણે જોયું છે.. આંદોલન કરતી વખતે આપણે ઉમેદવારો વિશે આસાનીથી કહી દેતા હોઈએ છીએ પરંતુ તેમના માટે એ નોકરી કેમ મહત્વની છે, નોકરી મેળવવા કેટલો સંઘર્ષ કર્યો હોય છે, કેટલા સપનાઓનું બલિદાન કર્યું હશે અને તે આ જોયા બાદ કદાચ તમને ખબર પડે તેવી આશા...આ માત્ર કિરણનું કહાણી નથી આવા તો લાખો ઉમેદવારો હશે જે આવી મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને સપના પૂરા કરવા માટે મહેનત કરે છે... 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.