‘બ્રહ્માસ્ત્ર’એ બે દિવસમાં કેટલી કરી કમાણી?,જુઓ બોક્સ ઓફિસ રીવ્યુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:56:44

આ શુક્રવારે 'બ્રહ્માસ્ત્ર' એ  સિનેમાઘરોમાં દસ્તક દીધી. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા . પ્રેક્ષકોની અપેક્ષા મુજબ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયું છે. બ્રહ્માસ્ત્રની શરૂઆત ખૂબ જ શાનદાર હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે વૈશ્વિક સ્તરે 75 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. આ સાથે જ બ્રહ્માસ્ત્રના બીજા દિવસની કમાણી પણ સામે આવી છે. જેમાં ફિલ્મએ પેહલા દિવસ કરતાં પણ વધુ કમાણી કરી છે . અને ફિલ્મ 100 કારોડ ક્લબ માં એન્ટ્રી કરવા સુધી પોહચી ગઈ છે . અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.


Brahmastra: Will a Brahmastra strike turn Bollywood's fledgling fortunes  around? - The Economic Times


એડવાંન્સ બૂકિંગ RRR કરતાં પણ વધાર 

Brahmastra is winner, beats RRR before its release

ઓપનિંગ ડે માટેજ 'બ્રહ્માસ્ત્ર’ની અદાજે 11 કરોડ ટિકિટ વહચાઈ હતી અને હિન્દી માં 10 કારોડ રૂપિયા જેટલી ટિકિટ નો વકરો થયો થતો બ્રહ્માસ્ત્રએ રાજમૌલીની RRR ના હિન્દી વર્જનને ઍડ્વાન્સ બૂકિંગ માં પાછળ મૂકી દીધું છે રાજમૌલીની  ફિલ્મનું ઍડ્વાન્સ બૂકિંગ 7 કારોડ હતું . અને અયન મુખર્જી ની 'બ્રહ્માસ્ત્ર’નું 10 કારોડ એ પોહકહ્યું હતું હવે મોટી વાત એ છે કે હિન્દી વર્ઝન માટે ઓપનિંગ વિકેન્ડનું બૂકિંગ 22.25 કારોડ જેટલું છે . 


રણબીરની હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ 

Ranbir Kapoor On Why Dad Rishi

'બ્રહ્માસ્ત્ર' રણબીર કપૂરની અત્યાર સુધીની સૌથી મોટું ઓપનિંગ કલેક્શન કરનારી ફિલ્મ બની છે. આ પહેલાં રણબીરની 'સંજુ'એ 34.75 કરોડની કમાણી કરી હતી, આયન મુખર્જીના ડાઇરેક્શન માં બનેલી 410 કારોડ ના બજેટ ની 'બ્રહ્માસ્ત્ર’ રણબીર માટે મેજિક સાબિત થઈ છે છેલ્લા કેટલાય સમયથી રણબીર કપૂર ની ફિલ્મ પ્રેક્ષકો એ આટલી નોતી વખાણી જ્યારે  'બ્રહ્માસ્ત્ર’ એ રણબીરની હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ બનાવી દીધી છે 2015 માં આવેલી બોમ્બે વેલ્વેટ ઓપનિંગ કલેક્શન 5.20 કારોડ હતું તેના પછી આવેલી તમાશા એ 10.94 કારોડ નું ઓપનિંગ કલેક્શન કરિયું હતું અને 2018 માં આવેલી સંજુ એ 34.75 કારોડ કલેક્શન કરિયું ત્યાર બાદ સીધું 'બ્રહ્માસ્ત્ર’ જેને પહેલાજ દિવસે બોક્સ ઓફિસ પર  જબરજસ્ત ઓપનિંગ કલેક્શન કરિયું .



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.