JDU નીતિશને PM ચહેરો જાહેર કરશે! પૂર્ણિયામાં મહાગઠબંધનની જાહેરાત થશે, 7 રાજકીય પક્ષોનું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-02-24 14:30:59

લોકસભા ચૂંટણી 2024 અને બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકારણ ગરમાયું છે. મહાગઠબંધન પહેલા જ વિપક્ષો એકતાની કવાયતમાં વ્યસ્ત છે. નીતીશ કુમાર વિપક્ષી એકતા માટે સમગ્ર દેશના પ્રાદેશિક પક્ષોને એક મંચ પર લાવવા માટે સક્રિય છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહાગઠબંધનના સાત પક્ષો વતી બિહારમાં 25 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત એકતા રેલીમાં JDU વડાપ્રધાન પદના ચહેરા તરીકે મુખ્યમંત્રી નીતિશ કુમારના નામની જાહેરાત કરવામાં આવશે.


બિહારના પૂર્ણિયામાં શક્તિ પ્રદર્શન


25 ફેબ્રુઆરીના દિવસે બિહારના પૂર્ણીયામાં આયોજીત વિપક્ષોની એકતા રેલી પર ભાજપ સહિત એનડીએમાં સામેલ અન્ય પક્ષોની નજર છે. બિહારમાં સરકાર રચાયા બાદ મહાગઠબંધનની પૂર્ણિયામાં આ પહેલી મોટી રેલી છે. આ રેલીમાં મહાગઠબંધનના નેતા ઓ કેન્દ્ર દ્વારા રાજ્યની ઉપેક્ષા અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દાઓ ઉઠાવશે.


નીતિશના નજીકના નેતાનો ખુલાસો 


જેડી(યુ)ના એક વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારની કેબિનેટના મંત્રીએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે તેઓ પીએમ પદ માટે નીતિશ કુમારના નામની જાહેરાત કરશે. નેતાએ કહ્યું કે અન્ય કેટલીક પાર્ટીઓએ પણ અમારા પગલાને સમર્થન આપ્યું છે. પરંતુ આજે હું તેમના નામ જાહેર કરીશ નહીં. મહાગઠબંધનના સૂત્રોએ જણાવ્યું કે શાસક સાથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પણ આ પગલાને સમર્થન આપ્યું છે. નીતીશ કુમારે ઘણી વખત પીએમ ચહેરો હોવાના આવા દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમને વડાપ્રધાન બનવામાં રસ નથી.


નીતીશ PMનો ચહેરો હશે


જ્યારે મીડિયાએ નીતીશ કુમારને આ બાબતે પૂછ્યું તો તેમનો જવાબ હતો કે બધું બકવાસ છે. દરમિયાન, બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 ફેબ્રુઆરીએ ચંપારણના વાલ્મિકીનગર સંસદીય ક્ષેત્રના લૌરિયામાં પાર્ટી કાર્યકરોના સંમેલનને સંબોધિત કરવાના છે. બાદમાં તેઓ સ્વાતંત્ર્ય સેનાની અને પીઢ ખેડૂત નેતા સ્વામી સહજાનંદ સરસ્વતીની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે બાપુ ઓડિટોરિયમ, પટના ખાતે કિસાન મજદૂર સમાગમને પણ સંબોધશે. ઓગસ્ટ 2022માં JD(U)એ ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ શાહની બિહારની આ ત્રીજી મુલાકાત હશે. પૂર્ણિયાની રેલીમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, તેમની પાર્ટીના ટોચના નેતાઓ, નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને ડાબેરી પક્ષોના કેટલાક ટોચના નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ બિમાર હોવાથી વર્ચ્યુઅલ રીતે રેલીને સંબોધિત કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે