JDU નીતિશને PM ચહેરો જાહેર કરશે! પૂર્ણિયામાં મહાગઠબંધનની જાહેરાત થશે, 7 રાજકીય પક્ષોનું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-02-24 14:30:59

લોકસભા ચૂંટણી 2024 અને બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકારણ ગરમાયું છે. મહાગઠબંધન પહેલા જ વિપક્ષો એકતાની કવાયતમાં વ્યસ્ત છે. નીતીશ કુમાર વિપક્ષી એકતા માટે સમગ્ર દેશના પ્રાદેશિક પક્ષોને એક મંચ પર લાવવા માટે સક્રિય છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહાગઠબંધનના સાત પક્ષો વતી બિહારમાં 25 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત એકતા રેલીમાં JDU વડાપ્રધાન પદના ચહેરા તરીકે મુખ્યમંત્રી નીતિશ કુમારના નામની જાહેરાત કરવામાં આવશે.


બિહારના પૂર્ણિયામાં શક્તિ પ્રદર્શન


25 ફેબ્રુઆરીના દિવસે બિહારના પૂર્ણીયામાં આયોજીત વિપક્ષોની એકતા રેલી પર ભાજપ સહિત એનડીએમાં સામેલ અન્ય પક્ષોની નજર છે. બિહારમાં સરકાર રચાયા બાદ મહાગઠબંધનની પૂર્ણિયામાં આ પહેલી મોટી રેલી છે. આ રેલીમાં મહાગઠબંધનના નેતા ઓ કેન્દ્ર દ્વારા રાજ્યની ઉપેક્ષા અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દાઓ ઉઠાવશે.


નીતિશના નજીકના નેતાનો ખુલાસો 


જેડી(યુ)ના એક વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારની કેબિનેટના મંત્રીએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે તેઓ પીએમ પદ માટે નીતિશ કુમારના નામની જાહેરાત કરશે. નેતાએ કહ્યું કે અન્ય કેટલીક પાર્ટીઓએ પણ અમારા પગલાને સમર્થન આપ્યું છે. પરંતુ આજે હું તેમના નામ જાહેર કરીશ નહીં. મહાગઠબંધનના સૂત્રોએ જણાવ્યું કે શાસક સાથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પણ આ પગલાને સમર્થન આપ્યું છે. નીતીશ કુમારે ઘણી વખત પીએમ ચહેરો હોવાના આવા દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમને વડાપ્રધાન બનવામાં રસ નથી.


નીતીશ PMનો ચહેરો હશે


જ્યારે મીડિયાએ નીતીશ કુમારને આ બાબતે પૂછ્યું તો તેમનો જવાબ હતો કે બધું બકવાસ છે. દરમિયાન, બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 ફેબ્રુઆરીએ ચંપારણના વાલ્મિકીનગર સંસદીય ક્ષેત્રના લૌરિયામાં પાર્ટી કાર્યકરોના સંમેલનને સંબોધિત કરવાના છે. બાદમાં તેઓ સ્વાતંત્ર્ય સેનાની અને પીઢ ખેડૂત નેતા સ્વામી સહજાનંદ સરસ્વતીની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે બાપુ ઓડિટોરિયમ, પટના ખાતે કિસાન મજદૂર સમાગમને પણ સંબોધશે. ઓગસ્ટ 2022માં JD(U)એ ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ શાહની બિહારની આ ત્રીજી મુલાકાત હશે. પૂર્ણિયાની રેલીમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, તેમની પાર્ટીના ટોચના નેતાઓ, નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને ડાબેરી પક્ષોના કેટલાક ટોચના નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ બિમાર હોવાથી વર્ચ્યુઅલ રીતે રેલીને સંબોધિત કરશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.