JDU નીતિશને PM ચહેરો જાહેર કરશે! પૂર્ણિયામાં મહાગઠબંધનની જાહેરાત થશે, 7 રાજકીય પક્ષોનું સમર્થન


  • Published By :
  • Published Date : 2023-02-24 14:30:59

લોકસભા ચૂંટણી 2024 અને બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકારણ ગરમાયું છે. મહાગઠબંધન પહેલા જ વિપક્ષો એકતાની કવાયતમાં વ્યસ્ત છે. નીતીશ કુમાર વિપક્ષી એકતા માટે સમગ્ર દેશના પ્રાદેશિક પક્ષોને એક મંચ પર લાવવા માટે સક્રિય છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહાગઠબંધનના સાત પક્ષો વતી બિહારમાં 25 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત એકતા રેલીમાં JDU વડાપ્રધાન પદના ચહેરા તરીકે મુખ્યમંત્રી નીતિશ કુમારના નામની જાહેરાત કરવામાં આવશે.


બિહારના પૂર્ણિયામાં શક્તિ પ્રદર્શન


25 ફેબ્રુઆરીના દિવસે બિહારના પૂર્ણીયામાં આયોજીત વિપક્ષોની એકતા રેલી પર ભાજપ સહિત એનડીએમાં સામેલ અન્ય પક્ષોની નજર છે. બિહારમાં સરકાર રચાયા બાદ મહાગઠબંધનની પૂર્ણિયામાં આ પહેલી મોટી રેલી છે. આ રેલીમાં મહાગઠબંધનના નેતા ઓ કેન્દ્ર દ્વારા રાજ્યની ઉપેક્ષા અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દાઓ ઉઠાવશે.


નીતિશના નજીકના નેતાનો ખુલાસો 


જેડી(યુ)ના એક વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારની કેબિનેટના મંત્રીએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે તેઓ પીએમ પદ માટે નીતિશ કુમારના નામની જાહેરાત કરશે. નેતાએ કહ્યું કે અન્ય કેટલીક પાર્ટીઓએ પણ અમારા પગલાને સમર્થન આપ્યું છે. પરંતુ આજે હું તેમના નામ જાહેર કરીશ નહીં. મહાગઠબંધનના સૂત્રોએ જણાવ્યું કે શાસક સાથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પણ આ પગલાને સમર્થન આપ્યું છે. નીતીશ કુમારે ઘણી વખત પીએમ ચહેરો હોવાના આવા દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમને વડાપ્રધાન બનવામાં રસ નથી.


નીતીશ PMનો ચહેરો હશે


જ્યારે મીડિયાએ નીતીશ કુમારને આ બાબતે પૂછ્યું તો તેમનો જવાબ હતો કે બધું બકવાસ છે. દરમિયાન, બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 ફેબ્રુઆરીએ ચંપારણના વાલ્મિકીનગર સંસદીય ક્ષેત્રના લૌરિયામાં પાર્ટી કાર્યકરોના સંમેલનને સંબોધિત કરવાના છે. બાદમાં તેઓ સ્વાતંત્ર્ય સેનાની અને પીઢ ખેડૂત નેતા સ્વામી સહજાનંદ સરસ્વતીની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે બાપુ ઓડિટોરિયમ, પટના ખાતે કિસાન મજદૂર સમાગમને પણ સંબોધશે. ઓગસ્ટ 2022માં JD(U)એ ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ શાહની બિહારની આ ત્રીજી મુલાકાત હશે. પૂર્ણિયાની રેલીમાં મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, તેમની પાર્ટીના ટોચના નેતાઓ, નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને ડાબેરી પક્ષોના કેટલાક ટોચના નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ બિમાર હોવાથી વર્ચ્યુઅલ રીતે રેલીને સંબોધિત કરશે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.