સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધશે, હિંદુસ્તાન યૂનિલીવરે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 12:13:56

મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે વધુ એક માઠા સમાચાર છે. જીવન જરૂરીયાતની ચીજો જેવી કે સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધવાની છે.  રિન, લક્સ, લાઈફબોય,  ફેર એન્ડ લવલી, હોર્લિક્સ જેવી ક્ન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપની હિંદુસ્તાન યુનીલીવર (HUL)તેની પ્રોડક્ટની કિંમતો વધારી શકે છે.  


પેરેન્ટ કંપનીએ માગી રોયલ્ટી


હિંદુસ્તાન યુનીલીવર (HUL)ના જણાવ્યા પ્રમાણે તેની પેરેન્ટ કંપની યુનિલીવર પીએલસીએ રોયલ્ટી ફિમાં 80 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વૃધ્ધી ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. યુનિલીવરમાં 10 વર્ષમાં પહેલી વખત રોયલ્ટી ફિ વધારવામાં આવી છે. આ પહેલા વર્ષ 2013માં તેમાં વધારો કરાયો હતો. 


રોયલ્ટી ફિ 3 તબક્કામાં ચૂકવાશે


HULએ જણાવ્યું છે કે નવા એગ્રીમેન્ટ મુજબ રોયલ્ટી અને સેન્ટ્રલ સર્વિસીસ ફિ વધારીને 3.45 ટકા કરવામાં આવી છે. ગત નાણાકિય વર્ષમાં તે 2.65 ટકા હતી. ગત નાણાકિય વર્ષમાં HULની રેવન્યુ 51,193 કરોડ રૂપિયા રહી જે એક વર્ષની તુલનામાં 11.3 ટકા વધુ છે. તેમાથી કંપનીએ તેની પેરેન્ટ કંપનીને 2.65 ટકા રોયલ્ટી ફિ ચૂકવી હતી.રોટલ્ટી ફિમાં 80 બીપીએસની વૃધ્ધી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. તેનાથી HULની રોયલ્ટી ફિ ફેબ્રુઆરીથી ડિસેમ્બર 2023 માટે 45 બીપીએસ વધી જશે. આ જ પ્રકારે 2024માં તેમાં 25 બીપીએસ અને 2025માં 10 ટકાની વૃધ્ધી થશે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.