સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધશે, હિંદુસ્તાન યૂનિલીવરે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 12:13:56

મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે વધુ એક માઠા સમાચાર છે. જીવન જરૂરીયાતની ચીજો જેવી કે સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધવાની છે.  રિન, લક્સ, લાઈફબોય,  ફેર એન્ડ લવલી, હોર્લિક્સ જેવી ક્ન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપની હિંદુસ્તાન યુનીલીવર (HUL)તેની પ્રોડક્ટની કિંમતો વધારી શકે છે.  


પેરેન્ટ કંપનીએ માગી રોયલ્ટી


હિંદુસ્તાન યુનીલીવર (HUL)ના જણાવ્યા પ્રમાણે તેની પેરેન્ટ કંપની યુનિલીવર પીએલસીએ રોયલ્ટી ફિમાં 80 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વૃધ્ધી ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. યુનિલીવરમાં 10 વર્ષમાં પહેલી વખત રોયલ્ટી ફિ વધારવામાં આવી છે. આ પહેલા વર્ષ 2013માં તેમાં વધારો કરાયો હતો. 


રોયલ્ટી ફિ 3 તબક્કામાં ચૂકવાશે


HULએ જણાવ્યું છે કે નવા એગ્રીમેન્ટ મુજબ રોયલ્ટી અને સેન્ટ્રલ સર્વિસીસ ફિ વધારીને 3.45 ટકા કરવામાં આવી છે. ગત નાણાકિય વર્ષમાં તે 2.65 ટકા હતી. ગત નાણાકિય વર્ષમાં HULની રેવન્યુ 51,193 કરોડ રૂપિયા રહી જે એક વર્ષની તુલનામાં 11.3 ટકા વધુ છે. તેમાથી કંપનીએ તેની પેરેન્ટ કંપનીને 2.65 ટકા રોયલ્ટી ફિ ચૂકવી હતી.રોટલ્ટી ફિમાં 80 બીપીએસની વૃધ્ધી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. તેનાથી HULની રોયલ્ટી ફિ ફેબ્રુઆરીથી ડિસેમ્બર 2023 માટે 45 બીપીએસ વધી જશે. આ જ પ્રકારે 2024માં તેમાં 25 બીપીએસ અને 2025માં 10 ટકાની વૃધ્ધી થશે.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.