સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધશે, હિંદુસ્તાન યૂનિલીવરે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 12:13:56

મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે વધુ એક માઠા સમાચાર છે. જીવન જરૂરીયાતની ચીજો જેવી કે સાબુ, ટુથપેસ્ટ અને શેમ્પુ જેવી ચીજોની કિંમતો વધવાની છે.  રિન, લક્સ, લાઈફબોય,  ફેર એન્ડ લવલી, હોર્લિક્સ જેવી ક્ન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપની હિંદુસ્તાન યુનીલીવર (HUL)તેની પ્રોડક્ટની કિંમતો વધારી શકે છે.  


પેરેન્ટ કંપનીએ માગી રોયલ્ટી


હિંદુસ્તાન યુનીલીવર (HUL)ના જણાવ્યા પ્રમાણે તેની પેરેન્ટ કંપની યુનિલીવર પીએલસીએ રોયલ્ટી ફિમાં 80 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વૃધ્ધી ત્રણ વર્ષમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. યુનિલીવરમાં 10 વર્ષમાં પહેલી વખત રોયલ્ટી ફિ વધારવામાં આવી છે. આ પહેલા વર્ષ 2013માં તેમાં વધારો કરાયો હતો. 


રોયલ્ટી ફિ 3 તબક્કામાં ચૂકવાશે


HULએ જણાવ્યું છે કે નવા એગ્રીમેન્ટ મુજબ રોયલ્ટી અને સેન્ટ્રલ સર્વિસીસ ફિ વધારીને 3.45 ટકા કરવામાં આવી છે. ગત નાણાકિય વર્ષમાં તે 2.65 ટકા હતી. ગત નાણાકિય વર્ષમાં HULની રેવન્યુ 51,193 કરોડ રૂપિયા રહી જે એક વર્ષની તુલનામાં 11.3 ટકા વધુ છે. તેમાથી કંપનીએ તેની પેરેન્ટ કંપનીને 2.65 ટકા રોયલ્ટી ફિ ચૂકવી હતી.રોટલ્ટી ફિમાં 80 બીપીએસની વૃધ્ધી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. તેનાથી HULની રોયલ્ટી ફિ ફેબ્રુઆરીથી ડિસેમ્બર 2023 માટે 45 બીપીએસ વધી જશે. આ જ પ્રકારે 2024માં તેમાં 25 બીપીએસ અને 2025માં 10 ટકાની વૃધ્ધી થશે.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.