અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટક્યું વિનાસક 'ઈયાન' વાવાઝોડુ, 47 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:37:38

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક વાવાઝોડા 'ઈયાન'ને કારણે મોટાપાયે વિનાશ થયો છે. 'ઈયાન' વાવાઝોડાથી અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્લોરિડા રાજ્યના ડોકટરોની ટીમ દ્વારા મૃત્યુઆંક એકત્રિત કરવામાં આવ્યો છે. મૃતકોનો ડેટા રાખતી ડોક્ટરોની ટીમના જણાવ્યા અનુસાર, ચક્રવાત પછી આવેલા પૂરમાં ડૂબી જવાથી ઘણા લોકોના મોત થયા છે.


1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું


શક્તિશાળી તોફાને પશ્ચિમી ક્યુબા, ફ્લોરિડા અને દક્ષિણ કેરોલિનામાં સૌથી વધુ તબાહી મચાવી છે. યુએસ નેશનલ ગાર્ડના ચીફ જનરલ ડેનિયલ હોંકસને જણાવ્યું કે ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ કિનારેથી 1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીમાં પૂરના કારણે બચાવ કામગીરી અને પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. મિયાક્કા નદીમાં પૂરને કારણે આંતર રાજ્ય માર્ગ નંબર 75 ના કેટલાક ભાગો ધોવાઇ ગયા હતા, જેના કારણે શનિવારે રોડ પરનો ટ્રાફિક રોકવાની ફરજ પડી હતી.અમેરિકાના પ્રમુખ બાઈડનના જણાવ્યા પ્રમાણે ફ્લોરિડામાં ત્રાટકેલું અત્યાર સુધીનું આ સૌથી વિનાસક વાવાઝોડું છે. હાલ રાજ્યમાં 2,80,000 ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે. 


પીએમ મોદીએ પણ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અમેરિકાના વિનાશક વાવાઝોડાથી થયેલા જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઈડન પ્રત્યે પીએમ મોદીએ ઉંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. 



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.