અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટક્યું વિનાસક 'ઈયાન' વાવાઝોડુ, 47 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 16:37:38

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક વાવાઝોડા 'ઈયાન'ને કારણે મોટાપાયે વિનાશ થયો છે. 'ઈયાન' વાવાઝોડાથી અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્લોરિડા રાજ્યના ડોકટરોની ટીમ દ્વારા મૃત્યુઆંક એકત્રિત કરવામાં આવ્યો છે. મૃતકોનો ડેટા રાખતી ડોક્ટરોની ટીમના જણાવ્યા અનુસાર, ચક્રવાત પછી આવેલા પૂરમાં ડૂબી જવાથી ઘણા લોકોના મોત થયા છે.


1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું


શક્તિશાળી તોફાને પશ્ચિમી ક્યુબા, ફ્લોરિડા અને દક્ષિણ કેરોલિનામાં સૌથી વધુ તબાહી મચાવી છે. યુએસ નેશનલ ગાર્ડના ચીફ જનરલ ડેનિયલ હોંકસને જણાવ્યું કે ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ કિનારેથી 1,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીમાં પૂરના કારણે બચાવ કામગીરી અને પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. મિયાક્કા નદીમાં પૂરને કારણે આંતર રાજ્ય માર્ગ નંબર 75 ના કેટલાક ભાગો ધોવાઇ ગયા હતા, જેના કારણે શનિવારે રોડ પરનો ટ્રાફિક રોકવાની ફરજ પડી હતી.અમેરિકાના પ્રમુખ બાઈડનના જણાવ્યા પ્રમાણે ફ્લોરિડામાં ત્રાટકેલું અત્યાર સુધીનું આ સૌથી વિનાસક વાવાઝોડું છે. હાલ રાજ્યમાં 2,80,000 ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ છે. 


પીએમ મોદીએ પણ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અમેરિકાના વિનાશક વાવાઝોડાથી થયેલા જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઈડન પ્રત્યે પીએમ મોદીએ ઉંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .