પૂર્વ IAS પ્રદીપ શર્માની ભુજ CID ક્રાઈમે અમદાવાદથી કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-03-05 18:21:40

પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માની ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં ધરપકડ કરી છે. ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે આજે અમદાવાદમાંથી પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરતા હડકંપ મચી ગયો છે. પ્રદીપ શર્મા ઉપરાંત પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા,પૂર્વ નાયબ કલેકટર ફ્રાંસીશ સુવેરા તેમજ પૂર્વ નગર નિયોજક નટુભાઈ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આ કાર્યવાહી કરવામાં આવી છે.  CID ક્રાઈમના જણાવ્યા પ્રમાણે વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને કોર્ટમાં રજૂ કરાશે. 


સમગ્ર મામલો શું છે?


પ્રદીપ શર્મા 2004માં કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમની સત્તાનો દુરુપયોગ કરીને વેલ્સપન કંપનીને જમીન NA કરી આપી હતી. પ્રદીપ શર્માએ સરકારી નિયમનો ભંગ કરીને ગાંધીધામના ચુડવા ગામમાં કંપનીની જમીન NA કરી હતી. વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માનું હિત હતું. શ્યામલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગનો કોન્ટ્રાક્ટ વેલ્સપનમાં ચાલતો હતો. કંપનીની આ સેવાના બદલામાં શર્મા અને તેમની પત્નીને હવાલા મારફતે નાણા મળ્યા હતા. જો કે પ્રદીપ શર્મા આ રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું અને વેલ્સપન કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.