પૂર્વ IAS પ્રદીપ શર્માની ભુજ CID ક્રાઈમે અમદાવાદથી કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-03-05 18:21:40

પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માની ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં ધરપકડ કરી છે. ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે આજે અમદાવાદમાંથી પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરતા હડકંપ મચી ગયો છે. પ્રદીપ શર્મા ઉપરાંત પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા,પૂર્વ નાયબ કલેકટર ફ્રાંસીશ સુવેરા તેમજ પૂર્વ નગર નિયોજક નટુભાઈ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આ કાર્યવાહી કરવામાં આવી છે.  CID ક્રાઈમના જણાવ્યા પ્રમાણે વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને કોર્ટમાં રજૂ કરાશે. 


સમગ્ર મામલો શું છે?


પ્રદીપ શર્મા 2004માં કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમની સત્તાનો દુરુપયોગ કરીને વેલ્સપન કંપનીને જમીન NA કરી આપી હતી. પ્રદીપ શર્માએ સરકારી નિયમનો ભંગ કરીને ગાંધીધામના ચુડવા ગામમાં કંપનીની જમીન NA કરી હતી. વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માનું હિત હતું. શ્યામલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગનો કોન્ટ્રાક્ટ વેલ્સપનમાં ચાલતો હતો. કંપનીની આ સેવાના બદલામાં શર્મા અને તેમની પત્નીને હવાલા મારફતે નાણા મળ્યા હતા. જો કે પ્રદીપ શર્મા આ રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું અને વેલ્સપન કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..