ICC WC 2023 : 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ, અમદાવાદમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચમાં થઈ શકે છે બદલાવ


  • Published By :
  • Published Date : 2023-07-26 13:51:18

ICCએ હમણાં થોડા દિવસ પહેલા જ આગામી વન-ડે વિશ્વકપને લઈને સંપૂર્ણ શિડ્યલ જાહેર કર્યુ હતું, જેમાં ભારત-પાકિસ્તાનનો રોમાંચક મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 15 ઓક્ટોબરના રોજ રમાવાનો હતો, પરંતુ એ દિવસે નવરાત્રિનો પહેલો દિવસ હોવાને કારણે એ મેચ રીશિડ્યુલ થઈ શકે છે. જોકે BCCIએ આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આગામી 27મી જુલાઈના રોજ BCCIના સચીવ જય શાહ એક બેઠક યોજશે અને તેમાં એ મુદ્દે કોઈ નિર્ણય લેવાઈ શકે છે. 



15 ઓક્ટોબરને બદલે 14 ઓક્ટોબરે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ


BCCIના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં નવરાત્રિનો જબરજસ્ત ઉત્સાહ હોય છે તેથી ઘણી સુરક્ષા એજન્સીઓએ BCCIને સૂચિત કર્યુ છે કે 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હોવાને કારણે અમદાવાદમાં રમાવનારી ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ કરવામાં આવે.જેને કારણે BCCI ટૂંક સમયમાં નિર્ણય લેશે.


મેચ રીશિડ્યલ થશે તો ચાહકોને ભારે હાલાકી 


જો BCCI 15 ઓક્ટોબરે થનારી ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ થશે તો ચાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે, કેમ કે જેવું ICCએ શિડ્યુલ જાહેર કર્યુ હતું તેવું તરત જ ચાહકોએ મોટાભાગની હોટલ્સના રુમ બુક કરી દીધા હતા. મોટાભાગના ચાહકોએ એક લાખ રુપિયા ઉપરના રુમ પણ બુક કરી દીધા હતા, જેને કારણે જો મેચ રીશિડ્યુલ થશે તો ચાહકોને મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં ચાહકોએ તો હોટલ્સના રુમ ન મળતા ફુલ બોડી ચેક-અપના બહાને હોસ્પિટલના બેડ્સ પણ બુક કર્યા છે, એટલે જો કદાચ ભારત પાકિસ્તાનની મેચ રીશિડ્યુલ થશે તો ફેન્સને મુશ્કેલી પડશે એ ચોક્કસ છે. 


ફાઈનલ તો અમદાવાદમાં જ રમાશે


આ સિવાય જો વર્લ્ડ કપ ફાઈનલની વાત કરીએ તો એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. વિશ્વકપની ફાઈનલ 19મી નવેમ્બર અને રવિવારના રોજ  અમદાવાદ ખાતે રમાશે, આ મેચને લઈને કોઈ પણ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત્ છે. તેથી, માત્ર અમદાવાદમાં રમનારી ભારત પાકિસ્તાન મેચમાં ફેરફાર થઈ શકે છે, બાકીની કોઈ પણ મેચમાં ફેરફાર થશે નહીં તે નક્કી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.