World Cup 2023: ભારત અને પાકિસ્તાન હવે આ દિવસે ટકરાશે, ODI વર્લ્ડ કપની મેચના શિડ્યુલમાં થયો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-07-31 14:07:11

ભારત આગામી 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ ટુર્નામેન્ટના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતના 10 શહેરોમાં યોજાનાર આ વર્લ્ડ કપની તારીખો જાહેર કરવામાં આવી છે, પરંતુ કેટલીક મેચોના શેડ્યૂલમાં ફેરફાર થવાની સંભાવના છે. તાજેતરમાં BCCIના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી હતી. આ ફેરફારો ભારત-પાકિસ્તાન મેચમાં પણ જોવા મળશે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે આ મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


નવરાત્રિના કારણે શેડ્યૂલમાં ફેરફાર


ODI વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ બંને વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થવાની હતી, પરંતુ નવરાત્રિના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે આ મેચ 14 ઓક્ટોબરે રમાઈ શકે છે. તાજેતરમાં, સુરક્ષા એજન્સીઓએ તારીખમાં ફેરફારને લઈને BCCI અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્ટેડિયમની ક્ષમતા એક લાખ છે અને નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરબાના કાર્યક્રમો યોજાય છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમમાં મોટા પાયે આપવામાં આવી રહેલી સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. બીસીસીઆઈ અને આઈસીસી ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરી શકે છે.


જય શાહે પણ સંકેત આપ્યો હતો


ODI વર્લ્ડ કપના મેચના શેડ્યુલના ફેરફાર અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતું. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.