World Cup 2023: ભારત અને પાકિસ્તાન હવે આ દિવસે ટકરાશે, ODI વર્લ્ડ કપની મેચના શિડ્યુલમાં થયો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-07-31 14:07:11

ભારત આગામી 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ ટુર્નામેન્ટના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતના 10 શહેરોમાં યોજાનાર આ વર્લ્ડ કપની તારીખો જાહેર કરવામાં આવી છે, પરંતુ કેટલીક મેચોના શેડ્યૂલમાં ફેરફાર થવાની સંભાવના છે. તાજેતરમાં BCCIના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી હતી. આ ફેરફારો ભારત-પાકિસ્તાન મેચમાં પણ જોવા મળશે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે આ મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


નવરાત્રિના કારણે શેડ્યૂલમાં ફેરફાર


ODI વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ બંને વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થવાની હતી, પરંતુ નવરાત્રિના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે આ મેચ 14 ઓક્ટોબરે રમાઈ શકે છે. તાજેતરમાં, સુરક્ષા એજન્સીઓએ તારીખમાં ફેરફારને લઈને BCCI અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્ટેડિયમની ક્ષમતા એક લાખ છે અને નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરબાના કાર્યક્રમો યોજાય છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમમાં મોટા પાયે આપવામાં આવી રહેલી સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. બીસીસીઆઈ અને આઈસીસી ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરી શકે છે.


જય શાહે પણ સંકેત આપ્યો હતો


ODI વર્લ્ડ કપના મેચના શેડ્યુલના ફેરફાર અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતું. જય શાહે કહ્યું હતું કે આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડે વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.