3500 કરોડની લોન, કંપનીઓની માયાજાળ... ચંદા-દીપક અને વેણુગોપાલની ત્રિપુટીએ આવી રીતે કૌંભાડ આચર્યું


  • Published By :
  • Published Date : 2022-12-26 17:13:29

ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર બાદ હવે સીબીઆઈએ વીડિયોકોન ગૃપના એમ ડી અને સીઈઓ વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરી છે. ચંદા કોચર પર આરોપ હતો કે તેમણે બેંકના CEO અને MD રહીને નિયમોને ધ્યાનમાં રાખીને વીડિયોકોનને લોન આપી હતી. તેમણે તેમના પતિ દીપક કોચરને ફાયદો પહોંચાડવા માટે આ કર્યું. આ મામલો માર્ચ 2018માં સામે આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ ચંદા કોચરને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ચંદા કોચરને 2009માં બેંક દ્વારા સીઈઓ અને એમડી બનાવવામાં આવ્યા હતા.



આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બીએન શ્રીકૃષ્ણને સોંપવામાં આવી હતી. આ તપાસમાં ચંદા કોચરને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ચંદા કોચરે ICICI બેંકની આચાર સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ પછી, 4 ઓક્ટોબર, 2018 ના રોજ, તેમણે ICICI બેંકના MD અને CEO પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ  સમગ્ર કૌભાંડ શું છે? પહેલા લોન અને પછી રોકાણનો આ આખો ખેલ કેવી રીતે થયો? ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતની ભૂમિકા શું છે? આવો  જાણીએ?


ત્રણેયની ભૂમિકા શું છે?


સીબીઆઈ આ મામલાની બે વર્ષથી તપાસ કરી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વેણુગોપાલ ધૂતના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને કંપનીઓની બુકથી જાણવા મળે છે કે દીપક કોચરની કંપનીને 64 કરોડ રૂપિયાની લોન લાંચ સિવાય બીજું કંઈ ન હતું. સીબીઆઈના સૂત્રોએ કે ICICI બેંક પાસેથી લોન પાસ થવાના બદલામાં વેણુગોપાલ ધૂતે દીપકને 64 કરોડ રૂપિયાની લોન આપી હતી. તેથી જ તે લાંચ છે. CBIના સૂત્રોનો દાવો છે કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે તે સાબિત કરે કે ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતે સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.



શું છે કૌભાંડની સંપૂર્ણ વિગત?


2009માં ચંદા કોચરને ICICI બેંકના MD અને CEO બનાવવામાં આવ્યા હતા. તે જ વર્ષે, બેંકની સમિતિએ વિડીયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (VIEL)ને રૂ. 300 કરોડની લોન મંજૂર કરી હતી. ચંદા કોચર બેંકની કમિટીના વડા હતા જેમણે વીડિયોકોનની લોનને મંજૂરી આપી હતી. લોન મેળવ્યા પછી, વિડિયોકોને ન્યુપાવર રિન્યુએબલ લિમિટેડમાં રૂ. 64 કરોડનું રોકાણ કર્યું. આ રોકાણ વિડિયોકોન ગ્રુપની કંપની સુપ્રીમ એનર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. વેણુગોપાલ ધૂત પાસે સુપ્રીમ એનર્જીના 99 ટકાથી વધુ શેર હતા. ન્યુપાવર રિન્યુએબલ કંપનીની શરૂઆત દીપક કોચર (ચંદા કોચરના પતિ) અને વેણુગોપાલ ધૂત દ્વારા મળીને કરવામાં આવી હતી. 2009માં વેણુગોપાલ ધૂતે ન્યુપાવર રિન્યુએબલ્સના તમામ શેર દીપક કોચરને ટ્રાન્સફર કર્યા હતા.


છેતરપિંડી કેવી રીતે આચરી?


CBIની FIR મુજબ, ICICI બેન્કના MD અને CEO હોવાના કારણે ચંદા કોચરે પોતાના પદનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો અને ગેરકાયદેસર રીતે વીડિયોકોનને લોન આપી. CBIના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટ 2009ના રોજ બેન્કની કમિટીએ વિડીયોકોનને 300 કરોડની લોન આપી હતી. આ લોન 7 સપ્ટેમ્બર 2009ના રોજ વીડિયોકોનને આપવામાં આવી હતી. તેના બીજા જ દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે વિડિયોકોન ગ્રુપે આ લોનમાંથી રૂ. 64 કરોડ NuPower Renewablesને આપ્યા. આ રૂ. 300 કરોડ ઉપરાંત, ICICI બેન્કે 2009 અને 2011 વચ્ચે વિડિયોકોન ગ્રૂપને રૂ. 1,575 કરોડ પાંચ અલગ-અલગ લોન દ્વારા આપ્યા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ચંદા કોચર જ્યારે MD અને CEO હતા ત્યારે ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, RBI ગાઈડલાઈન્સ અને બેંકની ક્રેડિટ પોલિસીનું ઉલ્લંઘન કરતી હતી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.