3500 કરોડની લોન, કંપનીઓની માયાજાળ... ચંદા-દીપક અને વેણુગોપાલની ત્રિપુટીએ આવી રીતે કૌંભાડ આચર્યું


  • Published By :
  • Published Date : 2022-12-26 17:13:29

ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર બાદ હવે સીબીઆઈએ વીડિયોકોન ગૃપના એમ ડી અને સીઈઓ વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરી છે. ચંદા કોચર પર આરોપ હતો કે તેમણે બેંકના CEO અને MD રહીને નિયમોને ધ્યાનમાં રાખીને વીડિયોકોનને લોન આપી હતી. તેમણે તેમના પતિ દીપક કોચરને ફાયદો પહોંચાડવા માટે આ કર્યું. આ મામલો માર્ચ 2018માં સામે આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ ચંદા કોચરને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ચંદા કોચરને 2009માં બેંક દ્વારા સીઈઓ અને એમડી બનાવવામાં આવ્યા હતા.



આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બીએન શ્રીકૃષ્ણને સોંપવામાં આવી હતી. આ તપાસમાં ચંદા કોચરને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ચંદા કોચરે ICICI બેંકની આચાર સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ પછી, 4 ઓક્ટોબર, 2018 ના રોજ, તેમણે ICICI બેંકના MD અને CEO પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ  સમગ્ર કૌભાંડ શું છે? પહેલા લોન અને પછી રોકાણનો આ આખો ખેલ કેવી રીતે થયો? ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતની ભૂમિકા શું છે? આવો  જાણીએ?


ત્રણેયની ભૂમિકા શું છે?


સીબીઆઈ આ મામલાની બે વર્ષથી તપાસ કરી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વેણુગોપાલ ધૂતના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને કંપનીઓની બુકથી જાણવા મળે છે કે દીપક કોચરની કંપનીને 64 કરોડ રૂપિયાની લોન લાંચ સિવાય બીજું કંઈ ન હતું. સીબીઆઈના સૂત્રોએ કે ICICI બેંક પાસેથી લોન પાસ થવાના બદલામાં વેણુગોપાલ ધૂતે દીપકને 64 કરોડ રૂપિયાની લોન આપી હતી. તેથી જ તે લાંચ છે. CBIના સૂત્રોનો દાવો છે કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે તે સાબિત કરે કે ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતે સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.



શું છે કૌભાંડની સંપૂર્ણ વિગત?


2009માં ચંદા કોચરને ICICI બેંકના MD અને CEO બનાવવામાં આવ્યા હતા. તે જ વર્ષે, બેંકની સમિતિએ વિડીયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (VIEL)ને રૂ. 300 કરોડની લોન મંજૂર કરી હતી. ચંદા કોચર બેંકની કમિટીના વડા હતા જેમણે વીડિયોકોનની લોનને મંજૂરી આપી હતી. લોન મેળવ્યા પછી, વિડિયોકોને ન્યુપાવર રિન્યુએબલ લિમિટેડમાં રૂ. 64 કરોડનું રોકાણ કર્યું. આ રોકાણ વિડિયોકોન ગ્રુપની કંપની સુપ્રીમ એનર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. વેણુગોપાલ ધૂત પાસે સુપ્રીમ એનર્જીના 99 ટકાથી વધુ શેર હતા. ન્યુપાવર રિન્યુએબલ કંપનીની શરૂઆત દીપક કોચર (ચંદા કોચરના પતિ) અને વેણુગોપાલ ધૂત દ્વારા મળીને કરવામાં આવી હતી. 2009માં વેણુગોપાલ ધૂતે ન્યુપાવર રિન્યુએબલ્સના તમામ શેર દીપક કોચરને ટ્રાન્સફર કર્યા હતા.


છેતરપિંડી કેવી રીતે આચરી?


CBIની FIR મુજબ, ICICI બેન્કના MD અને CEO હોવાના કારણે ચંદા કોચરે પોતાના પદનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો અને ગેરકાયદેસર રીતે વીડિયોકોનને લોન આપી. CBIના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટ 2009ના રોજ બેન્કની કમિટીએ વિડીયોકોનને 300 કરોડની લોન આપી હતી. આ લોન 7 સપ્ટેમ્બર 2009ના રોજ વીડિયોકોનને આપવામાં આવી હતી. તેના બીજા જ દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે વિડિયોકોન ગ્રુપે આ લોનમાંથી રૂ. 64 કરોડ NuPower Renewablesને આપ્યા. આ રૂ. 300 કરોડ ઉપરાંત, ICICI બેન્કે 2009 અને 2011 વચ્ચે વિડિયોકોન ગ્રૂપને રૂ. 1,575 કરોડ પાંચ અલગ-અલગ લોન દ્વારા આપ્યા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ચંદા કોચર જ્યારે MD અને CEO હતા ત્યારે ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, RBI ગાઈડલાઈન્સ અને બેંકની ક્રેડિટ પોલિસીનું ઉલ્લંઘન કરતી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.