3500 કરોડની લોન, કંપનીઓની માયાજાળ... ચંદા-દીપક અને વેણુગોપાલની ત્રિપુટીએ આવી રીતે કૌંભાડ આચર્યું


  • Published By :
  • Published Date : 2022-12-26 17:13:29

ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર બાદ હવે સીબીઆઈએ વીડિયોકોન ગૃપના એમ ડી અને સીઈઓ વેણુગોપાલ ધુતની પણ ધરપકડ કરી છે. ચંદા કોચર પર આરોપ હતો કે તેમણે બેંકના CEO અને MD રહીને નિયમોને ધ્યાનમાં રાખીને વીડિયોકોનને લોન આપી હતી. તેમણે તેમના પતિ દીપક કોચરને ફાયદો પહોંચાડવા માટે આ કર્યું. આ મામલો માર્ચ 2018માં સામે આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ ચંદા કોચરને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ચંદા કોચરને 2009માં બેંક દ્વારા સીઈઓ અને એમડી બનાવવામાં આવ્યા હતા.



આ સમગ્ર મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ બીએન શ્રીકૃષ્ણને સોંપવામાં આવી હતી. આ તપાસમાં ચંદા કોચરને દોષી ઠેરવવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ચંદા કોચરે ICICI બેંકની આચાર સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ પછી, 4 ઓક્ટોબર, 2018 ના રોજ, તેમણે ICICI બેંકના MD અને CEO પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ  સમગ્ર કૌભાંડ શું છે? પહેલા લોન અને પછી રોકાણનો આ આખો ખેલ કેવી રીતે થયો? ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતની ભૂમિકા શું છે? આવો  જાણીએ?


ત્રણેયની ભૂમિકા શું છે?


સીબીઆઈ આ મામલાની બે વર્ષથી તપાસ કરી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે વેણુગોપાલ ધૂતના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને કંપનીઓની બુકથી જાણવા મળે છે કે દીપક કોચરની કંપનીને 64 કરોડ રૂપિયાની લોન લાંચ સિવાય બીજું કંઈ ન હતું. સીબીઆઈના સૂત્રોએ કે ICICI બેંક પાસેથી લોન પાસ થવાના બદલામાં વેણુગોપાલ ધૂતે દીપકને 64 કરોડ રૂપિયાની લોન આપી હતી. તેથી જ તે લાંચ છે. CBIના સૂત્રોનો દાવો છે કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે તે સાબિત કરે કે ચંદા કોચર, દીપક કોચર અને વેણુગોપાલ ધૂતે સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.



શું છે કૌભાંડની સંપૂર્ણ વિગત?


2009માં ચંદા કોચરને ICICI બેંકના MD અને CEO બનાવવામાં આવ્યા હતા. તે જ વર્ષે, બેંકની સમિતિએ વિડીયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (VIEL)ને રૂ. 300 કરોડની લોન મંજૂર કરી હતી. ચંદા કોચર બેંકની કમિટીના વડા હતા જેમણે વીડિયોકોનની લોનને મંજૂરી આપી હતી. લોન મેળવ્યા પછી, વિડિયોકોને ન્યુપાવર રિન્યુએબલ લિમિટેડમાં રૂ. 64 કરોડનું રોકાણ કર્યું. આ રોકાણ વિડિયોકોન ગ્રુપની કંપની સુપ્રીમ એનર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. વેણુગોપાલ ધૂત પાસે સુપ્રીમ એનર્જીના 99 ટકાથી વધુ શેર હતા. ન્યુપાવર રિન્યુએબલ કંપનીની શરૂઆત દીપક કોચર (ચંદા કોચરના પતિ) અને વેણુગોપાલ ધૂત દ્વારા મળીને કરવામાં આવી હતી. 2009માં વેણુગોપાલ ધૂતે ન્યુપાવર રિન્યુએબલ્સના તમામ શેર દીપક કોચરને ટ્રાન્સફર કર્યા હતા.


છેતરપિંડી કેવી રીતે આચરી?


CBIની FIR મુજબ, ICICI બેન્કના MD અને CEO હોવાના કારણે ચંદા કોચરે પોતાના પદનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો અને ગેરકાયદેસર રીતે વીડિયોકોનને લોન આપી. CBIના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટ 2009ના રોજ બેન્કની કમિટીએ વિડીયોકોનને 300 કરોડની લોન આપી હતી. આ લોન 7 સપ્ટેમ્બર 2009ના રોજ વીડિયોકોનને આપવામાં આવી હતી. તેના બીજા જ દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે વિડિયોકોન ગ્રુપે આ લોનમાંથી રૂ. 64 કરોડ NuPower Renewablesને આપ્યા. આ રૂ. 300 કરોડ ઉપરાંત, ICICI બેન્કે 2009 અને 2011 વચ્ચે વિડિયોકોન ગ્રૂપને રૂ. 1,575 કરોડ પાંચ અલગ-અલગ લોન દ્વારા આપ્યા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ચંદા કોચર જ્યારે MD અને CEO હતા ત્યારે ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, RBI ગાઈડલાઈન્સ અને બેંકની ક્રેડિટ પોલિસીનું ઉલ્લંઘન કરતી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.