હજુ કોઈ બાકી હોય તો છોડી દેજો યુક્રેન, સ્થિતિ વણસી જ રહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 08:33:36

પુતિને યુક્રેનના કબજા હેઠળના ચાર વિસ્તારોમાં માર્શલ લૉ લાદ્યો
રશિયન સૈન્ય ખેરસાનની આસપાસના નાગરિકોને બહાર કાઢે છે
પુતિનના આદેશથી પશ્ચિમી દેશોમાં ખળભળાટ, મોટી કાર્યવાહીનો ડર
ભારતીય દૂતાવાસે બુધવારે એક એડવાઈઝરી જાહેર કરી


યુક્રેન સેનાની પ્રગતિ જોઈને વ્લાદિમીર પુતિને ડોનેટ્સક, લુહાન્સ્ક, ઝાપોરિઝ્ઝ્યા અને ખેરસાનમાં માર્શલ લૉ જાહેર કર્યો છે. આ ચાર વિસ્તારો યુક્રેનના વિસ્તારો છે. જેને રશિયાએ બળજબરીથી પોતાના દેશમાં સામેલ કર્યા છે. યુરોપિયન દેશોને ડર છે કે પુતિન સ્થાનિક રહેવાસીઓને બહાર કાઢ્યા પછી ઓછી ક્ષમતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જો.કે પુતિને તેમના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટીનને આ વિસ્તારોની દેખરેખ માટે એક સમિતિ બનાવવાની સૂચના પણ આપી છે.

Putin anuncia que la movilización parcial militar decretada en Rusia  terminará dentro de dos semanas

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે જોડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી દીધો છે. તેમણે આજે બપોરે આ આદેશ સંબંધિત હુકમનામું પર હસ્તાક્ષર કર્યા છે. યુક્રેનિયન દળો રશિયાના કબજા હેઠળના ડોનેસ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝહ્યા અને ખેરસાન વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. રશિયામાં બળજબરીથી સમાવિષ્ટ કરાયેલા આ ચાર પ્રદેશોમાંથી મોટા ભાગના પ્રદેશ પર યુક્રેને ફરીથી કબજો જમાવી લીધો છે. દરમિયાન પુતિનના નિર્ણયને પૂર્વ યુક્રેનમાં રશિયા માટે નિર્ણાયક પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. રશિયાના કબજા હેઠળના ખેરસાનમાંથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રશિયા દ્વારા સમર્થિત સ્થાનિક સત્તાવાળાઓ દાવો કરે છે કે લોકોને યુક્રેન સેનાના હુમલાથી બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. જો કે યુરોપિયન દેશોને ડર છે કે પુતિન સ્થાનિક રહેવાસીઓને બહાર કાઢ્યા પછી ઓછી ક્ષમતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. બીજી તરફ ભારત સરકારે પણ યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડી દેવાની સલાહ આપી છે.


પુતિને કહ્યું કે મેં રશિયન ફેડરેશનના આ ચાર પ્રદેશોમાં માર્શલ લો લાદતા દરેક હુકમ નામા પર હસ્તાક્ષર કર્યા છે. તે તરત જ ફેડરેશન કાઉન્સિલને મંજૂરી માટે મોકલવામાં આવશે અને રાજ્ય ડુમાને નિર્ણયની જાણ કરવામાં આવશે. રશિયન સંસદ ડુમા તરીકે ઓળખાય છે. સુરક્ષા પરિષદના સભ્યો સાથે ટેલિવિઝન વાર્તાલાપ દરમિયાન પુતિને યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોમાં રશિયન સહાય વધારવા માટે વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિન હેઠળ વિશેષ સંકલન પરિષદની સ્થાપનાનો પણ નિર્દેશ કર્યો હતો. આ સમિતિ રશિયા દ્વારા ડોનેસ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝહ્યા અને ખેરસાનમાં આપવામાં આવતી સહાયની દેખરેખ રાખશે.


યુક્રેનમાં રહેલા ભારતીયો તાત્કાલિક યુક્રેન છોડી દેઃ ભારત સરકાર

ભારતીય દૂતાવાસે બુધવારે એક એડવાઈઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને શક્ય તેટલી ઝડપથી યુક્રેન છોડવાની અપીલ કરી છે. દૂતાવાસે તે પણ જણાવ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવ ભીષણ બન્યું છે જેના કારણે ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ યુક્રેનમાં પણ બિનજરૂરી મુસાફરીથી બચે. આ ઉપરાંત ભારતીય નાગરિકો યુક્રેનની સરકાર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા સુરક્ષા નિર્દેશોનું પાનલ કરે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.