The Kashmir Filesને IFFI જ્યુરીના હેડે વલ્ગર અને પ્રોપોગેન્ડા ગણાવી, તેમના નિવેદનનો થઈ રહ્યો છે વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-29 11:38:09

ગોવામાં હાલ 53મો ઈન્ટરનેશન્લ ફિલ્મ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલમાં જ્યૂરીએ અનુપમ ખેરની ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ્સને લઈ નિવેદન આપ્યું છે જેને કારણે ફરી એક વખત ધી કાશ્મીર ફાઈલ્સ ચર્ચામાં આવી છે. ફિલ્મને લઈ નિવેદન આપતા જ્યૂરી હેડ Nadav Lapidએ ફિલ્મને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી ફિલ્મ ગણાવી છે. Nadav Lapidના આવું કહેવાથી અનુપમ ખેર તેમજ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ભડકી ઉઠ્યા છે.

અનુપમ ખેરે આપી પ્રતિક્રિયા 

ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા Nadav Lapidએ કહ્યું કે અમે બધા હેરાન છીએ. આ ફિલ્મ અમને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી લાગી. વધુમાં તેમણે કહ્યું આ ફિલ્મ આટલા માટો અને પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહ માટે ઉચિત નથી. તેમના આ પ્રકારના નિવેદનથી સોશિયલ મીડિયા પર તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

  

અશોક પંડિતે પણ આપી પ્રતિક્રિયા 

પોતાની પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે આ નિવેદનની ટીકા કરી છે. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે અસત્યનું કદ ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ સત્યના કદથી તો હમેશાં નાનું જ રહેવાનું. જ્યારે વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓછા શબ્દોમાં તેમણે ઘણું બધુ કહી દીધું. અશોક પંડિતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ ફિલ્મને વલ્ગર ગણાવી ભારતની આતંકવાદ વિરૂદ્ધ કરેલી સંઘર્ષનું અપમાન કર્યું છે.      




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.