The Kashmir Filesને IFFI જ્યુરીના હેડે વલ્ગર અને પ્રોપોગેન્ડા ગણાવી, તેમના નિવેદનનો થઈ રહ્યો છે વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-29 11:38:09

ગોવામાં હાલ 53મો ઈન્ટરનેશન્લ ફિલ્મ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. આ ફેસ્ટિવલમાં જ્યૂરીએ અનુપમ ખેરની ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ્સને લઈ નિવેદન આપ્યું છે જેને કારણે ફરી એક વખત ધી કાશ્મીર ફાઈલ્સ ચર્ચામાં આવી છે. ફિલ્મને લઈ નિવેદન આપતા જ્યૂરી હેડ Nadav Lapidએ ફિલ્મને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી ફિલ્મ ગણાવી છે. Nadav Lapidના આવું કહેવાથી અનુપમ ખેર તેમજ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ભડકી ઉઠ્યા છે.

અનુપમ ખેરે આપી પ્રતિક્રિયા 

ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા Nadav Lapidએ કહ્યું કે અમે બધા હેરાન છીએ. આ ફિલ્મ અમને વલ્ગર પ્રોપોગ્રેન્ડા વાળી લાગી. વધુમાં તેમણે કહ્યું આ ફિલ્મ આટલા માટો અને પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહ માટે ઉચિત નથી. તેમના આ પ્રકારના નિવેદનથી સોશિયલ મીડિયા પર તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે.

  

અશોક પંડિતે પણ આપી પ્રતિક્રિયા 

પોતાની પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે આ નિવેદનની ટીકા કરી છે. પોતાના ટ્વિટરમાં તેમણે લખ્યું કે અસત્યનું કદ ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ સત્યના કદથી તો હમેશાં નાનું જ રહેવાનું. જ્યારે વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓછા શબ્દોમાં તેમણે ઘણું બધુ કહી દીધું. અશોક પંડિતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ ફિલ્મને વલ્ગર ગણાવી ભારતની આતંકવાદ વિરૂદ્ધ કરેલી સંઘર્ષનું અપમાન કર્યું છે.      




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી