'સેવામૂર્તિ' ઈલાબેન ભટ્ટએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, કાલે અંતિમયાત્રા નીકળશે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:28:32


સેવા શબ્દને જીવનમાં ઉતારી ચરિતાર્થ કરનારા સામાજિક કાર્યકર ઈલાબેન ભટ્ટનું અવસાન થયું છે. ઈલાબેન ભટ્ટે આજે 12.20 કલાકે ખાનગી હોસ્પિટલમાં  89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ છે. છેલ્લા આઠ દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અંતિમવિધિ માટે પાર્થિવ દેહ ને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું હતું. ઇલાબહેન ભટ્ટની અંતિમયાત્રા આવતી કાલે સવારે નીકળશે . 


મહિલાઓ ઉત્થાન અને સશક્તિકરણમાં પ્રદાન


સમાજની સ્ત્રીઓના ઉત્થાન અને સશક્તિકરણના હેતુંથી તેમણે 1972માં SEWA  (સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન) નામની સંસ્થાની શરૂઆત કરી હતી. વર્ષ 1972માં તેમણે ટેક્સટાઈલ્સ મજૂરોની મહિલાઓ માટે સ્થાપેલી સેવા સંસ્થા આજે એક વટવૃક્ષ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે પોતે જ ભણે, પોતે જ ચીજો બનાવે અને પોતે જ તેની કમાણી કરે તેનું વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઉદારણમાંથી એક SEWA બની ગયું છે. મહિલાઓનું આ જૂથ આજે 20 લાખ જેટલા સભ્યો ધરાવે છે. એટલું જ નહી પોતાના સભ્યો માટે એક બેંક પણ ધરાવે છે. સેવા બેંકની સફળતાથી પ્રેરાય ભારત સરકારે 2012માં માત્ર મહિલાઓ માટે જ અલગ રાષ્ટ્રીય બેંક સ્થાપી હતી.


અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન


ઈલાબેન ભટ્ટના સમાજપયોગી પ્રદાનને લઈ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમ કે રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનારા ઇલાબેન પ્રથમ ગુજરાતી મહિલા હતા.1977માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો, તે ઉપરાંત 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ, 1985માં પદ્મશ્રી અને 1986માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 27 મે 2011ના દિવસે (રેડ ક્લિફ ડે) પ્રતિષ્ઠિત રેડક્લિફ ચંદ્રક તથા મહિલા શક્તિકરણ અને સ્વાતંત્ર્ય માટે તેમણે જીવનભર કરેલા કાર્યો બદલ 2011માં ઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે