'સેવામૂર્તિ' ઈલાબેન ભટ્ટએ 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, કાલે અંતિમયાત્રા નીકળશે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:28:32


સેવા શબ્દને જીવનમાં ઉતારી ચરિતાર્થ કરનારા સામાજિક કાર્યકર ઈલાબેન ભટ્ટનું અવસાન થયું છે. ઈલાબેન ભટ્ટે આજે 12.20 કલાકે ખાનગી હોસ્પિટલમાં  89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ છે. છેલ્લા આઠ દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અંતિમવિધિ માટે પાર્થિવ દેહ ને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. તેમણે નાદુરસ્ત તબિયતના કારણે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું હતું. ઇલાબહેન ભટ્ટની અંતિમયાત્રા આવતી કાલે સવારે નીકળશે . 


મહિલાઓ ઉત્થાન અને સશક્તિકરણમાં પ્રદાન


સમાજની સ્ત્રીઓના ઉત્થાન અને સશક્તિકરણના હેતુંથી તેમણે 1972માં SEWA  (સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન) નામની સંસ્થાની શરૂઆત કરી હતી. વર્ષ 1972માં તેમણે ટેક્સટાઈલ્સ મજૂરોની મહિલાઓ માટે સ્થાપેલી સેવા સંસ્થા આજે એક વટવૃક્ષ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે પોતે જ ભણે, પોતે જ ચીજો બનાવે અને પોતે જ તેની કમાણી કરે તેનું વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઉદારણમાંથી એક SEWA બની ગયું છે. મહિલાઓનું આ જૂથ આજે 20 લાખ જેટલા સભ્યો ધરાવે છે. એટલું જ નહી પોતાના સભ્યો માટે એક બેંક પણ ધરાવે છે. સેવા બેંકની સફળતાથી પ્રેરાય ભારત સરકારે 2012માં માત્ર મહિલાઓ માટે જ અલગ રાષ્ટ્રીય બેંક સ્થાપી હતી.


અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન


ઈલાબેન ભટ્ટના સમાજપયોગી પ્રદાનને લઈ અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમ કે રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનારા ઇલાબેન પ્રથમ ગુજરાતી મહિલા હતા.1977માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો, તે ઉપરાંત 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ, 1985માં પદ્મશ્રી અને 1986માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 27 મે 2011ના દિવસે (રેડ ક્લિફ ડે) પ્રતિષ્ઠિત રેડક્લિફ ચંદ્રક તથા મહિલા શક્તિકરણ અને સ્વાતંત્ર્ય માટે તેમણે જીવનભર કરેલા કાર્યો બદલ 2011માં ઈંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.



અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.