ઝારખંડના CM પર લટકતી તલવાર, રદ્દ થઈ શકે છે વિધાનસભાનું સભ્ય પદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 17:26:56

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગી શકે છે. હેમંત સોરેન પર પદનાં દુરપયોગ અંગેના આરોપને લઈ ચૂંટણી પંચે પણ હેમંત સોરેનનું વિધાનસભાનું સભ્ય પદ રદ્દ કરતી ભલામણ રાજ્યપાલને મોકલી દીધી છે.  


CM સોરેનની ખુરશી જોખમમાં


ઝારખંડમાં ભાજપના અગ્રણી નેતા અને  પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે સોરેન પર પદના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. સોરેને પોતાને ખાણનો પટ્ટો આપ્યો હતો જેમાં હિતોનો ટકરાવ અને ભ્રષ્ટાચાર બંને સામેલ છે. તેમના પર જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘનનો પણ આરોપ છે. ચૂંટણી પંચે મે મહિનામાં સોરેનને એક નોટિસ મોકલીને ખાણના પટ્ટા અંગે ખુલાસો માંગ્યો હતો.


જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન


ખાણના પટ્ટાની માલિકી હોવી તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની ધારા 9એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે સરકારી કોન્ટ્રેક્ટ વગેરે માટે અયોગ્યતા સાથે સંબંધિત છે. આ કેસ હાલ ચૂંટણી કમિશનની પાસે પેન્ડિગ છે. ઝારખંડ હાઈકોર્ટેમાં અરજી કરીને ખનન પટ્ટા આપવામાં કથિત અનિયમિતતાઓ અને મુખ્યમંત્રી પરિવારના સભ્યો તથા સહયોગીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક કંપનીઓના ટ્રાન્ઝેક્સનની તપાસની માંગ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ જૂને કહ્યું હતું કે તેનો મત છે કે તપાસની માગ કરતી અરજીઓને આ રીતે ફગાવી શકાય નહીં અને તે યોગ્યતાના આધાર પર કેસની સુનાવણી કરશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.