ઝારખંડના CM પર લટકતી તલવાર, રદ્દ થઈ શકે છે વિધાનસભાનું સભ્ય પદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 17:26:56

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગી શકે છે. હેમંત સોરેન પર પદનાં દુરપયોગ અંગેના આરોપને લઈ ચૂંટણી પંચે પણ હેમંત સોરેનનું વિધાનસભાનું સભ્ય પદ રદ્દ કરતી ભલામણ રાજ્યપાલને મોકલી દીધી છે.  


CM સોરેનની ખુરશી જોખમમાં


ઝારખંડમાં ભાજપના અગ્રણી નેતા અને  પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે સોરેન પર પદના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. સોરેને પોતાને ખાણનો પટ્ટો આપ્યો હતો જેમાં હિતોનો ટકરાવ અને ભ્રષ્ટાચાર બંને સામેલ છે. તેમના પર જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘનનો પણ આરોપ છે. ચૂંટણી પંચે મે મહિનામાં સોરેનને એક નોટિસ મોકલીને ખાણના પટ્ટા અંગે ખુલાસો માંગ્યો હતો.


જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન


ખાણના પટ્ટાની માલિકી હોવી તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની ધારા 9એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે સરકારી કોન્ટ્રેક્ટ વગેરે માટે અયોગ્યતા સાથે સંબંધિત છે. આ કેસ હાલ ચૂંટણી કમિશનની પાસે પેન્ડિગ છે. ઝારખંડ હાઈકોર્ટેમાં અરજી કરીને ખનન પટ્ટા આપવામાં કથિત અનિયમિતતાઓ અને મુખ્યમંત્રી પરિવારના સભ્યો તથા સહયોગીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક કંપનીઓના ટ્રાન્ઝેક્સનની તપાસની માંગ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ જૂને કહ્યું હતું કે તેનો મત છે કે તપાસની માગ કરતી અરજીઓને આ રીતે ફગાવી શકાય નહીં અને તે યોગ્યતાના આધાર પર કેસની સુનાવણી કરશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.