ઝારખંડના CM પર લટકતી તલવાર, રદ્દ થઈ શકે છે વિધાનસભાનું સભ્ય પદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 17:26:56

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગી શકે છે. હેમંત સોરેન પર પદનાં દુરપયોગ અંગેના આરોપને લઈ ચૂંટણી પંચે પણ હેમંત સોરેનનું વિધાનસભાનું સભ્ય પદ રદ્દ કરતી ભલામણ રાજ્યપાલને મોકલી દીધી છે.  


CM સોરેનની ખુરશી જોખમમાં


ઝારખંડમાં ભાજપના અગ્રણી નેતા અને  પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે સોરેન પર પદના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. સોરેને પોતાને ખાણનો પટ્ટો આપ્યો હતો જેમાં હિતોનો ટકરાવ અને ભ્રષ્ટાચાર બંને સામેલ છે. તેમના પર જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘનનો પણ આરોપ છે. ચૂંટણી પંચે મે મહિનામાં સોરેનને એક નોટિસ મોકલીને ખાણના પટ્ટા અંગે ખુલાસો માંગ્યો હતો.


જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન


ખાણના પટ્ટાની માલિકી હોવી તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની ધારા 9એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે સરકારી કોન્ટ્રેક્ટ વગેરે માટે અયોગ્યતા સાથે સંબંધિત છે. આ કેસ હાલ ચૂંટણી કમિશનની પાસે પેન્ડિગ છે. ઝારખંડ હાઈકોર્ટેમાં અરજી કરીને ખનન પટ્ટા આપવામાં કથિત અનિયમિતતાઓ અને મુખ્યમંત્રી પરિવારના સભ્યો તથા સહયોગીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક કંપનીઓના ટ્રાન્ઝેક્સનની તપાસની માંગ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ જૂને કહ્યું હતું કે તેનો મત છે કે તપાસની માગ કરતી અરજીઓને આ રીતે ફગાવી શકાય નહીં અને તે યોગ્યતાના આધાર પર કેસની સુનાવણી કરશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે