ઝારખંડના CM પર લટકતી તલવાર, રદ્દ થઈ શકે છે વિધાનસભાનું સભ્ય પદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 17:26:56

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો ઝટકો લાગી શકે છે. હેમંત સોરેન પર પદનાં દુરપયોગ અંગેના આરોપને લઈ ચૂંટણી પંચે પણ હેમંત સોરેનનું વિધાનસભાનું સભ્ય પદ રદ્દ કરતી ભલામણ રાજ્યપાલને મોકલી દીધી છે.  


CM સોરેનની ખુરશી જોખમમાં


ઝારખંડમાં ભાજપના અગ્રણી નેતા અને  પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસે સોરેન પર પદના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. સોરેને પોતાને ખાણનો પટ્ટો આપ્યો હતો જેમાં હિતોનો ટકરાવ અને ભ્રષ્ટાચાર બંને સામેલ છે. તેમના પર જનપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓના ઉલ્લંઘનનો પણ આરોપ છે. ચૂંટણી પંચે મે મહિનામાં સોરેનને એક નોટિસ મોકલીને ખાણના પટ્ટા અંગે ખુલાસો માંગ્યો હતો.


જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન


ખાણના પટ્ટાની માલિકી હોવી તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની ધારા 9એનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે સરકારી કોન્ટ્રેક્ટ વગેરે માટે અયોગ્યતા સાથે સંબંધિત છે. આ કેસ હાલ ચૂંટણી કમિશનની પાસે પેન્ડિગ છે. ઝારખંડ હાઈકોર્ટેમાં અરજી કરીને ખનન પટ્ટા આપવામાં કથિત અનિયમિતતાઓ અને મુખ્યમંત્રી પરિવારના સભ્યો તથા સહયોગીઓ સાથે કથિત રીતે જોડાયેલી કેટલીક કંપનીઓના ટ્રાન્ઝેક્સનની તપાસની માંગ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણ જૂને કહ્યું હતું કે તેનો મત છે કે તપાસની માગ કરતી અરજીઓને આ રીતે ફગાવી શકાય નહીં અને તે યોગ્યતાના આધાર પર કેસની સુનાવણી કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.