ILT20 ફાઇનલ: અરબી પોશાક પહેરવા બદલ ટ્રોલ થયો વીરેન્દ્ર સેહવાગ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-18 13:32:33

 ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તે ઓનલાઈન ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે, જેમાં તે અરબી પોશાક પહેરેલો જોઈ શકાય છે. સેહવાગ, જે તેના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતો છે, તે ઘણીવાર તેના મજેદાર ટ્વિટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી હેડલાઇન્સમાં રહેતો હોય છે. જો કે, તે આ વખતે તે તેના અરબી પોશાકના કારણે ચર્ચામાં આવ્યો છે.


દુબઈમાં રમાઈ હતી મેચ


 શનિવારે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નિકોલસ પૂરનની આગેવાની હેઠળની MI અમીરાત અને સેમ બિલિંગ્સની દુબઈ કેપિટલ્સ વચ્ચે રમાયેલી ILT20 2024 ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે કોમેન્ટ્રી ડ્યુટી પર હતો. સેહવાગ અને અખ્તર બંને પારંપારિક અરબી પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને એકબીજા સાથે મજાક-મસ્તી કરી હતી.

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ


અરેબિક અવતારમાં સેહવાગ અને અખ્તરની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે, જેના પર ચારે બાજુથી પ્રતિક્રિયા આવી રહી છે. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેનને તેના પોશાક માટે યુઝર્સ દ્વારા જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકોએ 'રાષ્ટ્રવાદી' હોવા માટે અને જ્યારે તે ભારતમાં ન હોય ત્યારે પૈસા માટે કંઈ પણ કરવા બદલ તેની ઑનલાઇન ટીકા કરી હતી. 


આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....