ILT20 ફાઇનલ: અરબી પોશાક પહેરવા બદલ ટ્રોલ થયો વીરેન્દ્ર સેહવાગ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-18 13:32:33

 ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તે ઓનલાઈન ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે, જેમાં તે અરબી પોશાક પહેરેલો જોઈ શકાય છે. સેહવાગ, જે તેના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતો છે, તે ઘણીવાર તેના મજેદાર ટ્વિટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી હેડલાઇન્સમાં રહેતો હોય છે. જો કે, તે આ વખતે તે તેના અરબી પોશાકના કારણે ચર્ચામાં આવ્યો છે.


દુબઈમાં રમાઈ હતી મેચ


 શનિવારે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નિકોલસ પૂરનની આગેવાની હેઠળની MI અમીરાત અને સેમ બિલિંગ્સની દુબઈ કેપિટલ્સ વચ્ચે રમાયેલી ILT20 2024 ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે કોમેન્ટ્રી ડ્યુટી પર હતો. સેહવાગ અને અખ્તર બંને પારંપારિક અરબી પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને એકબીજા સાથે મજાક-મસ્તી કરી હતી.

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ


અરેબિક અવતારમાં સેહવાગ અને અખ્તરની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે, જેના પર ચારે બાજુથી પ્રતિક્રિયા આવી રહી છે. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેનને તેના પોશાક માટે યુઝર્સ દ્વારા જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકોએ 'રાષ્ટ્રવાદી' હોવા માટે અને જ્યારે તે ભારતમાં ન હોય ત્યારે પૈસા માટે કંઈ પણ કરવા બદલ તેની ઑનલાઇન ટીકા કરી હતી. 


ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.