ILT20 ફાઇનલ: અરબી પોશાક પહેરવા બદલ ટ્રોલ થયો વીરેન્દ્ર સેહવાગ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-18 13:32:33

 ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તે ઓનલાઈન ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે, જેમાં તે અરબી પોશાક પહેરેલો જોઈ શકાય છે. સેહવાગ, જે તેના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતો છે, તે ઘણીવાર તેના મજેદાર ટ્વિટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી હેડલાઇન્સમાં રહેતો હોય છે. જો કે, તે આ વખતે તે તેના અરબી પોશાકના કારણે ચર્ચામાં આવ્યો છે.


દુબઈમાં રમાઈ હતી મેચ


 શનિવારે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નિકોલસ પૂરનની આગેવાની હેઠળની MI અમીરાત અને સેમ બિલિંગ્સની દુબઈ કેપિટલ્સ વચ્ચે રમાયેલી ILT20 2024 ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે કોમેન્ટ્રી ડ્યુટી પર હતો. સેહવાગ અને અખ્તર બંને પારંપારિક અરબી પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને એકબીજા સાથે મજાક-મસ્તી કરી હતી.

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ


અરેબિક અવતારમાં સેહવાગ અને અખ્તરની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે, જેના પર ચારે બાજુથી પ્રતિક્રિયા આવી રહી છે. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેનને તેના પોશાક માટે યુઝર્સ દ્વારા જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકોએ 'રાષ્ટ્રવાદી' હોવા માટે અને જ્યારે તે ભારતમાં ન હોય ત્યારે પૈસા માટે કંઈ પણ કરવા બદલ તેની ઑનલાઇન ટીકા કરી હતી. 


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.