ILT20 ફાઇનલ: અરબી પોશાક પહેરવા બદલ ટ્રોલ થયો વીરેન્દ્ર સેહવાગ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-18 13:32:33

 ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તે ઓનલાઈન ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે, જેમાં તે અરબી પોશાક પહેરેલો જોઈ શકાય છે. સેહવાગ, જે તેના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતો છે, તે ઘણીવાર તેના મજેદાર ટ્વિટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી હેડલાઇન્સમાં રહેતો હોય છે. જો કે, તે આ વખતે તે તેના અરબી પોશાકના કારણે ચર્ચામાં આવ્યો છે.


દુબઈમાં રમાઈ હતી મેચ


 શનિવારે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નિકોલસ પૂરનની આગેવાની હેઠળની MI અમીરાત અને સેમ બિલિંગ્સની દુબઈ કેપિટલ્સ વચ્ચે રમાયેલી ILT20 2024 ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર સાથે કોમેન્ટ્રી ડ્યુટી પર હતો. સેહવાગ અને અખ્તર બંને પારંપારિક અરબી પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને એકબીજા સાથે મજાક-મસ્તી કરી હતી.

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ


અરેબિક અવતારમાં સેહવાગ અને અખ્તરની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે, જેના પર ચારે બાજુથી પ્રતિક્રિયા આવી રહી છે. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેનને તેના પોશાક માટે યુઝર્સ દ્વારા જબરદસ્ત ટ્રોલ કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકોએ 'રાષ્ટ્રવાદી' હોવા માટે અને જ્યારે તે ભારતમાં ન હોય ત્યારે પૈસા માટે કંઈ પણ કરવા બદલ તેની ઑનલાઇન ટીકા કરી હતી. 


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.