હું માત્ર ઈમરાન ખાનને મારવા માંગતો હતો: હુમલાખોર ફૈઝલ બટ્ટ


  • Published By :
  • Published Date : 2022-11-03 20:57:12

પાકિસ્તાનના પૂર્વ પ્રધાન મંત્રી ઈમરાન ખાન તેમની રેલીમાં થયેલા ફાયરિંગથી ઘાયલ થયા છે. ઈમરાન ખાન સાથે અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે. ઈમરાન ખાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વજીરાબાદ શહેર સ્થિત અલ્લાહવાલા ચોક પાસે થયેલા હુમલામાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઘાયલ થયા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


ફાયરિંગ કરનારા યુવકની ધરપકડ


ઈમરાન ખાનને જ્યારે SUV  પર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેના જમણા પગ પર પટ્ટી બાંધેલી જોવા મળી હતી. ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન તેમની શહેબાઝ સરકાર વિરુદ્ધ લોંગ માર્ચ કાઢી રહ્યા છે, ઈમરાન ખાન લોંગ માર્ચ  દરમિયાન તેમની ટ્રક પર ઊભા હતા ત્યારે એક શખ્શે તેમના પર ગોળીબાર કર્યો હતો. ઈમરાન ખાન પર ગોળીબાર થયો ત્યારે અલ્લાહવાલા ચોકમાં ધમાચકડી મચી ગઈ હતી. 


હુમલાખોર ફૈઝલ બટ્ટે શું કહ્યું?


ધરપકડ કરાયેલા હુમલાખોરની ઓળખ ફૈઝલ બટ્ટ તરીકે થઈ હતી. હુમલાખોરે મીડિયાને જણાવ્યું કે તે માત્ર ઈમરાન ખાનને મારવા માંગતો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, હુમલાખોરે કહ્યું, “ઈમરાન ખાન લોકોને ગેરમાર્ગે દોરતો હતો. તે અઝાન સાથે ડેક મૂકીને અવાજ કરી રહ્યો હતો. હું માત્ર ઈમરાન ખાનને મારવા માંગતો હતો." હુમલાખોરે આગળ કહ્યું, "મારી પાછળ કોઈ નથી. હું એકલો આવ્યો. જે દિવસે  મે લાહોર છોડ્યું તે દિવસથી જ ઈમરાનને મારી નાખવાનો મારો પ્લાન હતો"


ગોળી વાગ્યા બાદ ઈમરાન ખાને શું કહ્યું?


પાકિસ્તાની મીડિયા અનુસાર ઈમરાન ખાનને બંને પગમાં ગોળી વાગી છે. તેમને લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલા બાદ ઈમરાને કહ્યું કે અલ્લાહની કૃપાથી બચી ગયો, તેમણે મને નવું જીવન આપ્યું છે. ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી પરવેઝ ઈલાહી લાહોરની શૌકત ખાનુમ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના પ્રવક્તા દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઈમરાન ખાને પરવેઝ ઈલાહી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે તેઓ હવે સારું અનુભવી રહ્યા છે.



સેના અને શાહબાઝ સરકાર સામે રેલી


સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન ખાન દેશમાં વહેલા ચૂંટણીની માગ સાથે લોંગ માર્ચ કાઢી રહ્યા છે. તેમની રેલીને દેશભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જો કે તેઓ ઘણા સમયથી સેના અને સરકારની ટીકા પણ ખુલ્વેઆમ કરતા રહ્યા છે. તેમના પર થયેલા આ હુમલામાં કોનો હાથ છે તે હજી સુધી જાણી શકાયું નથી, કોઈ ગૃપે હુમલાની જવાબદારી સ્વિકારી નથી. 





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.