ઈમરાન ખાન પર લટકી ધરપકડની તલવાર, પોલીસ બખ્તરબંધ વાહનો સાથે લાહોર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-03-14 21:25:19

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તોશાખાના કેસમાં ધરપકડ થઈ શકે છે. લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનના ઘરની બહાર બખ્તરબંધ પોલીસ વાહનો પહોંચી ચુક્યા છે. આ દરમિયાન, ઈસ્લામાબાદમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી ત્યાં પહોંચી છે. પીટીઆઈના કાર્યકરો ઈમરાન ખાનના ઘરની બહાર ભેગા થવા લાગ્યા છે.


પોલીસ-કાર્યકરો વચ્ચે અથડામણ


તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી થયાના એક દિવસ બાદ પોલીસ તેમના ઘરે પહોંચી છે. પોલીસે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈમરાનના સમર્થકો પણ  પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ઘરની બહાર એકઠા થયા છે. પોલીસે તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે.


ઈમરાને વીડિયો દ્વારા લોકોને ઉશ્કેર્યા 


પોલીસ ધરપકડથી ગભરાયેલા ઈમરાન ખાને એક વીડિયો મારફતે લોકોને સંબોધ્યા હતા અને તેમને ઉગ્ર આંદોલન કરવા માટે ઉશ્કેર્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ મારી ધરપકડ કરવા આવી છે. હું લોકોનું યુદ્ધ લડી રહ્યો છું. મને કંઈક થઈ જાય તો પણ આ યુદ્ધ અટકવાનું નથી.પોલીસને લાગે છે કે જો તેઓ મારી ધરપકડ કરશે તો સમુદાયની ઊંઘ ઊડી જશે. તમારે તેમને ખોટા સાબિત કરવા પડશે. ઈમરાને એક મિનિટ 12 સેકન્ડનો વીડિયો જાહેર કરીને આ વાત કહી છે. 



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.