ઈમરાન ખાન પર લટકી ધરપકડની તલવાર, પોલીસ બખ્તરબંધ વાહનો સાથે લાહોર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-03-14 21:25:19

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તોશાખાના કેસમાં ધરપકડ થઈ શકે છે. લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનના ઘરની બહાર બખ્તરબંધ પોલીસ વાહનો પહોંચી ચુક્યા છે. આ દરમિયાન, ઈસ્લામાબાદમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી ત્યાં પહોંચી છે. પીટીઆઈના કાર્યકરો ઈમરાન ખાનના ઘરની બહાર ભેગા થવા લાગ્યા છે.


પોલીસ-કાર્યકરો વચ્ચે અથડામણ


તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી થયાના એક દિવસ બાદ પોલીસ તેમના ઘરે પહોંચી છે. પોલીસે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈમરાનના સમર્થકો પણ  પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ઘરની બહાર એકઠા થયા છે. પોલીસે તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે.


ઈમરાને વીડિયો દ્વારા લોકોને ઉશ્કેર્યા 


પોલીસ ધરપકડથી ગભરાયેલા ઈમરાન ખાને એક વીડિયો મારફતે લોકોને સંબોધ્યા હતા અને તેમને ઉગ્ર આંદોલન કરવા માટે ઉશ્કેર્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ મારી ધરપકડ કરવા આવી છે. હું લોકોનું યુદ્ધ લડી રહ્યો છું. મને કંઈક થઈ જાય તો પણ આ યુદ્ધ અટકવાનું નથી.પોલીસને લાગે છે કે જો તેઓ મારી ધરપકડ કરશે તો સમુદાયની ઊંઘ ઊડી જશે. તમારે તેમને ખોટા સાબિત કરવા પડશે. ઈમરાને એક મિનિટ 12 સેકન્ડનો વીડિયો જાહેર કરીને આ વાત કહી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.