ઈમરાન ખાન પર લટકી ધરપકડની તલવાર, પોલીસ બખ્તરબંધ વાહનો સાથે લાહોર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-03-14 21:25:19

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તોશાખાના કેસમાં ધરપકડ થઈ શકે છે. લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનના ઘરની બહાર બખ્તરબંધ પોલીસ વાહનો પહોંચી ચુક્યા છે. આ દરમિયાન, ઈસ્લામાબાદમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી ત્યાં પહોંચી છે. પીટીઆઈના કાર્યકરો ઈમરાન ખાનના ઘરની બહાર ભેગા થવા લાગ્યા છે.


પોલીસ-કાર્યકરો વચ્ચે અથડામણ


તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી થયાના એક દિવસ બાદ પોલીસ તેમના ઘરે પહોંચી છે. પોલીસે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈમરાનના સમર્થકો પણ  પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ઘરની બહાર એકઠા થયા છે. પોલીસે તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે.


ઈમરાને વીડિયો દ્વારા લોકોને ઉશ્કેર્યા 


પોલીસ ધરપકડથી ગભરાયેલા ઈમરાન ખાને એક વીડિયો મારફતે લોકોને સંબોધ્યા હતા અને તેમને ઉગ્ર આંદોલન કરવા માટે ઉશ્કેર્યા હતા. તેમણે કહ્યું કે પોલીસ મારી ધરપકડ કરવા આવી છે. હું લોકોનું યુદ્ધ લડી રહ્યો છું. મને કંઈક થઈ જાય તો પણ આ યુદ્ધ અટકવાનું નથી.પોલીસને લાગે છે કે જો તેઓ મારી ધરપકડ કરશે તો સમુદાયની ઊંઘ ઊડી જશે. તમારે તેમને ખોટા સાબિત કરવા પડશે. ઈમરાને એક મિનિટ 12 સેકન્ડનો વીડિયો જાહેર કરીને આ વાત કહી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .