ઈમરાન ખાનનો ઓડિયો લિક, અમેરિકાની સાંસદ પાસે મદદની ભીખ માગતા કહ્યું 'મારી હત્યા થઈ શકે છે, દયા કરો'


  • Published By :
  • Published Date : 2023-05-21 15:06:35

પાકિસ્તાનમાં ચાલી રહેલી બબાલ વચ્ચે એક ઓડિયોએ હોબાળો મચાવ્યો છે. આ લીક ઓડિયોમાં ઈમરાન ખાન અમેરિકાની મહિલા સાંસદને મદદ માટે અરજ કરતાં સાંભળવા મળે છે. તેમણે અમેરિકાના સાંસદ પાસે તેમની પાર્ટી પીટીઆઈ અને તેના નેતાઓ સામે ચાલી રહેલી કાર્યવાહીને લઈ મદદ માંગી. તેમણે કહ્યું કે અમેરિકા સહિત દુનિયાભરના દેશોએ પાકિસ્તાનમાં જે ચાલી રહ્યું છે તેની સામે ઉભા રહેવું જોઈએ. તેમણે અમેરિકાના સાંસદ મેક્સિન મૂર વાયર્સને પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવાની માંગ કરી.


મારી હત્યા થઈ શકે છે-ઈમરાન ખાન


આ 1.57 મિનિટના લીક ઓડિયોમાં ઈમરાન અમેરિકાની સાંસદને જણાવ્યું મારી હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે. એક પ્રયત્નમાં મારા પગ પર ત્રણ ગોળિઓ મારી હતી. મારી સરકારે સેનાના પૂર્વ પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને હટાવી દીધા હતા. કેમ કે સેના ખુબ જ શક્તિશાળી છે. તેમણે આરોપ લગાવ્યો કે સેના પ્રમુખે તે લોકો સાથે મળી ષડયંત્ર રચ્યું કે જે મારી સરકારમાં હતા, અને મારી સરકાર પાડી દીધી. મારી પાર્ટીને સૌથી ખરાબ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. 


અમેરિકાની કોંગ્રેસની પણ મદદ માગી 


ઈમરાન ખાને અમેરિકાની કોંગ્રેસી સભ્ય મેક્સિકન મૂર વાટર્સને પોતાની પાર્ટીના પક્ષમાં એક નિવેદન જાહેર કરાવવાની વિનંતી કરી હતી. અમે માત્ર કાયદો અને બંધારણના મૌલિક અધિકારોનું શાસન ઈચ્છીએ છીએ. અમે માત્ર ક્રેકડાઉનને ઉજાગર કરવા માંગીએ છિએ. અને આ વાસ્તવમાં અમારી મદદ કરશે. જ્યારે કોઈ મૈક્સિકન જેવી મહિલા બોલે છે ત્યારે ખૂબ જ મોટો પડઘો પડે છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.