ઈમરાન ખાનનો ઓડિયો લિક, અમેરિકાની સાંસદ પાસે મદદની ભીખ માગતા કહ્યું 'મારી હત્યા થઈ શકે છે, દયા કરો'


  • Published By :
  • Published Date : 2023-05-21 15:06:35

પાકિસ્તાનમાં ચાલી રહેલી બબાલ વચ્ચે એક ઓડિયોએ હોબાળો મચાવ્યો છે. આ લીક ઓડિયોમાં ઈમરાન ખાન અમેરિકાની મહિલા સાંસદને મદદ માટે અરજ કરતાં સાંભળવા મળે છે. તેમણે અમેરિકાના સાંસદ પાસે તેમની પાર્ટી પીટીઆઈ અને તેના નેતાઓ સામે ચાલી રહેલી કાર્યવાહીને લઈ મદદ માંગી. તેમણે કહ્યું કે અમેરિકા સહિત દુનિયાભરના દેશોએ પાકિસ્તાનમાં જે ચાલી રહ્યું છે તેની સામે ઉભા રહેવું જોઈએ. તેમણે અમેરિકાના સાંસદ મેક્સિન મૂર વાયર્સને પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવાની માંગ કરી.


મારી હત્યા થઈ શકે છે-ઈમરાન ખાન


આ 1.57 મિનિટના લીક ઓડિયોમાં ઈમરાન અમેરિકાની સાંસદને જણાવ્યું મારી હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે. એક પ્રયત્નમાં મારા પગ પર ત્રણ ગોળિઓ મારી હતી. મારી સરકારે સેનાના પૂર્વ પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને હટાવી દીધા હતા. કેમ કે સેના ખુબ જ શક્તિશાળી છે. તેમણે આરોપ લગાવ્યો કે સેના પ્રમુખે તે લોકો સાથે મળી ષડયંત્ર રચ્યું કે જે મારી સરકારમાં હતા, અને મારી સરકાર પાડી દીધી. મારી પાર્ટીને સૌથી ખરાબ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. 


અમેરિકાની કોંગ્રેસની પણ મદદ માગી 


ઈમરાન ખાને અમેરિકાની કોંગ્રેસી સભ્ય મેક્સિકન મૂર વાટર્સને પોતાની પાર્ટીના પક્ષમાં એક નિવેદન જાહેર કરાવવાની વિનંતી કરી હતી. અમે માત્ર કાયદો અને બંધારણના મૌલિક અધિકારોનું શાસન ઈચ્છીએ છીએ. અમે માત્ર ક્રેકડાઉનને ઉજાગર કરવા માંગીએ છિએ. અને આ વાસ્તવમાં અમારી મદદ કરશે. જ્યારે કોઈ મૈક્સિકન જેવી મહિલા બોલે છે ત્યારે ખૂબ જ મોટો પડઘો પડે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.