ઈમરાન ખાનનો ઓડિયો લિક, અમેરિકાની સાંસદ પાસે મદદની ભીખ માગતા કહ્યું 'મારી હત્યા થઈ શકે છે, દયા કરો'


  • Published By :
  • Published Date : 2023-05-21 15:06:35

પાકિસ્તાનમાં ચાલી રહેલી બબાલ વચ્ચે એક ઓડિયોએ હોબાળો મચાવ્યો છે. આ લીક ઓડિયોમાં ઈમરાન ખાન અમેરિકાની મહિલા સાંસદને મદદ માટે અરજ કરતાં સાંભળવા મળે છે. તેમણે અમેરિકાના સાંસદ પાસે તેમની પાર્ટી પીટીઆઈ અને તેના નેતાઓ સામે ચાલી રહેલી કાર્યવાહીને લઈ મદદ માંગી. તેમણે કહ્યું કે અમેરિકા સહિત દુનિયાભરના દેશોએ પાકિસ્તાનમાં જે ચાલી રહ્યું છે તેની સામે ઉભા રહેવું જોઈએ. તેમણે અમેરિકાના સાંસદ મેક્સિન મૂર વાયર્સને પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવાની માંગ કરી.


મારી હત્યા થઈ શકે છે-ઈમરાન ખાન


આ 1.57 મિનિટના લીક ઓડિયોમાં ઈમરાન અમેરિકાની સાંસદને જણાવ્યું મારી હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે. એક પ્રયત્નમાં મારા પગ પર ત્રણ ગોળિઓ મારી હતી. મારી સરકારે સેનાના પૂર્વ પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને હટાવી દીધા હતા. કેમ કે સેના ખુબ જ શક્તિશાળી છે. તેમણે આરોપ લગાવ્યો કે સેના પ્રમુખે તે લોકો સાથે મળી ષડયંત્ર રચ્યું કે જે મારી સરકારમાં હતા, અને મારી સરકાર પાડી દીધી. મારી પાર્ટીને સૌથી ખરાબ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. 


અમેરિકાની કોંગ્રેસની પણ મદદ માગી 


ઈમરાન ખાને અમેરિકાની કોંગ્રેસી સભ્ય મેક્સિકન મૂર વાટર્સને પોતાની પાર્ટીના પક્ષમાં એક નિવેદન જાહેર કરાવવાની વિનંતી કરી હતી. અમે માત્ર કાયદો અને બંધારણના મૌલિક અધિકારોનું શાસન ઈચ્છીએ છીએ. અમે માત્ર ક્રેકડાઉનને ઉજાગર કરવા માંગીએ છિએ. અને આ વાસ્તવમાં અમારી મદદ કરશે. જ્યારે કોઈ મૈક્સિકન જેવી મહિલા બોલે છે ત્યારે ખૂબ જ મોટો પડઘો પડે છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.