ઈમરાન ખાનના ઘરમાં છુપાયા છે 40 આતંકવાદીઓ, પાકિસ્તાન સરકારે આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-05-17 17:50:00

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સામે વધુ એક મુસીબત ઉભી થઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાનમાં 30-40 આતંકવાદીઓ છુપાયા છે. આ અંગે પંજાબ સરકાર સતર્ક બની છે, પોલીસે ઈમરાન ખાનના મકાનને ચારેબાજુથી ઘેરી લીધું છે. સરકારે ઈમરાન ખાનને કહ્યું છે કે 24 કલાકમાં જ આતંકવાદીઓને સોંપી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. 


ઈમરાન ખાન આતંકીઓથી વાકેફ


પંજાબ પ્રાંતના સુચના અને પ્રસારણ મંત્રી આમિર મીરે લાહોરમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે PTIએ આ આતંકવાદીઓને સોંપી દેવા જોઈએ, નહીં તો કાયદો તેનું કામ કરશે. તેમણે કહ્યું કે સરકારને આતંકીઓ વિશે તમામ જાણકારી છે, કેમ કે તેની પાસે વિશ્વસનિય સિક્રેટ રિપોર્ટસ હતો. મીરે કહ્યું કે જે રિપોર્ટ આવી છે તે ખૂબ જ ખતરનાક છે. તેમણે કહ્યું કે એજન્સીઓ જિયોફેન્સિંગ દ્વારા જમાન પાર્કમાં આતંકીઓની હાજરી અંગે પુષ્ટી કરી શકે છે.


મિલિટરી કોર્ટ નક્કી કરશે સજા

 

મીરને જિન્ના હાઉસ પર હુમલાને લઈ સવાલ પુછાયો હતો, તેમણે કહ્યું હતું કે જિન્ના હાઉસ પર હુમલાને આસાનીથી રોકી શકાતો હતો. પરંતું સીએમએ પોલીસને હથિયાર પ્રયોગ કરવાથી રોકી હતી, જેથી ખુનખરાબી રોકી શકાય. જિન્ના હાઉસ કોર કમાન્ડરનું સત્તાવાર નિવાસસ્થાન છે. તેના પર હુમલા દરમિયાન અનેક પ્રદર્શનકારો ઘરના લોકોના સંપર્કમાં જ હતા. મીરે વધુમાં કહ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કરનારા લોકોનું ટ્રાયલ મિલિટરી કોર્ટમાં જ થશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.