ઈમરાન ખાનના ઘરમાં છુપાયા છે 40 આતંકવાદીઓ, પાકિસ્તાન સરકારે આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-05-17 17:50:00

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સામે વધુ એક મુસીબત ઉભી થઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાનમાં 30-40 આતંકવાદીઓ છુપાયા છે. આ અંગે પંજાબ સરકાર સતર્ક બની છે, પોલીસે ઈમરાન ખાનના મકાનને ચારેબાજુથી ઘેરી લીધું છે. સરકારે ઈમરાન ખાનને કહ્યું છે કે 24 કલાકમાં જ આતંકવાદીઓને સોંપી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. 


ઈમરાન ખાન આતંકીઓથી વાકેફ


પંજાબ પ્રાંતના સુચના અને પ્રસારણ મંત્રી આમિર મીરે લાહોરમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે PTIએ આ આતંકવાદીઓને સોંપી દેવા જોઈએ, નહીં તો કાયદો તેનું કામ કરશે. તેમણે કહ્યું કે સરકારને આતંકીઓ વિશે તમામ જાણકારી છે, કેમ કે તેની પાસે વિશ્વસનિય સિક્રેટ રિપોર્ટસ હતો. મીરે કહ્યું કે જે રિપોર્ટ આવી છે તે ખૂબ જ ખતરનાક છે. તેમણે કહ્યું કે એજન્સીઓ જિયોફેન્સિંગ દ્વારા જમાન પાર્કમાં આતંકીઓની હાજરી અંગે પુષ્ટી કરી શકે છે.


મિલિટરી કોર્ટ નક્કી કરશે સજા

 

મીરને જિન્ના હાઉસ પર હુમલાને લઈ સવાલ પુછાયો હતો, તેમણે કહ્યું હતું કે જિન્ના હાઉસ પર હુમલાને આસાનીથી રોકી શકાતો હતો. પરંતું સીએમએ પોલીસને હથિયાર પ્રયોગ કરવાથી રોકી હતી, જેથી ખુનખરાબી રોકી શકાય. જિન્ના હાઉસ કોર કમાન્ડરનું સત્તાવાર નિવાસસ્થાન છે. તેના પર હુમલા દરમિયાન અનેક પ્રદર્શનકારો ઘરના લોકોના સંપર્કમાં જ હતા. મીરે વધુમાં કહ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કરનારા લોકોનું ટ્રાયલ મિલિટરી કોર્ટમાં જ થશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .