ઈમરાન ખાનના ઘરમાં છુપાયા છે 40 આતંકવાદીઓ, પાકિસ્તાન સરકારે આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-05-17 17:50:00

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને સામે વધુ એક મુસીબત ઉભી થઈ છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાનમાં 30-40 આતંકવાદીઓ છુપાયા છે. આ અંગે પંજાબ સરકાર સતર્ક બની છે, પોલીસે ઈમરાન ખાનના મકાનને ચારેબાજુથી ઘેરી લીધું છે. સરકારે ઈમરાન ખાનને કહ્યું છે કે 24 કલાકમાં જ આતંકવાદીઓને સોંપી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. 


ઈમરાન ખાન આતંકીઓથી વાકેફ


પંજાબ પ્રાંતના સુચના અને પ્રસારણ મંત્રી આમિર મીરે લાહોરમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે PTIએ આ આતંકવાદીઓને સોંપી દેવા જોઈએ, નહીં તો કાયદો તેનું કામ કરશે. તેમણે કહ્યું કે સરકારને આતંકીઓ વિશે તમામ જાણકારી છે, કેમ કે તેની પાસે વિશ્વસનિય સિક્રેટ રિપોર્ટસ હતો. મીરે કહ્યું કે જે રિપોર્ટ આવી છે તે ખૂબ જ ખતરનાક છે. તેમણે કહ્યું કે એજન્સીઓ જિયોફેન્સિંગ દ્વારા જમાન પાર્કમાં આતંકીઓની હાજરી અંગે પુષ્ટી કરી શકે છે.


મિલિટરી કોર્ટ નક્કી કરશે સજા

 

મીરને જિન્ના હાઉસ પર હુમલાને લઈ સવાલ પુછાયો હતો, તેમણે કહ્યું હતું કે જિન્ના હાઉસ પર હુમલાને આસાનીથી રોકી શકાતો હતો. પરંતું સીએમએ પોલીસને હથિયાર પ્રયોગ કરવાથી રોકી હતી, જેથી ખુનખરાબી રોકી શકાય. જિન્ના હાઉસ કોર કમાન્ડરનું સત્તાવાર નિવાસસ્થાન છે. તેના પર હુમલા દરમિયાન અનેક પ્રદર્શનકારો ઘરના લોકોના સંપર્કમાં જ હતા. મીરે વધુમાં કહ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કરનારા લોકોનું ટ્રાયલ મિલિટરી કોર્ટમાં જ થશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.